PM Modiને જન્મદિનની ખાસ ભેટ, Suratના આર્ટિસ્ટએ 7200 હીરામાંથી તૈયાર કરી તસવીર, જુઓ Video


  • Published By :
  • Published Date : 2023-09-05 17:19:32

PM નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે, આગામી 17 સપ્ટેમ્બરના દિવસે નરેન્દ્ર મોદી 73 વર્ષના થશે. ભાજપના કાર્યકરો દ્વારા નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીને ખાસ બનાવવાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ દરમિયાન સુરતના આર્ટિસ્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનર વિપુલભાઈ જેપીવાલાએ હીરાજડીત તસવીર તૈયાર કરી છે.  વિપુલભાઈ PM મોદીની 7200 હીરામાંથી બનેલી આ  તસવીર તેમના જન્મદિવસ પર ગિફ્ટ આપવા માગે છે.


હીરાજડીત તસવીર બનાવતા 3 મહિના લાગ્યા


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનના પત્નીને ડાયમંડવાળો ક્રાફ્ટ આપ્યો હતો ત્યારે વિપુલભાઈને PMની આ પ્રકારની તસવીર બનાવવાની ઇચ્છા થઇ હતી. વિપુલભાઈને આ હીરાજડીત તસવીર બનાવવા માટે ત્રણ મહિના જેટલો સમય લાગ્યો છે. જેમાં ચાર પ્રકારના હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે તેમણે આ તસવીર બનાવવા પાછળ કેટલો ખર્ચ થયો તે જણાવ્યું નથી.


અગાઉ પણ રીયલ ગોલ્ડ જરીથી બનાવી હતી PM મોદીની તસવીર


અગાઉ પણ વિપુલભાઈ જેપીવાલાએ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળને નવ વર્ષ થતાં ખાસ ગોલ્ડ જરીમાં પોર્ટ્રેટ તૈયાર કર્યું હતું.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ નવ વર્ષને બિરદાવવા માટે આ ખાસ ગોલ્ડ જરીથી તેમની તસવીર બનાવી હતી. આ તસ્વીરમાં 10 થી 12 ગ્રામ ગોલ્ડ જરી ઉપયોગમાં લેવામાં આવી હતી. તસવીર બનાવવા ખાસ 23.5 કેરેટ ગોલ્ડની જ જરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.