PM મોદીએ જણાવ્યું તેમની તંદુરસ્તીનું રહસ્ય, કહ્યું 'હું રોજ 3 કિલો ગાળો ખાઈને પચાવું છું'


  • Published By :
  • Published Date : 2022-11-12 17:31:19

પીએમ મોદી આજે શનિવારે તેલંગાણા પહોંચ્યા હતા. મોદીએ ત્યાં એક રેલીમાં સંબોધન કરતા રાજ્યના મુખ્યમંત્રી કેસીઆરને નિશાન બનાવી આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું કે "તેમની અંદર અતિ એનર્જી એટલા માટે છે કેમ છે કે તે ખુબ જ ગાળો ખાય છે". કેસીઆર દરરોજ ભય, નિરાશા અને અંધવિશ્વાસના કારણે તેમને સવાર-સાંજ ગાળો આપે છે. જો કે તેમણે તે પણ કહ્યું કે હું છેલ્લા 20-22 વર્ષમાં વિવિધ પ્રકારની ગાળો ખાઈ ચુક્યો છું. 


'જનતાની સેવામાં કામ આવે છે ગાળો'


કેસીઆર પર નિશાન સાધતા પીએમએ કહ્યું કે 'તેલંગાણામાં જે લોકોને સત્તા મળી છે તેઓ માત્ર મોદીને ગાળો આપવા અને કોસવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. "હું ગઈ કાલે સવારે દિલ્હીમાં હતો, બપોરે કર્ણાટક પહોંચ્યો, પછી રાત્રે તમિલનાડુ પહોંચ્યો અને હવે તેલંગાણામાં છું," તેમણે કહ્યું. લોકો મને પૂછે છે કે આ ઊર્જા ક્યાંથી આવે છે? હું કહું છું કે હું દરરોજ અઢીથી ત્રણ કિલો ગાળો ખાઉં છું. ભગવાને મારામાં અંદર એવી રચના બનાવી છે કે બધી જ ગાળો અંદર જાય અને પોષણમાં પરિવર્તિન થઈ જાય છે, સકારાત્મક ઉર્જા બની જાય છે. જે જનતાની સેવામાં કામ આવે છે.'



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.