લાલકૃષ્ણ અડવાણીજીને PM મોદીએ જન્મદિવસની સ્પેશિયલ ભેટ આપી


  • Published By :
  • Published Date : 2022-11-08 13:53:55




ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના 95મા જન્મદિવસ પર પ્રધાનમંત્રી મોદીએ તેમના ઘરે જઈને શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રમ મોદી લાલકૃષ્ણ અડવાણી સાથે 40 મિનિટ રહ્યા અને કેક પણ કાપી હતી. નરેન્દ્ર મોદી સિવાય કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ પણ લાલકૃષ્ણ અડવાણીના નિવાસસ્થાને પહોંચ્યા હતા.

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અડવાણીજી સાથેની 40 મિનિટની મુલાકાતમાં તેમને જૂની યાદો પણ તાજા કરાવી હતી. અડવાણીજીના ગત જન્મ દિવસના રોજ પ્રધાનમંત્રી મોદી સાથે અમિત શાહ પણ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને જન્મદિવસની ઉજવણી કરી હતી.

 

લાલકૃષ્ણ અડવાણીજીની રાજકીય સફર

લાલકૃષ્ણ અડવાણીના રાજનીતિની શરૂઆત 1942માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વોલન્ટિયર તરીકે થયો હતો. અડવાણીએ 1970થી 1972 સુધી જનસંઘના દિલ્લી યુનિટના અધ્યક્ષ રહ્યા હતા. 1973થી 1977 સુધી જનસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે પણ તેમણે સેવા આપી હતી. 1970થઈ 1989 સુધી ચારવાર તેઓ રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. 1977થી 1979 સુધી તેઓ કેન્દ્રમાં મોરારજી દેસાઈની અધ્યક્ષતામાં બનેલી જનતા પાર્ટીમાં સૂચના અને પ્રસારણ મંત્રી હતા. 1986થી 1991, 1993થી 1998 અને 2004થી 2005 સુધી તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા હતા. 1989માં લાલકૃષ્ણ અડવાણીએ 9મી લોકસભા માટે દિલ્લીથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 1991થી 2014 સુધી તેઓ ગાંધીનગરથી લોકસભાના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. અટલ બિહારી વાજપેયીજીની સરકારમાં તેઓએ નાયબ વડાપ્રધાન તરીકે પણ સેવા આપી હતી. વર્ષ 2015માં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા હતા.

 

 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે