PM મોદી 36 કલાકમાં 7 શહેરોમાં આયોજીત 8 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે, 5300 કિમીનો હશે આ પ્રવાસ


  • Published By :
  • Published Date : 2023-04-22 16:38:46

પ્રધાનમંત્રી મોદી 24 એપ્રીલથી બે દિવસના પ્રવાસ પર જશે. આ સમગ્ર પ્રવાસ દરમિયાન 36 કલાકમાં 7 રાજ્યોમાં અલગ-અલગ 8 જેટલા કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. પીએમ તેમના આ પ્રવાસ દરમિયાન દેશના વિવિધ ભાગોમાં 5 હજાર કિમીનું અંતર પુરૂ કરશે. પીએમ મોદી દિલ્હીથી પહેલા મધ્ય પ્રદેશનો પ્રવાસ કરશે, ત્યાર બાદ તે કેરળની મુલાકાતે જશે અને ત્યાંથી તે પશ્ચિમ ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશો થઈને દિલ્હી પરત ફરશે.  


MPમાં કાર્યક્રમમાં હાજર રહેશે


પીએમ મોદી સવારે 24 એપ્રીલથી તેમની યાત્રાનો શુભારંભ કરશે. પીએમ મોદીના આ લાંબા કાર્યક્રનો પહેલો પડાવ મધ્ય પ્રદેશનું ખજુરાહો હશે ત્યાંથી તે રીવા પહોંચશે. રીવામાં આયોજીત રાષ્ટ્રિય પંચાયત રાજ દિવસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રીવાથી તે 200 કિમીની યાત્રા કરીને તે ખજુરાહો પરત ફરશે.  પીએમ મોદી ત્યાર બાદ કેરળના કોચી જશે, અહીં તે 1700 કિમીની હવાઈ યાત્રા કરીને યુવમ કોન્ક્લેવમાં ભાગ લેશે.


તિરૂવનંતપુરમ અને દમણ પણ જશે


પીએમ મોદી કોચીથી તિરૂવનંતપુરમનો પ્રવાસ કરશે, અહીં પ્રધાનમંત્રી વંદે ભારતને લીલી ઝંડી બતાવશે, અને વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે. અહીં તે સુરતના માર્ગે લગભગ  1570 કિમીનું અંતર પુરૂ કરીને પીએમ મોદી સેલવાસ પહોંચશે. જ્યાં તે NAMO મેડિકલ કોલેજની મુલાકાત લેશે. તે ઉપરાંત તે અહીં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.  


પ્રવાસ માત્ર 36 કલાકમાં પૂર્ણ કરશે


આ પછી પીએમ મોદી દેવકા સીપ્રિન્ટના ઉદ્ઘાટન માટે દમણ જશે. તેઓ અહીંથી 110 કિલોમીટરનું અંતર કાપીને સુરત આવશે. તેમની યાત્રામાં વધુ 940 કિમીનો ઉમેરો કરીને પીએમ મોદી સુરતથી દિલ્હી પરત આવશે. આમ વડાપ્રધાન 5,300 કિલોમીટરની હવાઈ યાત્રા કરશે. પીએમ મોદી ઉત્તરથી દક્ષિણ ભારતની આ યાત્રા માત્ર 36 કલાકમાં પૂર્ણ કરશે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે