કેજરીવાલે જે રિક્ષાચાલકના ઘરે ભોજન લીધું તે વિક્રમ દંતાણી તો મોદી ભકત નિકળ્યો!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 13:36:31

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજકારણના અવનવારૂપ જોવા મળી રહ્યા છે, તાજેતરમાં કેજરીવાલના અમદાવાદ પ્રવાસ દરમિયાન તે એક રિક્ષા ચાલક વિક્રમ દંતાણીના ઘરે ભોજન લેવા ગયા હતા, તે યુવાન વિક્રમ દંતાણી આજે પ્રધાનમંત્રી મોદીની અમદાવાદમાં યોજાયેલી સભામાં પહોંચ્યો હતો. તે પોતાના વિસ્તારના લોકોને લઇને સભામાં પહોંચ્યા હતો. રિક્ષા ચાલક વિક્રમ દંતાણીએ ભાજપનો ખેસ પહેર્યો હોય તે વીડિયો પણ સામે આવ્યો છે. 


રીક્ષા ચાલક વિક્રમ દંતાણી ભાજપનો કાર્યકર


અમદાવાદના રીક્ષા ચાલક વિક્રમ દંતાણીએ જણાવ્યું હતું કે, હું પહેલીથી ભાજપમાં જોડાયેલા છે. હું મતદાન કરતો થયો ત્યારથી ભાજપમાં જોડાયેલો છું. હું પહેલેથી મોદી સાહેબનો આશિક છું. મેં ખાલી કેજરીવાલને જમવાનું આમંત્રણ આપ્યું હતું અને તેમણે સ્વીકારી લીધું. મને ખબર નહોતી કે તે જમવા આવશે. તેઓ આવ્યા એટલે એમનું અપમાન ન થાય એટલે ઘરે જમાડીને મોકલી દીધા. બીજી કોઈ વાત કરી નથી. મેં પોતે એમ જ આમંત્રણ આપ્યું હતું. હું કોઈ પાર્ટીમાં જોડાયેલો નથી. હું પહેલેથી જ ભાજપ સાથે જોડાયેલો છે. અમારી આખી સોસાયટી ભાજપ સાથે છે. 


રીક્ષા યુનિયનના કહેવાથી કેજરીવાલને આપ્યું આમંત્રણ


વિક્રમ દંતાણીએ વધુમાં કહ્યું કે રીક્ષા યુનિયનએ મને જમવાનું પૂછવા કહ્યું હતું , મને કંઈ ખબર નહોતી. આમ પણ ગુજરાતીના ઘરે કોઈ જમવા આવે એટલે એ પ્રેમથી જમાડે જ છે. કેજરીવાલ સાહેબે પ્રોટોકોલ તોડ્યોએ એ વાતનું  દુઃખ લાગ્યું હતું. વિક્રમ દંતાણીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે હું આપ સાથે નથી , ભાજપ માટે કામ કરું છું.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે