જામનગર રોડ શોમાં જોવા મળી પીએમની સાદગી, જેને જીતી લીધું તમામ લોકોનું દિલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 10:08:13

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે. ત્યારે અનેક દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે તેમના પ્રવાસો ત્રીજો અને અંતિમ દિવસે છે. જામનગર ખાતે તેમણે ભવ્ય રોડ-શોનું આયોજન કર્યું હતું. રોડ શોમાં મોટી જનમેદની ઉમટી હતી. પરંતુ રોડ શો દરમિયાન એક દ્રશ્યએ લોકોનું દિલ જીતી લીધું. રોડ શો દરમિયાન એક ચાહકે પીએમ મોદીને હીરા બાની પેઈન્ટિંગ પીએમ મોદીને ભેટમાં આપી હતી. 

વડાપ્રધાન મોદીના જામનગર રોડ-શોની તસવીરો 

વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટીઓના કદાવર નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન મોદી ગુજરાત આવ્યા છે. ચૂંટણી નજીક આવતા તેમના ગુજરાત પ્રવાસ વધી ગયા છે. 3 દિવસના ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાને અનેક જનસભા સંબોધી છે તેમજ અનેક કાર્યોનું લોકાર્પણ કર્યું છે. પ્રવાસના બીજા દિવસે જામનગર ખાતે ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. રોડ-શો દરમિયાન વડાપ્રધાન મોદીએ પ્રોટોકોલ તોડી ચાહકને મળ્યા હતા. પીએમ મોદીના એક ચાહકે તેમને હીરાબાની પેઈન્ટિંગ ભેટ  આપી, ઉપરાંત હીરાબાની પેઈન્ટિંગ ઉપર સાઈન પણ કરી હતી.    





જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.