Loksabha Electionને લઈ Gujaratમાં પીએમ મોદી કરશે પ્રચાર, રાજકોટમાં સૌ પ્રથમ રેલી કરે તેવી શક્યતાઓ...


  • Published By :
  • Published Date : 2024-04-13 18:39:46

ગુજરાતમાં લોકસભા ચૂંટણી ત્રીજા તબક્કા અંતર્ગત યોજાવાની છે. 7 મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે. લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પ્રચારનો દોર પણ શરૂ થઈ ગયો છે. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં પ્રચાર માટે આવવાના છે. 20 એપ્રિલ બાદ ગુજરાતના પ્રવાસે પીએમ મોદી આવી શકે છે અને પહેલી જનસભા રાજકોટમાં કરી શકે છે તેવી માહિતી સામે આવી છે.


ભાજપના નેતાઓએ શરૂ કરી દીધો છે પ્રચાર 

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભાજપના નેતાઓ દ્વારા પ્રચારની શરૂઆત કરવામાં આવી ગઈ છે. અલગ અલગ બેઠકો પર ભાજપના નેતાઓ પ્રચાર કરી રહ્યા છે. સી.આર.પાટીલ, મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ છે તો બીજી તરફ ભાજપના નેતાઓ દ્વારા કરાતો પ્રચાર છે. 


20 એપ્રિલ બાદ ગુજરાત આવી શકે છે પીએમ મોદી 

ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં આવે છે. 26એ 26 લોકસભા બેઠકો ભાજપ પાસે છે. ત્યારે આ વખતે પણ 26 પર કમળ ખીલે તે માટે ભાજપ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. નરેન્દ્ર મોદી પણ 20 તારીખ બાદ ગુજરાતમાં પ્રચાર માટે આવવાના છે તેવી માહિતી સામે આવી છે. 22 એપ્રિલે રાજકોટ ખાતે પીએમ મોદી જનસભાને સંબોધી શકે છે તેવી માહિતી છે ઉપરાંત ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવશે તેવી માહિતી છે.


રાજકોટમાં પીએમ મોદી કરી શકે છે પ્રચાર!

પીએમ મોદી ગુજરાતમાં અનેક સભાઓ ગજવાના છે. ચારેય ઝોનમાં પ્રચાર કરી,સભાઓ કરી, રોડ શો કરી આખા ગુજરાતને કવર કરી શકે છે તેવી માહિતી સામે આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પીએમ મોદી પ્રચાર કરવાના છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. મહત્વનું છે કે રાજકોટમાં પીએમ મોદી પ્રચાર કરવાના છે તેની પર સૌ કોઈની નજર રહેલી છે. એક તરફ ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલતો વિવાદ છે તો બીજી તરફ પીએમ મોદી રાજકોટમાં પ્રચાર કરવા માટે આવી શકે છે. મહત્વનું છે કે આ વખતે ભાજપે 5 લાખની લીડ સાથે જીતશે તેવી આશા રાખી છે..  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.