PM મોદી 36 કલાકમાં 7 શહેરોમાં આયોજીત 8 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે, 5300 કિમીનો હશે આ પ્રવાસ


  • Published By :
  • Published Date : 2023-04-22 16:38:46

પ્રધાનમંત્રી મોદી 24 એપ્રીલથી બે દિવસના પ્રવાસ પર જશે. આ સમગ્ર પ્રવાસ દરમિયાન 36 કલાકમાં 7 રાજ્યોમાં અલગ-અલગ 8 જેટલા કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. પીએમ તેમના આ પ્રવાસ દરમિયાન દેશના વિવિધ ભાગોમાં 5 હજાર કિમીનું અંતર પુરૂ કરશે. પીએમ મોદી દિલ્હીથી પહેલા મધ્ય પ્રદેશનો પ્રવાસ કરશે, ત્યાર બાદ તે કેરળની મુલાકાતે જશે અને ત્યાંથી તે પશ્ચિમ ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશો થઈને દિલ્હી પરત ફરશે.  


MPમાં કાર્યક્રમમાં હાજર રહેશે


પીએમ મોદી સવારે 24 એપ્રીલથી તેમની યાત્રાનો શુભારંભ કરશે. પીએમ મોદીના આ લાંબા કાર્યક્રનો પહેલો પડાવ મધ્ય પ્રદેશનું ખજુરાહો હશે ત્યાંથી તે રીવા પહોંચશે. રીવામાં આયોજીત રાષ્ટ્રિય પંચાયત રાજ દિવસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રીવાથી તે 200 કિમીની યાત્રા કરીને તે ખજુરાહો પરત ફરશે.  પીએમ મોદી ત્યાર બાદ કેરળના કોચી જશે, અહીં તે 1700 કિમીની હવાઈ યાત્રા કરીને યુવમ કોન્ક્લેવમાં ભાગ લેશે.


તિરૂવનંતપુરમ અને દમણ પણ જશે


પીએમ મોદી કોચીથી તિરૂવનંતપુરમનો પ્રવાસ કરશે, અહીં પ્રધાનમંત્રી વંદે ભારતને લીલી ઝંડી બતાવશે, અને વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે. અહીં તે સુરતના માર્ગે લગભગ  1570 કિમીનું અંતર પુરૂ કરીને પીએમ મોદી સેલવાસ પહોંચશે. જ્યાં તે NAMO મેડિકલ કોલેજની મુલાકાત લેશે. તે ઉપરાંત તે અહીં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.  


પ્રવાસ માત્ર 36 કલાકમાં પૂર્ણ કરશે


આ પછી પીએમ મોદી દેવકા સીપ્રિન્ટના ઉદ્ઘાટન માટે દમણ જશે. તેઓ અહીંથી 110 કિલોમીટરનું અંતર કાપીને સુરત આવશે. તેમની યાત્રામાં વધુ 940 કિમીનો ઉમેરો કરીને પીએમ મોદી સુરતથી દિલ્હી પરત આવશે. આમ વડાપ્રધાન 5,300 કિલોમીટરની હવાઈ યાત્રા કરશે. પીએમ મોદી ઉત્તરથી દક્ષિણ ભારતની આ યાત્રા માત્ર 36 કલાકમાં પૂર્ણ કરશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.