પોલીસે ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈ શાલીગ્રામની કરી ધરપકડ, લગ્ન સમારોહમાં દલિત પરિવારને ધમકાવવાનો વીડિયો થયો હતો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-03-02 18:18:21

ઘણા સમયથી બાબા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ચર્ચામાં છે. ત્યારે થોડા સમય પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈ શાલિગ્રામનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેમના ભાઈ શાલિગ્રામએ દલિત પરિવારના પ્રસંગમાં ભારે હોબાળો કર્યો હતો. પરિવારને ધમકાવ્યો હતો અને મારામારી પણ કરી હતી. તે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે બાદ પોલીસે આજે કાર્યવાહી કરી છે અને શાલિગ્રાની ધરપકડ કરી લેવામાં આવી છે. 


દલિત પરિવારને ધમકાવતો વીડિયો થયો હતો વાયરલ 

થોડા સમય પહેલા એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈ દલિત પરિવારને ધમકાવતા જોવા મળે છે. હાથમાં પિસ્તોલ અને મોઢામાં સિગરેટ રાખીને ધમકાવતો વીડિયો સામે આવ્યો છે. વીડિયો સામે આવતા શાલીગ્રામ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માગ ઉઠી હતી. વિવાદ સામે આવતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમના ભાઈ સાથે સંબંધ કાપી નાખ્યા હતા. 


પોલીસે કરી શાલીગ્રામની ધરપકડ 

વાયરલ થયેલા વીડિયોની સત્યતા પોલીસે તપાસી જે બાદ પોલીસે ફરિયાદ નોંધી હતી. આ મામલે છતરપુરના એસપીનું નિવેદન આવ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે પોલીસ આ કેસમાં ટૂંક સમયમાં જ કેસ કરશે. હવે જ્યારે શાલીગ્રામની ધરપકડ થઈ ગઈ છે તો હવે આ મામલે આગળ શું કાર્યવાહી થશે તેની પર બધાની નજર છે. શાલીગ્રામને કડકમાં કડક સજા થાય તેવી માગ કરવામાં આવી રહી છે.  




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.