Banaskanthaમાં PM Modiનો પ્રચાર, બનાસકાંઠાથી BJPનો માહોલ સેટ કરવાની શરૂઆત કરી! અહમદ પટેલને કર્યા યાદ...


  • Published By :
  • Published Date : 2024-05-01 18:47:29

ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક ગણાતા પીએમ મોદી આજે ગુજરાતના પ્રવાસે છે... ગુજરાતમાં લોકસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે પીએમ મોદીએ ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળી છે...આજે અને આવતી કાલે પીએમ મોદી અનેક સભાઓને ગજવવાના છે. બનાસકાંઠામાં પીએમ મોદીએ જનસભા સંબોધી હતી.. બનાસકાંઠામાં ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી ચૂંટણી માટે તેમણે પ્રચાર કર્યો હતો.. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ ઈન્ડિયા ગઠબંધન વિશે અને કોંગ્રેસ વિશે અનેક વાતો કરી હતી...

બનાસકાંઠામાં પીએમ મોદીની જંગી સભા! 

પીએમ મોદી બે દિવસ માટે ગુજરાત આવ્યા છે.. અનેક લોકસભા બેઠકો પર તેઓ પ્રચાર કરી રહ્યા છે. આજે સાબરકાંઠા અને બનાસકાંઠામાં તેઓ પ્રચાર કરી રહ્યા છે. બનાસકાંઠામાં સભાને સંબોધતી વખતે તેમણે અનેક વાતોનો ઉલ્લેખ કર્યો. તેમણે પોતાના સંબોધનની શરૂઆત મા અંબાના નાદ સાથે કરી હતી. પીએમ મોદીએ સંબોધનમાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. આજે પણ કોંગ્રેસ પાસે મુદ્દા, વિઝન, કોઇ કામ કરવાનો ઉત્સાહ નથી. 2014માં કોંગ્રેસના મુદ્દા હતા કે આ ચાવાળો શું કરશે? તેને ગુજરાતની સમજ છે દેશની શું સમજ છે? કોંગ્રેસની સભામાં મારી મજાક ઉડાડવામાં આવતી હતી.  


કોંગ્રેસ પર પીએમ મોદીએ કર્યા પ્રહાર! 

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.. તેમણે કહ્યું કે દિલ્હીમાં ગાંધી પરિવાર કોંગ્રેસને મત નહીં આપી શકે. દિલ્હીમાં કોંગ્રેસે આપ સાથે ગઠબંધ કર્યું છે. અહમદ પટેલનો પરિવાર કોંગ્રેસને મત નહીં આપી શકે. ભરુચમાં કોંગ્રેસે આપ સાથે ગઠબંધન કર્યુ છે. કોંગ્રેસના લોકો પર વિશ્વાસ કરી શકાય નહીં. કોંગ્રેસના લોકો ઘોષણા કરે, અનામતને હાથ નહીં લગાવીએ. કોંગ્રેસ પાસે મુદ્દા અને વિઝન નથી. કોંગ્રેસની હરકતોને મતદારોએ જવાબ આપ્યો છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી... તે સિવાય તેમણે અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.