મોરબી દુર્ઘટના પર મમતાએ PM મોદીની ટીકાનો કર્યો ઈન્કાર, કહ્યું આ કોઈ રાજકીય મુદ્દો નથી


  • Published By :
  • Published Date : 2022-11-02 21:29:50

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુજરાતના મોરબીમાં બ્રિજ દુર્ઘટના પર તેમની જ પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)થી અલગ વલણ અપનાવ્યું છે. જ્યારે TMCએ પુલ દુર્ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધું નિશાન સાધ્યું હતું, ત્યારે મમતા બેનર્જીએ બુધવારે પીએમની ટીકા કરવાનો ઈન્કાર કર્યો હતો. તેણીએ કહ્યું કે તે અકસ્માતમાં 130 થી વધુ લોકોના મૃત્યુને રાજકીય મુદ્દો બનાવવા માંગતી નથી.


શું કહ્યું પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ?


કોલકાતા એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતા મમતા બેનર્જીએ કહ્યું, 'હું વડાપ્રધાન મોદી પર કોઈ ટિપ્પણી કરીશ નહીં. ગુજરાત તેમનું રાજ્ય છે. આ એક દુ:ખદ ઘટના છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. આ કોઈ રાજકીય મુદ્દો નથી.


મોરબી જવા અંગે મમતા બેનર્જીએ કહ્યું કે, 'મારી મોરબી જવાની ઈચ્છા હતી, પરંતુ મેં તેમ ન કરવાનું નક્કી કર્યું છે. જો હું મોરબી જઈશ તો લોકો કહેશે કે હું રાજ્યમાં ચૂંટણી પહેલા રાજકારણ કરવા ગઈ હતી. આ ઘટના માટે જવાબદારી નક્કી થવી જોઈએ. બ્રિટિશ જમાનાના પુલની જાળવણી માટેની ટેન્ડર પ્રક્રિયાની ચકાસણી થવી જોઈએ. ફિટનેસ સર્ટિફિકેટ વગર બ્રિજ ખુલ્લો મુકાયો હતો. આ માનવ જીવન સાથે રમત છે.


મમતાએ ન્યાયિક તપાસની માંગ કરી


બંગાળના મુખ્યમંત્રીએ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ મોરબી બ્રિજ દુર્ઘટનાની ન્યાયિક તપાસની માંગ કરી હતી. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) શા માટે આ દુર્ઘટનાની તપાસ નથી કરી રહી? એજન્સીઓ હંમેશા સામાન્ય લોકોની પાછળ પડી જાય છે. મમતા બેનર્જીનો આ ઈશારો તેમની પાર્ટીના ઘણા નેતાઓની સામે ચાલી રહેલી તપાસ અંગે હતો. 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.