પહેલીવાર POCSO એક્ટમાં છોકરીને 10 વર્ષની સજા, ઈન્દોરની કોર્ટે આપ્યો ચુકાદો, જાણો મામલો


  • Published By :
  • Published Date : 2023-03-16 21:58:41

મધ્યપ્રદેશના ઈન્દોરમાં કોર્ટે એક છોકરીને પોક્સો એક્ટ હેઠળ દોષિત ઠેરવીને સજા સંભળાવી છે. કોર્ટે સગીર છોકરાના શારીરિક શોષણ માટે પોક્સો એક્ટ હેઠળ કોઈ છોકરીને સજા સંભળાવી હોય તેવું પહેલીવાર બન્યું છે. આ કેસ સગીર છોકરાના શારીરિક શોષણનો છે. પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી કરતા ઇન્દોર જિલ્લા કોર્ટે આરોપી યુવતીને સજા સંભળાવી છે. આરોપી યુવતીની ઉંમર 19 વર્ષ છે. કહેવામાં આવી રહ્યું છે કે માસૂમને ઘરેથી બીજા રાજ્યમાં લઈ જવામાં આવ્યો હતો.


યુવતી સગીરને ગુજરાત લાવી હતી


પોલીસની પૂછપરછમાં તેમને સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીડિતાએ જણાવ્યું કે યુવતી વર્ષ 2018માં ફરવા જવાના બહાને તે સગીર યુવકને પોતાની સાથે ગુજરાત લઈ ગઈ હતી. ત્યાં યુવતીએ તેને ઘણી વખત શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. તે સગીર યુવક માતા-પિતા સાથે વાત ન કરી શકે તે માટે ફોન પણ તે યુવતીએ પોતાની પાસે લઈ લીધો હતો. 


POCSO એક્ટ શું છે?


કોઈપણ સગીર એટલે કે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકનું શારીરિક શોષણ POCSO એક્ટના દાયરામાં આવે છે. આ કાયદો સગીર છોકરાઓ અને છોકરીઓ બંનેને રક્ષણ આપે છે. આવા કેસની સુનાવણી સ્પેશિયલ કોર્ટમાં થાય છે. POCSO એક્ટ હેઠળ, બાળકોને જાતીય હુમલો, જાતીય સતામણી અને પોર્નોગ્રાફી જેવા ગુનાઓથી સુરક્ષા આપવામાં આવી છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.