મહારાષ્ટ્રના પ્રવાસે PM મોદી, અનેક પ્રોજેક્ટનું કર્યું લોકાર્પણ તેમજ શિલાન્યાસ


  • Published By :
  • Published Date : 2022-12-11 14:54:09

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગપુરમાં વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી દીધી છે. આ ટ્રેન નાગપુરથી લઈ બિલાસપુર સુધી દોડવાની છે. અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ કરવા તેઓ મહારાષ્ટ્ર પહોંચી ગયા હતા. ઉપરાંત નાગપુર મેટ્રોના પ્રથમ ચરણની શરૂઆત કરી છે. મેટ્રોની શરૂઆત કર્યા બાદ વડાપ્રધાન મોદીએ મેટ્રોની સવારી પણ કરી હતી અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી. આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા ચરણ માટે શિલાન્યાસ પણ કરવાના છે.

 

 અનેક પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ તેમજ લોકાર્પણ

મહારાષ્ટ્રને આજે 75000 કરોડની રૂપિયાના પ્રોજેક્ટની ભેટ મળવાની છે. વડાપ્રધાન મોદી અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાના છે તો અનેક પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરવાના છે. પીએમ મોદીએ નાગરપુર અને બિલાસપુર વચ્ચે ચાલનારી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી દીધી છે. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ સિંદે પણ હાજર રહ્યા હતા. આ સિવાય પીએમ મોદી નાગપુર-મુંબઈ વચ્ચે બની રહેલા સમૃદ્ધિ મહામાર્ગનું પણ ઉદ્ધાટન કરવાના છે. સમુદ્ધિ મહામાર્ગ એટલે નાગપુર-મુંબઈ સુપર કોમ્યુનિકેશન એક્સપ્રેસવે સમગ્ર દેશમાં કનેક્ટિવિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા માટેનું એક મોટું પગલું છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.