મહારાષ્ટ્રના પ્રવાસે PM મોદી, અનેક પ્રોજેક્ટનું કર્યું લોકાર્પણ તેમજ શિલાન્યાસ


  • Published By :
  • Published Date : 2022-12-11 14:54:09

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગપુરમાં વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી દીધી છે. આ ટ્રેન નાગપુરથી લઈ બિલાસપુર સુધી દોડવાની છે. અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ કરવા તેઓ મહારાષ્ટ્ર પહોંચી ગયા હતા. ઉપરાંત નાગપુર મેટ્રોના પ્રથમ ચરણની શરૂઆત કરી છે. મેટ્રોની શરૂઆત કર્યા બાદ વડાપ્રધાન મોદીએ મેટ્રોની સવારી પણ કરી હતી અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી. આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા ચરણ માટે શિલાન્યાસ પણ કરવાના છે.

 

 અનેક પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ તેમજ લોકાર્પણ

મહારાષ્ટ્રને આજે 75000 કરોડની રૂપિયાના પ્રોજેક્ટની ભેટ મળવાની છે. વડાપ્રધાન મોદી અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાના છે તો અનેક પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરવાના છે. પીએમ મોદીએ નાગરપુર અને બિલાસપુર વચ્ચે ચાલનારી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી દીધી છે. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ સિંદે પણ હાજર રહ્યા હતા. આ સિવાય પીએમ મોદી નાગપુર-મુંબઈ વચ્ચે બની રહેલા સમૃદ્ધિ મહામાર્ગનું પણ ઉદ્ધાટન કરવાના છે. સમુદ્ધિ મહામાર્ગ એટલે નાગપુર-મુંબઈ સુપર કોમ્યુનિકેશન એક્સપ્રેસવે સમગ્ર દેશમાં કનેક્ટિવિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા માટેનું એક મોટું પગલું છે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.