કર્ણાટકમાં રોડ-શો દરમિયાન યુવક PM મોદીને માળા પહેરાવવા પહોંચી જતા હડકંપ


  • Published By :
  • Published Date : 2023-01-12 19:47:25

આજે એક રોડ શો દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી હતી. કર્ણાટકના હુબલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકના હુબલીમાં યોજાયેલા 26માં રાષ્ટ્રિય યુવા મહોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે પહોંચ્યા હતા. હુબલીમાં તેમના સન્માનમાં શહેરમાં રોડ શો યોજાયો હતો ત્યારે આ ઘટના બની હતી. 


PM મોદીને માળા પહેરાવવા દોડ્યો યુવક


કર્ણાટકના હુબલીમાં  યોજાયેલા પીએમ મોદીના રોડ શો દરમિયાન એક યુવક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માળા પહેરાવવા દોડી આવ્યો હતો. યુવક PM મોદીને હાર પહેરાવવા માટે  SPGનો સુરક્ષા ઘેરો તોડીને PM મોદી સુધી પહોંચી ગયો હતો. વડાપ્રધાને આ દરમિયાન યુવકના હાથમાંથી માળા લઈ લીધી અને પોતાની ગાડીમાં અન્ય જવાનના હાથમાં આપી દીધી હતી.જો કે PM મોદીના સુરક્ષાકર્મીઓએ તેને સુરક્ષા કમાન્ડરોએ હટાવી લીધો હતો.


પંજાબમાં પણ PM મોદી સાથે બની હતી આવી ઘટના 


અત્રે ઉલ્લેખનિય છે કે આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફિરોઝપુર મુલાકાત દરમિયાન તેમની સુરક્ષામાં મોટી ખામી જોવા મળી હતી, જેના કારણે ફિરોઝપુરના SSPને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ફિરોઝપુરમાં પીએમ મોદીની રેલી યોજાવાની હતી. જો કે તેને રદ્દ કરવી પડી હતી. PM રેલીના સ્થળે પહોંચી શક્યા ન હતા.




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.