મોરબી દુર્ઘટના પર મમતાએ PM મોદીની ટીકાનો કર્યો ઈન્કાર, કહ્યું આ કોઈ રાજકીય મુદ્દો નથી


  • Published By :
  • Published Date : 2022-11-02 21:29:50

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુજરાતના મોરબીમાં બ્રિજ દુર્ઘટના પર તેમની જ પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)થી અલગ વલણ અપનાવ્યું છે. જ્યારે TMCએ પુલ દુર્ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધું નિશાન સાધ્યું હતું, ત્યારે મમતા બેનર્જીએ બુધવારે પીએમની ટીકા કરવાનો ઈન્કાર કર્યો હતો. તેણીએ કહ્યું કે તે અકસ્માતમાં 130 થી વધુ લોકોના મૃત્યુને રાજકીય મુદ્દો બનાવવા માંગતી નથી.


શું કહ્યું પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ?


કોલકાતા એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતા મમતા બેનર્જીએ કહ્યું, 'હું વડાપ્રધાન મોદી પર કોઈ ટિપ્પણી કરીશ નહીં. ગુજરાત તેમનું રાજ્ય છે. આ એક દુ:ખદ ઘટના છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. આ કોઈ રાજકીય મુદ્દો નથી.


મોરબી જવા અંગે મમતા બેનર્જીએ કહ્યું કે, 'મારી મોરબી જવાની ઈચ્છા હતી, પરંતુ મેં તેમ ન કરવાનું નક્કી કર્યું છે. જો હું મોરબી જઈશ તો લોકો કહેશે કે હું રાજ્યમાં ચૂંટણી પહેલા રાજકારણ કરવા ગઈ હતી. આ ઘટના માટે જવાબદારી નક્કી થવી જોઈએ. બ્રિટિશ જમાનાના પુલની જાળવણી માટેની ટેન્ડર પ્રક્રિયાની ચકાસણી થવી જોઈએ. ફિટનેસ સર્ટિફિકેટ વગર બ્રિજ ખુલ્લો મુકાયો હતો. આ માનવ જીવન સાથે રમત છે.


મમતાએ ન્યાયિક તપાસની માંગ કરી


બંગાળના મુખ્યમંત્રીએ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ મોરબી બ્રિજ દુર્ઘટનાની ન્યાયિક તપાસની માંગ કરી હતી. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) શા માટે આ દુર્ઘટનાની તપાસ નથી કરી રહી? એજન્સીઓ હંમેશા સામાન્ય લોકોની પાછળ પડી જાય છે. મમતા બેનર્જીનો આ ઈશારો તેમની પાર્ટીના ઘણા નેતાઓની સામે ચાલી રહેલી તપાસ અંગે હતો. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.