પોલીસે ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈ શાલીગ્રામની કરી ધરપકડ, લગ્ન સમારોહમાં દલિત પરિવારને ધમકાવવાનો વીડિયો થયો હતો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-03-02 18:18:21

ઘણા સમયથી બાબા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ચર્ચામાં છે. ત્યારે થોડા સમય પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈ શાલિગ્રામનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેમના ભાઈ શાલિગ્રામએ દલિત પરિવારના પ્રસંગમાં ભારે હોબાળો કર્યો હતો. પરિવારને ધમકાવ્યો હતો અને મારામારી પણ કરી હતી. તે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે બાદ પોલીસે આજે કાર્યવાહી કરી છે અને શાલિગ્રાની ધરપકડ કરી લેવામાં આવી છે. 


દલિત પરિવારને ધમકાવતો વીડિયો થયો હતો વાયરલ 

થોડા સમય પહેલા એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈ દલિત પરિવારને ધમકાવતા જોવા મળે છે. હાથમાં પિસ્તોલ અને મોઢામાં સિગરેટ રાખીને ધમકાવતો વીડિયો સામે આવ્યો છે. વીડિયો સામે આવતા શાલીગ્રામ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માગ ઉઠી હતી. વિવાદ સામે આવતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમના ભાઈ સાથે સંબંધ કાપી નાખ્યા હતા. 


પોલીસે કરી શાલીગ્રામની ધરપકડ 

વાયરલ થયેલા વીડિયોની સત્યતા પોલીસે તપાસી જે બાદ પોલીસે ફરિયાદ નોંધી હતી. આ મામલે છતરપુરના એસપીનું નિવેદન આવ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે પોલીસ આ કેસમાં ટૂંક સમયમાં જ કેસ કરશે. હવે જ્યારે શાલીગ્રામની ધરપકડ થઈ ગઈ છે તો હવે આ મામલે આગળ શું કાર્યવાહી થશે તેની પર બધાની નજર છે. શાલીગ્રામને કડકમાં કડક સજા થાય તેવી માગ કરવામાં આવી રહી છે.  




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.