પાકિસ્તાન ઉશ્કેરણી કરશે તો ભારત જડબાતોડ જવાબ આપશે, અમેરિકાના રિપોર્ટમાં દાવો


  • Published By :
  • Published Date : 2023-03-09 15:32:36

ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રવર્તતી તંગદીલીને લઈ અમેરિકાના ગુપ્તચર તંત્રએ મહત્વનો રિપોર્ટ રજુ કર્યો છે. આ રિપોર્ટ મુજબ જો પાકિસ્તાન તેના પાડોશી ભારતને ઉશ્કેરશે તો ભારતની વર્તમાન મોદી સરકાર સેનાની મદદથી જવાબ આપશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.


રિપોર્ટ કોંગ્રેસ સમક્ષ રજુ કરાયો


અમેરિકાના જાસુસી  તંત્રએ તૈયાર કરેલા આ રિપોર્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તંગદીલીનું આંકલન કરવામાં આવ્યું છે. અમેરિકાની કોંગ્રેસ સમક્ષ રજુ કરાયેલા આ રિપોર્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 2020માં થયેલા સંઘર્ષને ધ્યાનમાં રાખીએ તો સંબંધો તણાવપુર્ણ રહેશે. આ ઘટના બાદ બંને વચ્ચે સંબંધો ગંભીર સ્તર પર છે. 


સંઘર્ષ વધી શકે છે


આ ગુપ્ત રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે બંને પરમાણું શક્તિઓ વચ્ચે શસસ્ત્ર જોખમ વધી શકે છે. જેમાં અમેરિકાના લોકો અને હિતોને સીધુ નુકસાન થઈ શકે છે. આ રિપોર્ટમાં પાકિસ્તાનમાં સક્રિય આતંકી સંગઠનો અંગે પણ કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનોનો લાંબો ઈતિહાસ રહ્યો છે. પીએમ મોદીના નેતૃત્વમાં  પાકિસ્તાનની ઉશ્કેરણીનો ભારત સૈન્ય રીતે જવાબ આપશે તેવી આશંકા છે.




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.