પાકિસ્તાન ઉશ્કેરણી કરશે તો ભારત જડબાતોડ જવાબ આપશે, અમેરિકાના રિપોર્ટમાં દાવો


  • Published By :
  • Published Date : 2023-03-09 15:32:36

ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રવર્તતી તંગદીલીને લઈ અમેરિકાના ગુપ્તચર તંત્રએ મહત્વનો રિપોર્ટ રજુ કર્યો છે. આ રિપોર્ટ મુજબ જો પાકિસ્તાન તેના પાડોશી ભારતને ઉશ્કેરશે તો ભારતની વર્તમાન મોદી સરકાર સેનાની મદદથી જવાબ આપશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.


રિપોર્ટ કોંગ્રેસ સમક્ષ રજુ કરાયો


અમેરિકાના જાસુસી  તંત્રએ તૈયાર કરેલા આ રિપોર્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તંગદીલીનું આંકલન કરવામાં આવ્યું છે. અમેરિકાની કોંગ્રેસ સમક્ષ રજુ કરાયેલા આ રિપોર્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 2020માં થયેલા સંઘર્ષને ધ્યાનમાં રાખીએ તો સંબંધો તણાવપુર્ણ રહેશે. આ ઘટના બાદ બંને વચ્ચે સંબંધો ગંભીર સ્તર પર છે. 


સંઘર્ષ વધી શકે છે


આ ગુપ્ત રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે બંને પરમાણું શક્તિઓ વચ્ચે શસસ્ત્ર જોખમ વધી શકે છે. જેમાં અમેરિકાના લોકો અને હિતોને સીધુ નુકસાન થઈ શકે છે. આ રિપોર્ટમાં પાકિસ્તાનમાં સક્રિય આતંકી સંગઠનો અંગે પણ કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનોનો લાંબો ઈતિહાસ રહ્યો છે. પીએમ મોદીના નેતૃત્વમાં  પાકિસ્તાનની ઉશ્કેરણીનો ભારત સૈન્ય રીતે જવાબ આપશે તેવી આશંકા છે.




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.