કેજરીવાલે જે રિક્ષાચાલકના ઘરે ભોજન લીધું તે વિક્રમ દંતાણી તો મોદી ભકત નિકળ્યો!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 13:36:31

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજકારણના અવનવારૂપ જોવા મળી રહ્યા છે, તાજેતરમાં કેજરીવાલના અમદાવાદ પ્રવાસ દરમિયાન તે એક રિક્ષા ચાલક વિક્રમ દંતાણીના ઘરે ભોજન લેવા ગયા હતા, તે યુવાન વિક્રમ દંતાણી આજે પ્રધાનમંત્રી મોદીની અમદાવાદમાં યોજાયેલી સભામાં પહોંચ્યો હતો. તે પોતાના વિસ્તારના લોકોને લઇને સભામાં પહોંચ્યા હતો. રિક્ષા ચાલક વિક્રમ દંતાણીએ ભાજપનો ખેસ પહેર્યો હોય તે વીડિયો પણ સામે આવ્યો છે. 


રીક્ષા ચાલક વિક્રમ દંતાણી ભાજપનો કાર્યકર


અમદાવાદના રીક્ષા ચાલક વિક્રમ દંતાણીએ જણાવ્યું હતું કે, હું પહેલીથી ભાજપમાં જોડાયેલા છે. હું મતદાન કરતો થયો ત્યારથી ભાજપમાં જોડાયેલો છું. હું પહેલેથી મોદી સાહેબનો આશિક છું. મેં ખાલી કેજરીવાલને જમવાનું આમંત્રણ આપ્યું હતું અને તેમણે સ્વીકારી લીધું. મને ખબર નહોતી કે તે જમવા આવશે. તેઓ આવ્યા એટલે એમનું અપમાન ન થાય એટલે ઘરે જમાડીને મોકલી દીધા. બીજી કોઈ વાત કરી નથી. મેં પોતે એમ જ આમંત્રણ આપ્યું હતું. હું કોઈ પાર્ટીમાં જોડાયેલો નથી. હું પહેલેથી જ ભાજપ સાથે જોડાયેલો છે. અમારી આખી સોસાયટી ભાજપ સાથે છે. 


રીક્ષા યુનિયનના કહેવાથી કેજરીવાલને આપ્યું આમંત્રણ


વિક્રમ દંતાણીએ વધુમાં કહ્યું કે રીક્ષા યુનિયનએ મને જમવાનું પૂછવા કહ્યું હતું , મને કંઈ ખબર નહોતી. આમ પણ ગુજરાતીના ઘરે કોઈ જમવા આવે એટલે એ પ્રેમથી જમાડે જ છે. કેજરીવાલ સાહેબે પ્રોટોકોલ તોડ્યોએ એ વાતનું  દુઃખ લાગ્યું હતું. વિક્રમ દંતાણીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે હું આપ સાથે નથી , ભાજપ માટે કામ કરું છું.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .