PM મોદીએ જણાવ્યું તેમની તંદુરસ્તીનું રહસ્ય, કહ્યું 'હું રોજ 3 કિલો ગાળો ખાઈને પચાવું છું'


  • Published By :
  • Published Date : 2022-11-12 17:31:19

પીએમ મોદી આજે શનિવારે તેલંગાણા પહોંચ્યા હતા. મોદીએ ત્યાં એક રેલીમાં સંબોધન કરતા રાજ્યના મુખ્યમંત્રી કેસીઆરને નિશાન બનાવી આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું કે "તેમની અંદર અતિ એનર્જી એટલા માટે છે કેમ છે કે તે ખુબ જ ગાળો ખાય છે". કેસીઆર દરરોજ ભય, નિરાશા અને અંધવિશ્વાસના કારણે તેમને સવાર-સાંજ ગાળો આપે છે. જો કે તેમણે તે પણ કહ્યું કે હું છેલ્લા 20-22 વર્ષમાં વિવિધ પ્રકારની ગાળો ખાઈ ચુક્યો છું. 


'જનતાની સેવામાં કામ આવે છે ગાળો'


કેસીઆર પર નિશાન સાધતા પીએમએ કહ્યું કે 'તેલંગાણામાં જે લોકોને સત્તા મળી છે તેઓ માત્ર મોદીને ગાળો આપવા અને કોસવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. "હું ગઈ કાલે સવારે દિલ્હીમાં હતો, બપોરે કર્ણાટક પહોંચ્યો, પછી રાત્રે તમિલનાડુ પહોંચ્યો અને હવે તેલંગાણામાં છું," તેમણે કહ્યું. લોકો મને પૂછે છે કે આ ઊર્જા ક્યાંથી આવે છે? હું કહું છું કે હું દરરોજ અઢીથી ત્રણ કિલો ગાળો ખાઉં છું. ભગવાને મારામાં અંદર એવી રચના બનાવી છે કે બધી જ ગાળો અંદર જાય અને પોષણમાં પરિવર્તિન થઈ જાય છે, સકારાત્મક ઉર્જા બની જાય છે. જે જનતાની સેવામાં કામ આવે છે.'



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે