PM Modiને જન્મદિનની ખાસ ભેટ, Suratના આર્ટિસ્ટએ 7200 હીરામાંથી તૈયાર કરી તસવીર, જુઓ Video


  • Published By :
  • Published Date : 2023-09-05 17:19:32

PM નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે, આગામી 17 સપ્ટેમ્બરના દિવસે નરેન્દ્ર મોદી 73 વર્ષના થશે. ભાજપના કાર્યકરો દ્વારા નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીને ખાસ બનાવવાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ દરમિયાન સુરતના આર્ટિસ્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનર વિપુલભાઈ જેપીવાલાએ હીરાજડીત તસવીર તૈયાર કરી છે.  વિપુલભાઈ PM મોદીની 7200 હીરામાંથી બનેલી આ  તસવીર તેમના જન્મદિવસ પર ગિફ્ટ આપવા માગે છે.


હીરાજડીત તસવીર બનાવતા 3 મહિના લાગ્યા


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનના પત્નીને ડાયમંડવાળો ક્રાફ્ટ આપ્યો હતો ત્યારે વિપુલભાઈને PMની આ પ્રકારની તસવીર બનાવવાની ઇચ્છા થઇ હતી. વિપુલભાઈને આ હીરાજડીત તસવીર બનાવવા માટે ત્રણ મહિના જેટલો સમય લાગ્યો છે. જેમાં ચાર પ્રકારના હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે તેમણે આ તસવીર બનાવવા પાછળ કેટલો ખર્ચ થયો તે જણાવ્યું નથી.


અગાઉ પણ રીયલ ગોલ્ડ જરીથી બનાવી હતી PM મોદીની તસવીર


અગાઉ પણ વિપુલભાઈ જેપીવાલાએ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળને નવ વર્ષ થતાં ખાસ ગોલ્ડ જરીમાં પોર્ટ્રેટ તૈયાર કર્યું હતું.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ નવ વર્ષને બિરદાવવા માટે આ ખાસ ગોલ્ડ જરીથી તેમની તસવીર બનાવી હતી. આ તસ્વીરમાં 10 થી 12 ગ્રામ ગોલ્ડ જરી ઉપયોગમાં લેવામાં આવી હતી. તસવીર બનાવવા ખાસ 23.5 કેરેટ ગોલ્ડની જ જરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી