લાલકૃષ્ણ અડવાણીજીને PM મોદીએ જન્મદિવસની સ્પેશિયલ ભેટ આપી


  • Published By :
  • Published Date : 2022-11-08 13:53:55




ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના 95મા જન્મદિવસ પર પ્રધાનમંત્રી મોદીએ તેમના ઘરે જઈને શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રમ મોદી લાલકૃષ્ણ અડવાણી સાથે 40 મિનિટ રહ્યા અને કેક પણ કાપી હતી. નરેન્દ્ર મોદી સિવાય કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ પણ લાલકૃષ્ણ અડવાણીના નિવાસસ્થાને પહોંચ્યા હતા.

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અડવાણીજી સાથેની 40 મિનિટની મુલાકાતમાં તેમને જૂની યાદો પણ તાજા કરાવી હતી. અડવાણીજીના ગત જન્મ દિવસના રોજ પ્રધાનમંત્રી મોદી સાથે અમિત શાહ પણ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને જન્મદિવસની ઉજવણી કરી હતી.

 

લાલકૃષ્ણ અડવાણીજીની રાજકીય સફર

લાલકૃષ્ણ અડવાણીના રાજનીતિની શરૂઆત 1942માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વોલન્ટિયર તરીકે થયો હતો. અડવાણીએ 1970થી 1972 સુધી જનસંઘના દિલ્લી યુનિટના અધ્યક્ષ રહ્યા હતા. 1973થી 1977 સુધી જનસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે પણ તેમણે સેવા આપી હતી. 1970થઈ 1989 સુધી ચારવાર તેઓ રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. 1977થી 1979 સુધી તેઓ કેન્દ્રમાં મોરારજી દેસાઈની અધ્યક્ષતામાં બનેલી જનતા પાર્ટીમાં સૂચના અને પ્રસારણ મંત્રી હતા. 1986થી 1991, 1993થી 1998 અને 2004થી 2005 સુધી તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા હતા. 1989માં લાલકૃષ્ણ અડવાણીએ 9મી લોકસભા માટે દિલ્લીથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 1991થી 2014 સુધી તેઓ ગાંધીનગરથી લોકસભાના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. અટલ બિહારી વાજપેયીજીની સરકારમાં તેઓએ નાયબ વડાપ્રધાન તરીકે પણ સેવા આપી હતી. વર્ષ 2015માં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા હતા.

 

 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.