રાજ્યમાં છેલ્લા 8 વર્ષમાં પોક્સો હેઠળ 14,522 ગુના, સજાનો દર માત્ર 1.59 ટકા


  • Published By :
  • Published Date : 2023-02-19 19:00:57

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતીને લઈ કોંગ્રેસે રાજ્યની ભાજપની સરકાર પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા છે. આજે રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ મીડિયાને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ સરકારની નીતિ ઉપર સવાલ ઉઠાવતા, લોકસભામાં રજુ કરવામાં આવેલા ચોંકાવનારા આંકડાને લઈ સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. 


પોકસો કેસમાં 395.5% નો વધારો


ગુજરાતમાં પોક્સો કાયદા હેઠળ નોંધાયેલા ગુના અંગે લોકસભામાં રજુ કરવામાં આવેલા આકડાંનો આધાર લઈ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે રાજ્ય સરકાર બેન-દીકરીઓની સુરક્ષામાં નિષ્ફળ રહી ​​​​​​છે. આંકડા પ્રમાણે પોકસો કાયદા હેઠળ ગુજરાતમાં વર્ષ 2014થી 2021 દરમિયાન 14,522 કેસ નોંધાયા હતા. વર્ષ 2014થી 2021 સુધીમાં પોકસો કેસમાં 395.5% નો વધારો થયો છે. જો કે સજાનો દર માત્ર 1.59 ટકા જ છે. પોક્સો કેસમાં માત્ર 231 કેસમાં જ ગુના પુરવાર થઇ શક્યા છે, જ્યારે 12,647 કેસ હજુ પણ પેન્ડિંગ છે. વર્ષ 2014માં પોકસો હેઠળ 613 ગુના નોંધાયા હતા, જેમાં 5 કેસમાં સજા થઈ હતી. વર્ષ 2020માં સૌથી વધુ 2345 પોક્સો કેસ નોંધાયા હતા, જેમાં 23 કેસમાં જ સજા થઈ હતી. તે જ પ્રકારે વર્ષ 2021માં પોક્સો કેસમાં 71 કેસમાં સજા થઈ હતી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.