લાલકૃષ્ણ અડવાણીજીને PM મોદીએ જન્મદિવસની સ્પેશિયલ ભેટ આપી


  • Published By :
  • Published Date : 2022-11-08 13:53:55




ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના 95મા જન્મદિવસ પર પ્રધાનમંત્રી મોદીએ તેમના ઘરે જઈને શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રમ મોદી લાલકૃષ્ણ અડવાણી સાથે 40 મિનિટ રહ્યા અને કેક પણ કાપી હતી. નરેન્દ્ર મોદી સિવાય કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ પણ લાલકૃષ્ણ અડવાણીના નિવાસસ્થાને પહોંચ્યા હતા.

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અડવાણીજી સાથેની 40 મિનિટની મુલાકાતમાં તેમને જૂની યાદો પણ તાજા કરાવી હતી. અડવાણીજીના ગત જન્મ દિવસના રોજ પ્રધાનમંત્રી મોદી સાથે અમિત શાહ પણ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને જન્મદિવસની ઉજવણી કરી હતી.

 

લાલકૃષ્ણ અડવાણીજીની રાજકીય સફર

લાલકૃષ્ણ અડવાણીના રાજનીતિની શરૂઆત 1942માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વોલન્ટિયર તરીકે થયો હતો. અડવાણીએ 1970થી 1972 સુધી જનસંઘના દિલ્લી યુનિટના અધ્યક્ષ રહ્યા હતા. 1973થી 1977 સુધી જનસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે પણ તેમણે સેવા આપી હતી. 1970થઈ 1989 સુધી ચારવાર તેઓ રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. 1977થી 1979 સુધી તેઓ કેન્દ્રમાં મોરારજી દેસાઈની અધ્યક્ષતામાં બનેલી જનતા પાર્ટીમાં સૂચના અને પ્રસારણ મંત્રી હતા. 1986થી 1991, 1993થી 1998 અને 2004થી 2005 સુધી તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા હતા. 1989માં લાલકૃષ્ણ અડવાણીએ 9મી લોકસભા માટે દિલ્લીથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 1991થી 2014 સુધી તેઓ ગાંધીનગરથી લોકસભાના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. અટલ બિહારી વાજપેયીજીની સરકારમાં તેઓએ નાયબ વડાપ્રધાન તરીકે પણ સેવા આપી હતી. વર્ષ 2015માં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા હતા.

 

 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.