પોલીસે ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈ શાલીગ્રામની કરી ધરપકડ, લગ્ન સમારોહમાં દલિત પરિવારને ધમકાવવાનો વીડિયો થયો હતો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-03-02 18:18:21

ઘણા સમયથી બાબા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ચર્ચામાં છે. ત્યારે થોડા સમય પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈ શાલિગ્રામનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેમના ભાઈ શાલિગ્રામએ દલિત પરિવારના પ્રસંગમાં ભારે હોબાળો કર્યો હતો. પરિવારને ધમકાવ્યો હતો અને મારામારી પણ કરી હતી. તે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે બાદ પોલીસે આજે કાર્યવાહી કરી છે અને શાલિગ્રાની ધરપકડ કરી લેવામાં આવી છે. 


દલિત પરિવારને ધમકાવતો વીડિયો થયો હતો વાયરલ 

થોડા સમય પહેલા એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈ દલિત પરિવારને ધમકાવતા જોવા મળે છે. હાથમાં પિસ્તોલ અને મોઢામાં સિગરેટ રાખીને ધમકાવતો વીડિયો સામે આવ્યો છે. વીડિયો સામે આવતા શાલીગ્રામ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માગ ઉઠી હતી. વિવાદ સામે આવતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમના ભાઈ સાથે સંબંધ કાપી નાખ્યા હતા. 


પોલીસે કરી શાલીગ્રામની ધરપકડ 

વાયરલ થયેલા વીડિયોની સત્યતા પોલીસે તપાસી જે બાદ પોલીસે ફરિયાદ નોંધી હતી. આ મામલે છતરપુરના એસપીનું નિવેદન આવ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે પોલીસ આ કેસમાં ટૂંક સમયમાં જ કેસ કરશે. હવે જ્યારે શાલીગ્રામની ધરપકડ થઈ ગઈ છે તો હવે આ મામલે આગળ શું કાર્યવાહી થશે તેની પર બધાની નજર છે. શાલીગ્રામને કડકમાં કડક સજા થાય તેવી માગ કરવામાં આવી રહી છે.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.