જામનગર રોડ શોમાં જોવા મળી પીએમની સાદગી, જેને જીતી લીધું તમામ લોકોનું દિલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 10:08:13

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે. ત્યારે અનેક દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે તેમના પ્રવાસો ત્રીજો અને અંતિમ દિવસે છે. જામનગર ખાતે તેમણે ભવ્ય રોડ-શોનું આયોજન કર્યું હતું. રોડ શોમાં મોટી જનમેદની ઉમટી હતી. પરંતુ રોડ શો દરમિયાન એક દ્રશ્યએ લોકોનું દિલ જીતી લીધું. રોડ શો દરમિયાન એક ચાહકે પીએમ મોદીને હીરા બાની પેઈન્ટિંગ પીએમ મોદીને ભેટમાં આપી હતી. 

વડાપ્રધાન મોદીના જામનગર રોડ-શોની તસવીરો 

વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટીઓના કદાવર નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન મોદી ગુજરાત આવ્યા છે. ચૂંટણી નજીક આવતા તેમના ગુજરાત પ્રવાસ વધી ગયા છે. 3 દિવસના ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાને અનેક જનસભા સંબોધી છે તેમજ અનેક કાર્યોનું લોકાર્પણ કર્યું છે. પ્રવાસના બીજા દિવસે જામનગર ખાતે ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. રોડ-શો દરમિયાન વડાપ્રધાન મોદીએ પ્રોટોકોલ તોડી ચાહકને મળ્યા હતા. પીએમ મોદીના એક ચાહકે તેમને હીરાબાની પેઈન્ટિંગ ભેટ  આપી, ઉપરાંત હીરાબાની પેઈન્ટિંગ ઉપર સાઈન પણ કરી હતી.    





ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.