Loksabha Electionને લઈ Gujaratમાં પીએમ મોદી કરશે પ્રચાર, રાજકોટમાં સૌ પ્રથમ રેલી કરે તેવી શક્યતાઓ...


  • Published By :
  • Published Date : 2024-04-13 18:39:46

ગુજરાતમાં લોકસભા ચૂંટણી ત્રીજા તબક્કા અંતર્ગત યોજાવાની છે. 7 મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે. લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પ્રચારનો દોર પણ શરૂ થઈ ગયો છે. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં પ્રચાર માટે આવવાના છે. 20 એપ્રિલ બાદ ગુજરાતના પ્રવાસે પીએમ મોદી આવી શકે છે અને પહેલી જનસભા રાજકોટમાં કરી શકે છે તેવી માહિતી સામે આવી છે.


ભાજપના નેતાઓએ શરૂ કરી દીધો છે પ્રચાર 

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભાજપના નેતાઓ દ્વારા પ્રચારની શરૂઆત કરવામાં આવી ગઈ છે. અલગ અલગ બેઠકો પર ભાજપના નેતાઓ પ્રચાર કરી રહ્યા છે. સી.આર.પાટીલ, મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ છે તો બીજી તરફ ભાજપના નેતાઓ દ્વારા કરાતો પ્રચાર છે. 


20 એપ્રિલ બાદ ગુજરાત આવી શકે છે પીએમ મોદી 

ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં આવે છે. 26એ 26 લોકસભા બેઠકો ભાજપ પાસે છે. ત્યારે આ વખતે પણ 26 પર કમળ ખીલે તે માટે ભાજપ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. નરેન્દ્ર મોદી પણ 20 તારીખ બાદ ગુજરાતમાં પ્રચાર માટે આવવાના છે તેવી માહિતી સામે આવી છે. 22 એપ્રિલે રાજકોટ ખાતે પીએમ મોદી જનસભાને સંબોધી શકે છે તેવી માહિતી છે ઉપરાંત ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવશે તેવી માહિતી છે.


રાજકોટમાં પીએમ મોદી કરી શકે છે પ્રચાર!

પીએમ મોદી ગુજરાતમાં અનેક સભાઓ ગજવાના છે. ચારેય ઝોનમાં પ્રચાર કરી,સભાઓ કરી, રોડ શો કરી આખા ગુજરાતને કવર કરી શકે છે તેવી માહિતી સામે આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પીએમ મોદી પ્રચાર કરવાના છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. મહત્વનું છે કે રાજકોટમાં પીએમ મોદી પ્રચાર કરવાના છે તેની પર સૌ કોઈની નજર રહેલી છે. એક તરફ ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલતો વિવાદ છે તો બીજી તરફ પીએમ મોદી રાજકોટમાં પ્રચાર કરવા માટે આવી શકે છે. મહત્વનું છે કે આ વખતે ભાજપે 5 લાખની લીડ સાથે જીતશે તેવી આશા રાખી છે..  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે