Loksabha Electionને લઈ Gujaratમાં પીએમ મોદી કરશે પ્રચાર, રાજકોટમાં સૌ પ્રથમ રેલી કરે તેવી શક્યતાઓ...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-13 18:39:46

ગુજરાતમાં લોકસભા ચૂંટણી ત્રીજા તબક્કા અંતર્ગત યોજાવાની છે. 7 મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે. લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પ્રચારનો દોર પણ શરૂ થઈ ગયો છે. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં પ્રચાર માટે આવવાના છે. 20 એપ્રિલ બાદ ગુજરાતના પ્રવાસે પીએમ મોદી આવી શકે છે અને પહેલી જનસભા રાજકોટમાં કરી શકે છે તેવી માહિતી સામે આવી છે.


ભાજપના નેતાઓએ શરૂ કરી દીધો છે પ્રચાર 

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભાજપના નેતાઓ દ્વારા પ્રચારની શરૂઆત કરવામાં આવી ગઈ છે. અલગ અલગ બેઠકો પર ભાજપના નેતાઓ પ્રચાર કરી રહ્યા છે. સી.આર.પાટીલ, મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ છે તો બીજી તરફ ભાજપના નેતાઓ દ્વારા કરાતો પ્રચાર છે. 


20 એપ્રિલ બાદ ગુજરાત આવી શકે છે પીએમ મોદી 

ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં આવે છે. 26એ 26 લોકસભા બેઠકો ભાજપ પાસે છે. ત્યારે આ વખતે પણ 26 પર કમળ ખીલે તે માટે ભાજપ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. નરેન્દ્ર મોદી પણ 20 તારીખ બાદ ગુજરાતમાં પ્રચાર માટે આવવાના છે તેવી માહિતી સામે આવી છે. 22 એપ્રિલે રાજકોટ ખાતે પીએમ મોદી જનસભાને સંબોધી શકે છે તેવી માહિતી છે ઉપરાંત ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવશે તેવી માહિતી છે.


રાજકોટમાં પીએમ મોદી કરી શકે છે પ્રચાર!

પીએમ મોદી ગુજરાતમાં અનેક સભાઓ ગજવાના છે. ચારેય ઝોનમાં પ્રચાર કરી,સભાઓ કરી, રોડ શો કરી આખા ગુજરાતને કવર કરી શકે છે તેવી માહિતી સામે આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પીએમ મોદી પ્રચાર કરવાના છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. મહત્વનું છે કે રાજકોટમાં પીએમ મોદી પ્રચાર કરવાના છે તેની પર સૌ કોઈની નજર રહેલી છે. એક તરફ ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલતો વિવાદ છે તો બીજી તરફ પીએમ મોદી રાજકોટમાં પ્રચાર કરવા માટે આવી શકે છે. મહત્વનું છે કે આ વખતે ભાજપે 5 લાખની લીડ સાથે જીતશે તેવી આશા રાખી છે..  



જમાવટની ઈલેક્શન યાત્રા ગુજરાતના અનેક લોકસભા વિસ્તારોમાં ફરી રહી છે અને મતદાતાના મિજાજને જાણવાનો પ્રયત્ન કરી રહી છે. જમાવટ પોરબંદર પહોંચી હતી જ્યાં હાજર લોકોએ ચૂંટણીનું ગણિત સમજાવી દીધું...

રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા નિવેદન આપ્યું હતું જેને લઈ રાજકારણ ગરમાયું હતું. ક્ષત્રિય સમાજના લોકોમાં આક્રોશ જોવા મળ્યો. ત્યારે જામનગરના જામસાહેબે રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે..

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે... અનેક યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. ત્યારે મોરબીથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

ગુજરાતમાં આજે પીએમ મોદી આવ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદી પ્રચાર કરવાના છે.. જે બેઠકો પર વિખવાદ ચાલી રહ્યો છે તે બેઠકો પર પીએમ મોદી સભાને સંબોધવાના છે...