રાજ્યમાં છેલ્લા 8 વર્ષમાં પોક્સો હેઠળ 14,522 ગુના, સજાનો દર માત્ર 1.59 ટકા


  • Published By :
  • Published Date : 2023-02-19 19:00:57

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતીને લઈ કોંગ્રેસે રાજ્યની ભાજપની સરકાર પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા છે. આજે રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ મીડિયાને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ સરકારની નીતિ ઉપર સવાલ ઉઠાવતા, લોકસભામાં રજુ કરવામાં આવેલા ચોંકાવનારા આંકડાને લઈ સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. 


પોકસો કેસમાં 395.5% નો વધારો


ગુજરાતમાં પોક્સો કાયદા હેઠળ નોંધાયેલા ગુના અંગે લોકસભામાં રજુ કરવામાં આવેલા આકડાંનો આધાર લઈ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે રાજ્ય સરકાર બેન-દીકરીઓની સુરક્ષામાં નિષ્ફળ રહી ​​​​​​છે. આંકડા પ્રમાણે પોકસો કાયદા હેઠળ ગુજરાતમાં વર્ષ 2014થી 2021 દરમિયાન 14,522 કેસ નોંધાયા હતા. વર્ષ 2014થી 2021 સુધીમાં પોકસો કેસમાં 395.5% નો વધારો થયો છે. જો કે સજાનો દર માત્ર 1.59 ટકા જ છે. પોક્સો કેસમાં માત્ર 231 કેસમાં જ ગુના પુરવાર થઇ શક્યા છે, જ્યારે 12,647 કેસ હજુ પણ પેન્ડિંગ છે. વર્ષ 2014માં પોકસો હેઠળ 613 ગુના નોંધાયા હતા, જેમાં 5 કેસમાં સજા થઈ હતી. વર્ષ 2020માં સૌથી વધુ 2345 પોક્સો કેસ નોંધાયા હતા, જેમાં 23 કેસમાં જ સજા થઈ હતી. તે જ પ્રકારે વર્ષ 2021માં પોક્સો કેસમાં 71 કેસમાં સજા થઈ હતી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.