મોરબી દુર્ઘટના પર મમતાએ PM મોદીની ટીકાનો કર્યો ઈન્કાર, કહ્યું આ કોઈ રાજકીય મુદ્દો નથી


  • Published By :
  • Published Date : 2022-11-02 21:29:50

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુજરાતના મોરબીમાં બ્રિજ દુર્ઘટના પર તેમની જ પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)થી અલગ વલણ અપનાવ્યું છે. જ્યારે TMCએ પુલ દુર્ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધું નિશાન સાધ્યું હતું, ત્યારે મમતા બેનર્જીએ બુધવારે પીએમની ટીકા કરવાનો ઈન્કાર કર્યો હતો. તેણીએ કહ્યું કે તે અકસ્માતમાં 130 થી વધુ લોકોના મૃત્યુને રાજકીય મુદ્દો બનાવવા માંગતી નથી.


શું કહ્યું પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ?


કોલકાતા એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતા મમતા બેનર્જીએ કહ્યું, 'હું વડાપ્રધાન મોદી પર કોઈ ટિપ્પણી કરીશ નહીં. ગુજરાત તેમનું રાજ્ય છે. આ એક દુ:ખદ ઘટના છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. આ કોઈ રાજકીય મુદ્દો નથી.


મોરબી જવા અંગે મમતા બેનર્જીએ કહ્યું કે, 'મારી મોરબી જવાની ઈચ્છા હતી, પરંતુ મેં તેમ ન કરવાનું નક્કી કર્યું છે. જો હું મોરબી જઈશ તો લોકો કહેશે કે હું રાજ્યમાં ચૂંટણી પહેલા રાજકારણ કરવા ગઈ હતી. આ ઘટના માટે જવાબદારી નક્કી થવી જોઈએ. બ્રિટિશ જમાનાના પુલની જાળવણી માટેની ટેન્ડર પ્રક્રિયાની ચકાસણી થવી જોઈએ. ફિટનેસ સર્ટિફિકેટ વગર બ્રિજ ખુલ્લો મુકાયો હતો. આ માનવ જીવન સાથે રમત છે.


મમતાએ ન્યાયિક તપાસની માંગ કરી


બંગાળના મુખ્યમંત્રીએ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ મોરબી બ્રિજ દુર્ઘટનાની ન્યાયિક તપાસની માંગ કરી હતી. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) શા માટે આ દુર્ઘટનાની તપાસ નથી કરી રહી? એજન્સીઓ હંમેશા સામાન્ય લોકોની પાછળ પડી જાય છે. મમતા બેનર્જીનો આ ઈશારો તેમની પાર્ટીના ઘણા નેતાઓની સામે ચાલી રહેલી તપાસ અંગે હતો. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.