PM મોદીએ જણાવ્યું તેમની તંદુરસ્તીનું રહસ્ય, કહ્યું 'હું રોજ 3 કિલો ગાળો ખાઈને પચાવું છું'


  • Published By :
  • Published Date : 2022-11-12 17:31:19

પીએમ મોદી આજે શનિવારે તેલંગાણા પહોંચ્યા હતા. મોદીએ ત્યાં એક રેલીમાં સંબોધન કરતા રાજ્યના મુખ્યમંત્રી કેસીઆરને નિશાન બનાવી આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું કે "તેમની અંદર અતિ એનર્જી એટલા માટે છે કેમ છે કે તે ખુબ જ ગાળો ખાય છે". કેસીઆર દરરોજ ભય, નિરાશા અને અંધવિશ્વાસના કારણે તેમને સવાર-સાંજ ગાળો આપે છે. જો કે તેમણે તે પણ કહ્યું કે હું છેલ્લા 20-22 વર્ષમાં વિવિધ પ્રકારની ગાળો ખાઈ ચુક્યો છું. 


'જનતાની સેવામાં કામ આવે છે ગાળો'


કેસીઆર પર નિશાન સાધતા પીએમએ કહ્યું કે 'તેલંગાણામાં જે લોકોને સત્તા મળી છે તેઓ માત્ર મોદીને ગાળો આપવા અને કોસવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. "હું ગઈ કાલે સવારે દિલ્હીમાં હતો, બપોરે કર્ણાટક પહોંચ્યો, પછી રાત્રે તમિલનાડુ પહોંચ્યો અને હવે તેલંગાણામાં છું," તેમણે કહ્યું. લોકો મને પૂછે છે કે આ ઊર્જા ક્યાંથી આવે છે? હું કહું છું કે હું દરરોજ અઢીથી ત્રણ કિલો ગાળો ખાઉં છું. ભગવાને મારામાં અંદર એવી રચના બનાવી છે કે બધી જ ગાળો અંદર જાય અને પોષણમાં પરિવર્તિન થઈ જાય છે, સકારાત્મક ઉર્જા બની જાય છે. જે જનતાની સેવામાં કામ આવે છે.'



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.