પહેલીવાર POCSO એક્ટમાં છોકરીને 10 વર્ષની સજા, ઈન્દોરની કોર્ટે આપ્યો ચુકાદો, જાણો મામલો


  • Published By :
  • Published Date : 2023-03-16 21:58:41

મધ્યપ્રદેશના ઈન્દોરમાં કોર્ટે એક છોકરીને પોક્સો એક્ટ હેઠળ દોષિત ઠેરવીને સજા સંભળાવી છે. કોર્ટે સગીર છોકરાના શારીરિક શોષણ માટે પોક્સો એક્ટ હેઠળ કોઈ છોકરીને સજા સંભળાવી હોય તેવું પહેલીવાર બન્યું છે. આ કેસ સગીર છોકરાના શારીરિક શોષણનો છે. પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી કરતા ઇન્દોર જિલ્લા કોર્ટે આરોપી યુવતીને સજા સંભળાવી છે. આરોપી યુવતીની ઉંમર 19 વર્ષ છે. કહેવામાં આવી રહ્યું છે કે માસૂમને ઘરેથી બીજા રાજ્યમાં લઈ જવામાં આવ્યો હતો.


યુવતી સગીરને ગુજરાત લાવી હતી


પોલીસની પૂછપરછમાં તેમને સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીડિતાએ જણાવ્યું કે યુવતી વર્ષ 2018માં ફરવા જવાના બહાને તે સગીર યુવકને પોતાની સાથે ગુજરાત લઈ ગઈ હતી. ત્યાં યુવતીએ તેને ઘણી વખત શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. તે સગીર યુવક માતા-પિતા સાથે વાત ન કરી શકે તે માટે ફોન પણ તે યુવતીએ પોતાની પાસે લઈ લીધો હતો. 


POCSO એક્ટ શું છે?


કોઈપણ સગીર એટલે કે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકનું શારીરિક શોષણ POCSO એક્ટના દાયરામાં આવે છે. આ કાયદો સગીર છોકરાઓ અને છોકરીઓ બંનેને રક્ષણ આપે છે. આવા કેસની સુનાવણી સ્પેશિયલ કોર્ટમાં થાય છે. POCSO એક્ટ હેઠળ, બાળકોને જાતીય હુમલો, જાતીય સતામણી અને પોર્નોગ્રાફી જેવા ગુનાઓથી સુરક્ષા આપવામાં આવી છે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.