મહારાષ્ટ્રના પ્રવાસે PM મોદી, અનેક પ્રોજેક્ટનું કર્યું લોકાર્પણ તેમજ શિલાન્યાસ


  • Published By :
  • Published Date : 2022-12-11 14:54:09

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગપુરમાં વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી દીધી છે. આ ટ્રેન નાગપુરથી લઈ બિલાસપુર સુધી દોડવાની છે. અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ કરવા તેઓ મહારાષ્ટ્ર પહોંચી ગયા હતા. ઉપરાંત નાગપુર મેટ્રોના પ્રથમ ચરણની શરૂઆત કરી છે. મેટ્રોની શરૂઆત કર્યા બાદ વડાપ્રધાન મોદીએ મેટ્રોની સવારી પણ કરી હતી અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી. આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા ચરણ માટે શિલાન્યાસ પણ કરવાના છે.

 

 અનેક પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ તેમજ લોકાર્પણ

મહારાષ્ટ્રને આજે 75000 કરોડની રૂપિયાના પ્રોજેક્ટની ભેટ મળવાની છે. વડાપ્રધાન મોદી અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાના છે તો અનેક પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરવાના છે. પીએમ મોદીએ નાગરપુર અને બિલાસપુર વચ્ચે ચાલનારી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી દીધી છે. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ સિંદે પણ હાજર રહ્યા હતા. આ સિવાય પીએમ મોદી નાગપુર-મુંબઈ વચ્ચે બની રહેલા સમૃદ્ધિ મહામાર્ગનું પણ ઉદ્ધાટન કરવાના છે. સમુદ્ધિ મહામાર્ગ એટલે નાગપુર-મુંબઈ સુપર કોમ્યુનિકેશન એક્સપ્રેસવે સમગ્ર દેશમાં કનેક્ટિવિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા માટેનું એક મોટું પગલું છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.