પોલીસે ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈ શાલીગ્રામની કરી ધરપકડ, લગ્ન સમારોહમાં દલિત પરિવારને ધમકાવવાનો વીડિયો થયો હતો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-03-02 18:18:21

ઘણા સમયથી બાબા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ચર્ચામાં છે. ત્યારે થોડા સમય પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈ શાલિગ્રામનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેમના ભાઈ શાલિગ્રામએ દલિત પરિવારના પ્રસંગમાં ભારે હોબાળો કર્યો હતો. પરિવારને ધમકાવ્યો હતો અને મારામારી પણ કરી હતી. તે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે બાદ પોલીસે આજે કાર્યવાહી કરી છે અને શાલિગ્રાની ધરપકડ કરી લેવામાં આવી છે. 


દલિત પરિવારને ધમકાવતો વીડિયો થયો હતો વાયરલ 

થોડા સમય પહેલા એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈ દલિત પરિવારને ધમકાવતા જોવા મળે છે. હાથમાં પિસ્તોલ અને મોઢામાં સિગરેટ રાખીને ધમકાવતો વીડિયો સામે આવ્યો છે. વીડિયો સામે આવતા શાલીગ્રામ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માગ ઉઠી હતી. વિવાદ સામે આવતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમના ભાઈ સાથે સંબંધ કાપી નાખ્યા હતા. 


પોલીસે કરી શાલીગ્રામની ધરપકડ 

વાયરલ થયેલા વીડિયોની સત્યતા પોલીસે તપાસી જે બાદ પોલીસે ફરિયાદ નોંધી હતી. આ મામલે છતરપુરના એસપીનું નિવેદન આવ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે પોલીસ આ કેસમાં ટૂંક સમયમાં જ કેસ કરશે. હવે જ્યારે શાલીગ્રામની ધરપકડ થઈ ગઈ છે તો હવે આ મામલે આગળ શું કાર્યવાહી થશે તેની પર બધાની નજર છે. શાલીગ્રામને કડકમાં કડક સજા થાય તેવી માગ કરવામાં આવી રહી છે.  




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.