મોરબી દુર્ઘટના પર મમતાએ PM મોદીની ટીકાનો કર્યો ઈન્કાર, કહ્યું આ કોઈ રાજકીય મુદ્દો નથી


  • Published By :
  • Published Date : 2022-11-02 21:29:50

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુજરાતના મોરબીમાં બ્રિજ દુર્ઘટના પર તેમની જ પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)થી અલગ વલણ અપનાવ્યું છે. જ્યારે TMCએ પુલ દુર્ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધું નિશાન સાધ્યું હતું, ત્યારે મમતા બેનર્જીએ બુધવારે પીએમની ટીકા કરવાનો ઈન્કાર કર્યો હતો. તેણીએ કહ્યું કે તે અકસ્માતમાં 130 થી વધુ લોકોના મૃત્યુને રાજકીય મુદ્દો બનાવવા માંગતી નથી.


શું કહ્યું પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ?


કોલકાતા એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતા મમતા બેનર્જીએ કહ્યું, 'હું વડાપ્રધાન મોદી પર કોઈ ટિપ્પણી કરીશ નહીં. ગુજરાત તેમનું રાજ્ય છે. આ એક દુ:ખદ ઘટના છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. આ કોઈ રાજકીય મુદ્દો નથી.


મોરબી જવા અંગે મમતા બેનર્જીએ કહ્યું કે, 'મારી મોરબી જવાની ઈચ્છા હતી, પરંતુ મેં તેમ ન કરવાનું નક્કી કર્યું છે. જો હું મોરબી જઈશ તો લોકો કહેશે કે હું રાજ્યમાં ચૂંટણી પહેલા રાજકારણ કરવા ગઈ હતી. આ ઘટના માટે જવાબદારી નક્કી થવી જોઈએ. બ્રિટિશ જમાનાના પુલની જાળવણી માટેની ટેન્ડર પ્રક્રિયાની ચકાસણી થવી જોઈએ. ફિટનેસ સર્ટિફિકેટ વગર બ્રિજ ખુલ્લો મુકાયો હતો. આ માનવ જીવન સાથે રમત છે.


મમતાએ ન્યાયિક તપાસની માંગ કરી


બંગાળના મુખ્યમંત્રીએ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ મોરબી બ્રિજ દુર્ઘટનાની ન્યાયિક તપાસની માંગ કરી હતી. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) શા માટે આ દુર્ઘટનાની તપાસ નથી કરી રહી? એજન્સીઓ હંમેશા સામાન્ય લોકોની પાછળ પડી જાય છે. મમતા બેનર્જીનો આ ઈશારો તેમની પાર્ટીના ઘણા નેતાઓની સામે ચાલી રહેલી તપાસ અંગે હતો. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે