રાજ્યમાં છેલ્લા 8 વર્ષમાં પોક્સો હેઠળ 14,522 ગુના, સજાનો દર માત્ર 1.59 ટકા


  • Published By :
  • Published Date : 2023-02-19 19:00:57

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતીને લઈ કોંગ્રેસે રાજ્યની ભાજપની સરકાર પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા છે. આજે રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ મીડિયાને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ સરકારની નીતિ ઉપર સવાલ ઉઠાવતા, લોકસભામાં રજુ કરવામાં આવેલા ચોંકાવનારા આંકડાને લઈ સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. 


પોકસો કેસમાં 395.5% નો વધારો


ગુજરાતમાં પોક્સો કાયદા હેઠળ નોંધાયેલા ગુના અંગે લોકસભામાં રજુ કરવામાં આવેલા આકડાંનો આધાર લઈ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે રાજ્ય સરકાર બેન-દીકરીઓની સુરક્ષામાં નિષ્ફળ રહી ​​​​​​છે. આંકડા પ્રમાણે પોકસો કાયદા હેઠળ ગુજરાતમાં વર્ષ 2014થી 2021 દરમિયાન 14,522 કેસ નોંધાયા હતા. વર્ષ 2014થી 2021 સુધીમાં પોકસો કેસમાં 395.5% નો વધારો થયો છે. જો કે સજાનો દર માત્ર 1.59 ટકા જ છે. પોક્સો કેસમાં માત્ર 231 કેસમાં જ ગુના પુરવાર થઇ શક્યા છે, જ્યારે 12,647 કેસ હજુ પણ પેન્ડિંગ છે. વર્ષ 2014માં પોકસો હેઠળ 613 ગુના નોંધાયા હતા, જેમાં 5 કેસમાં સજા થઈ હતી. વર્ષ 2020માં સૌથી વધુ 2345 પોક્સો કેસ નોંધાયા હતા, જેમાં 23 કેસમાં જ સજા થઈ હતી. તે જ પ્રકારે વર્ષ 2021માં પોક્સો કેસમાં 71 કેસમાં સજા થઈ હતી.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.