PM મોદી યોજવાના છે સમીક્ષા બેઠક, વૈશ્વિક સ્તરે કોરોના કેસ વધતા કરાયું બેઠકનું આયોજન


  • Published By :
  • Published Date : 2022-12-22 11:25:45

દેશમાં તેમજ વિશ્વમાં ફરી એક વખત કોરોના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ચીન, જાપાન સહિતના દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ભારતમાં પણ આવનાર સમયમાં કોરોના કેસમાં વધારો થઈ શકે છે. ત્યારે કોરોના બેકાબૂ બને તે પહેલા ભારત સતર્ક થયું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કોરોનાને લઈ બેઠક યોજી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે કોરોના હજી ગયો નથી. વધતા કોરોના કેસને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સમીક્ષા બેઠક કરવાના છે. આ સિવાય દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ સિંદે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ બેઠક કરવાના છે. 


બપોરે પીએમ કરવાના છે સમીક્ષા બેઠક 

ચીનમાં, જાપાનમાં કોરોના કેસમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. લાખો લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. કોરોનાને લઈ લોકોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. ભારતમાં પણ કોરોનાને લઈ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. દેશમાં કોરોના સંક્રમણ ન વધે તે માટે ભારત સરકાર સર્તક થઈ ગઈ છે. બુધવારે મનસુખ માંડવિયાએ બેઠક કરી હતી. બેઠકમાં દેશમાં હાલ કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી, ત્યારે આજે વડાપ્રધાન મોદી વધતા કોરોના કેસને લઈ બપોરના સમયે સમીક્ષા બેઠક યોજવાના છે.        



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.