જામનગર રોડ શોમાં જોવા મળી પીએમની સાદગી, જેને જીતી લીધું તમામ લોકોનું દિલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 10:08:13

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે. ત્યારે અનેક દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે તેમના પ્રવાસો ત્રીજો અને અંતિમ દિવસે છે. જામનગર ખાતે તેમણે ભવ્ય રોડ-શોનું આયોજન કર્યું હતું. રોડ શોમાં મોટી જનમેદની ઉમટી હતી. પરંતુ રોડ શો દરમિયાન એક દ્રશ્યએ લોકોનું દિલ જીતી લીધું. રોડ શો દરમિયાન એક ચાહકે પીએમ મોદીને હીરા બાની પેઈન્ટિંગ પીએમ મોદીને ભેટમાં આપી હતી. 

વડાપ્રધાન મોદીના જામનગર રોડ-શોની તસવીરો 

વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટીઓના કદાવર નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન મોદી ગુજરાત આવ્યા છે. ચૂંટણી નજીક આવતા તેમના ગુજરાત પ્રવાસ વધી ગયા છે. 3 દિવસના ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાને અનેક જનસભા સંબોધી છે તેમજ અનેક કાર્યોનું લોકાર્પણ કર્યું છે. પ્રવાસના બીજા દિવસે જામનગર ખાતે ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. રોડ-શો દરમિયાન વડાપ્રધાન મોદીએ પ્રોટોકોલ તોડી ચાહકને મળ્યા હતા. પીએમ મોદીના એક ચાહકે તેમને હીરાબાની પેઈન્ટિંગ ભેટ  આપી, ઉપરાંત હીરાબાની પેઈન્ટિંગ ઉપર સાઈન પણ કરી હતી.    





થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .