કર્ણાટકમાં રોડ-શો દરમિયાન યુવક PM મોદીને માળા પહેરાવવા પહોંચી જતા હડકંપ


  • Published By :
  • Published Date : 2023-01-12 19:47:25

આજે એક રોડ શો દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી હતી. કર્ણાટકના હુબલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકના હુબલીમાં યોજાયેલા 26માં રાષ્ટ્રિય યુવા મહોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે પહોંચ્યા હતા. હુબલીમાં તેમના સન્માનમાં શહેરમાં રોડ શો યોજાયો હતો ત્યારે આ ઘટના બની હતી. 


PM મોદીને માળા પહેરાવવા દોડ્યો યુવક


કર્ણાટકના હુબલીમાં  યોજાયેલા પીએમ મોદીના રોડ શો દરમિયાન એક યુવક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માળા પહેરાવવા દોડી આવ્યો હતો. યુવક PM મોદીને હાર પહેરાવવા માટે  SPGનો સુરક્ષા ઘેરો તોડીને PM મોદી સુધી પહોંચી ગયો હતો. વડાપ્રધાને આ દરમિયાન યુવકના હાથમાંથી માળા લઈ લીધી અને પોતાની ગાડીમાં અન્ય જવાનના હાથમાં આપી દીધી હતી.જો કે PM મોદીના સુરક્ષાકર્મીઓએ તેને સુરક્ષા કમાન્ડરોએ હટાવી લીધો હતો.


પંજાબમાં પણ PM મોદી સાથે બની હતી આવી ઘટના 


અત્રે ઉલ્લેખનિય છે કે આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફિરોઝપુર મુલાકાત દરમિયાન તેમની સુરક્ષામાં મોટી ખામી જોવા મળી હતી, જેના કારણે ફિરોઝપુરના SSPને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ફિરોઝપુરમાં પીએમ મોદીની રેલી યોજાવાની હતી. જો કે તેને રદ્દ કરવી પડી હતી. PM રેલીના સ્થળે પહોંચી શક્યા ન હતા.




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી