Banaskanthaમાં PM Modiનો પ્રચાર, બનાસકાંઠાથી BJPનો માહોલ સેટ કરવાની શરૂઆત કરી! અહમદ પટેલને કર્યા યાદ...


  • Published By :
  • Published Date : 2024-05-01 18:47:29

ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક ગણાતા પીએમ મોદી આજે ગુજરાતના પ્રવાસે છે... ગુજરાતમાં લોકસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે પીએમ મોદીએ ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળી છે...આજે અને આવતી કાલે પીએમ મોદી અનેક સભાઓને ગજવવાના છે. બનાસકાંઠામાં પીએમ મોદીએ જનસભા સંબોધી હતી.. બનાસકાંઠામાં ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી ચૂંટણી માટે તેમણે પ્રચાર કર્યો હતો.. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ ઈન્ડિયા ગઠબંધન વિશે અને કોંગ્રેસ વિશે અનેક વાતો કરી હતી...

બનાસકાંઠામાં પીએમ મોદીની જંગી સભા! 

પીએમ મોદી બે દિવસ માટે ગુજરાત આવ્યા છે.. અનેક લોકસભા બેઠકો પર તેઓ પ્રચાર કરી રહ્યા છે. આજે સાબરકાંઠા અને બનાસકાંઠામાં તેઓ પ્રચાર કરી રહ્યા છે. બનાસકાંઠામાં સભાને સંબોધતી વખતે તેમણે અનેક વાતોનો ઉલ્લેખ કર્યો. તેમણે પોતાના સંબોધનની શરૂઆત મા અંબાના નાદ સાથે કરી હતી. પીએમ મોદીએ સંબોધનમાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. આજે પણ કોંગ્રેસ પાસે મુદ્દા, વિઝન, કોઇ કામ કરવાનો ઉત્સાહ નથી. 2014માં કોંગ્રેસના મુદ્દા હતા કે આ ચાવાળો શું કરશે? તેને ગુજરાતની સમજ છે દેશની શું સમજ છે? કોંગ્રેસની સભામાં મારી મજાક ઉડાડવામાં આવતી હતી.  


કોંગ્રેસ પર પીએમ મોદીએ કર્યા પ્રહાર! 

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.. તેમણે કહ્યું કે દિલ્હીમાં ગાંધી પરિવાર કોંગ્રેસને મત નહીં આપી શકે. દિલ્હીમાં કોંગ્રેસે આપ સાથે ગઠબંધ કર્યું છે. અહમદ પટેલનો પરિવાર કોંગ્રેસને મત નહીં આપી શકે. ભરુચમાં કોંગ્રેસે આપ સાથે ગઠબંધન કર્યુ છે. કોંગ્રેસના લોકો પર વિશ્વાસ કરી શકાય નહીં. કોંગ્રેસના લોકો ઘોષણા કરે, અનામતને હાથ નહીં લગાવીએ. કોંગ્રેસ પાસે મુદ્દા અને વિઝન નથી. કોંગ્રેસની હરકતોને મતદારોએ જવાબ આપ્યો છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી... તે સિવાય તેમણે અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે