પાકિસ્તાન ઉશ્કેરણી કરશે તો ભારત જડબાતોડ જવાબ આપશે, અમેરિકાના રિપોર્ટમાં દાવો


  • Published By :
  • Published Date : 2023-03-09 15:32:36

ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રવર્તતી તંગદીલીને લઈ અમેરિકાના ગુપ્તચર તંત્રએ મહત્વનો રિપોર્ટ રજુ કર્યો છે. આ રિપોર્ટ મુજબ જો પાકિસ્તાન તેના પાડોશી ભારતને ઉશ્કેરશે તો ભારતની વર્તમાન મોદી સરકાર સેનાની મદદથી જવાબ આપશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.


રિપોર્ટ કોંગ્રેસ સમક્ષ રજુ કરાયો


અમેરિકાના જાસુસી  તંત્રએ તૈયાર કરેલા આ રિપોર્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તંગદીલીનું આંકલન કરવામાં આવ્યું છે. અમેરિકાની કોંગ્રેસ સમક્ષ રજુ કરાયેલા આ રિપોર્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 2020માં થયેલા સંઘર્ષને ધ્યાનમાં રાખીએ તો સંબંધો તણાવપુર્ણ રહેશે. આ ઘટના બાદ બંને વચ્ચે સંબંધો ગંભીર સ્તર પર છે. 


સંઘર્ષ વધી શકે છે


આ ગુપ્ત રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે બંને પરમાણું શક્તિઓ વચ્ચે શસસ્ત્ર જોખમ વધી શકે છે. જેમાં અમેરિકાના લોકો અને હિતોને સીધુ નુકસાન થઈ શકે છે. આ રિપોર્ટમાં પાકિસ્તાનમાં સક્રિય આતંકી સંગઠનો અંગે પણ કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનોનો લાંબો ઈતિહાસ રહ્યો છે. પીએમ મોદીના નેતૃત્વમાં  પાકિસ્તાનની ઉશ્કેરણીનો ભારત સૈન્ય રીતે જવાબ આપશે તેવી આશંકા છે.




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.