PM મોદી યોજવાના છે સમીક્ષા બેઠક, વૈશ્વિક સ્તરે કોરોના કેસ વધતા કરાયું બેઠકનું આયોજન


  • Published By :
  • Published Date : 2022-12-22 11:25:45

દેશમાં તેમજ વિશ્વમાં ફરી એક વખત કોરોના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ચીન, જાપાન સહિતના દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ભારતમાં પણ આવનાર સમયમાં કોરોના કેસમાં વધારો થઈ શકે છે. ત્યારે કોરોના બેકાબૂ બને તે પહેલા ભારત સતર્ક થયું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કોરોનાને લઈ બેઠક યોજી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે કોરોના હજી ગયો નથી. વધતા કોરોના કેસને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સમીક્ષા બેઠક કરવાના છે. આ સિવાય દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ સિંદે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ બેઠક કરવાના છે. 


બપોરે પીએમ કરવાના છે સમીક્ષા બેઠક 

ચીનમાં, જાપાનમાં કોરોના કેસમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. લાખો લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. કોરોનાને લઈ લોકોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. ભારતમાં પણ કોરોનાને લઈ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. દેશમાં કોરોના સંક્રમણ ન વધે તે માટે ભારત સરકાર સર્તક થઈ ગઈ છે. બુધવારે મનસુખ માંડવિયાએ બેઠક કરી હતી. બેઠકમાં દેશમાં હાલ કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી, ત્યારે આજે વડાપ્રધાન મોદી વધતા કોરોના કેસને લઈ બપોરના સમયે સમીક્ષા બેઠક યોજવાના છે.        



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.