Banaskanthaમાં PM Modiનો પ્રચાર, બનાસકાંઠાથી BJPનો માહોલ સેટ કરવાની શરૂઆત કરી! અહમદ પટેલને કર્યા યાદ...


  • Published By :
  • Published Date : 2024-05-01 18:47:29

ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક ગણાતા પીએમ મોદી આજે ગુજરાતના પ્રવાસે છે... ગુજરાતમાં લોકસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે પીએમ મોદીએ ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળી છે...આજે અને આવતી કાલે પીએમ મોદી અનેક સભાઓને ગજવવાના છે. બનાસકાંઠામાં પીએમ મોદીએ જનસભા સંબોધી હતી.. બનાસકાંઠામાં ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી ચૂંટણી માટે તેમણે પ્રચાર કર્યો હતો.. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ ઈન્ડિયા ગઠબંધન વિશે અને કોંગ્રેસ વિશે અનેક વાતો કરી હતી...

બનાસકાંઠામાં પીએમ મોદીની જંગી સભા! 

પીએમ મોદી બે દિવસ માટે ગુજરાત આવ્યા છે.. અનેક લોકસભા બેઠકો પર તેઓ પ્રચાર કરી રહ્યા છે. આજે સાબરકાંઠા અને બનાસકાંઠામાં તેઓ પ્રચાર કરી રહ્યા છે. બનાસકાંઠામાં સભાને સંબોધતી વખતે તેમણે અનેક વાતોનો ઉલ્લેખ કર્યો. તેમણે પોતાના સંબોધનની શરૂઆત મા અંબાના નાદ સાથે કરી હતી. પીએમ મોદીએ સંબોધનમાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. આજે પણ કોંગ્રેસ પાસે મુદ્દા, વિઝન, કોઇ કામ કરવાનો ઉત્સાહ નથી. 2014માં કોંગ્રેસના મુદ્દા હતા કે આ ચાવાળો શું કરશે? તેને ગુજરાતની સમજ છે દેશની શું સમજ છે? કોંગ્રેસની સભામાં મારી મજાક ઉડાડવામાં આવતી હતી.  


કોંગ્રેસ પર પીએમ મોદીએ કર્યા પ્રહાર! 

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.. તેમણે કહ્યું કે દિલ્હીમાં ગાંધી પરિવાર કોંગ્રેસને મત નહીં આપી શકે. દિલ્હીમાં કોંગ્રેસે આપ સાથે ગઠબંધ કર્યું છે. અહમદ પટેલનો પરિવાર કોંગ્રેસને મત નહીં આપી શકે. ભરુચમાં કોંગ્રેસે આપ સાથે ગઠબંધન કર્યુ છે. કોંગ્રેસના લોકો પર વિશ્વાસ કરી શકાય નહીં. કોંગ્રેસના લોકો ઘોષણા કરે, અનામતને હાથ નહીં લગાવીએ. કોંગ્રેસ પાસે મુદ્દા અને વિઝન નથી. કોંગ્રેસની હરકતોને મતદારોએ જવાબ આપ્યો છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી... તે સિવાય તેમણે અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .