Ahmedabadમાં પોલીસે પકડી પાડ્યું હાઈપ્રોફાઈલ જુગારધામ, જુગાર રમતા લોકોમાં નિવૃત્ત એડિશનલ DGPના પુત્રનો પણ સમાવેશ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-08 15:18:37

છેલ્લા ઘણા સમયથી ગુજરાત પોલીસ એક્ટિવ મોડમાં દેખાઈ રહી છે. અલગ અલગ સ્થળો પર રેડ પાડવામાં આવી રહી છે. ત્યારે તાજેતરમાં જ પોલીસે હાઈપ્રોફાઈલ જુગારધામ પકડી પાડ્યું છે. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી માન રેસીડન્સીમાં પોલીસે રેડ કરી હતી અને અનેક લોકોને પકડી પાડ્યા હતા. ઝડપી પાડવામાં આવેલા લોકોમાં નિવૃત્ત એડિશનલ ડીજીપીનો પુત્ર પણ સામેલ હોવાની માહિતી સામે આવી હતી. નિવૃત્ત ડીજીપીના પુત્રનો સામેલ હોવાનું સામે આવ્યું છે.   


જુગાર રમતા લોકોમાં પૂર્વ ADGPના પુત્રનો પણ સમાવેશ 

શ્રાવણ મહિનામાં અને તેમાં પણ સાતમ આઠમ દરમિયાન લોકો જુગાર રમતા જોવા મળતા હોય છે. જુગારીઓને રંગેહાથ પકડવા માટે પોલીસ અનેક જગ્યાઓ પર રેડ પાડતી હોય છે. થોડા દિવસ પહેલા થલતેજમાં ન્યુયોર્ક ટાવરમાંથી પોલીસે રેડ કરી હાઈપ્રોફાઈલ જુગારધામ પકડી પાડ્યું હતું. એ જુગારધામમાં અનેક લોકોને પકડી પાડવામાં આવ્યા હતા. 3 લાખ કરતા વધારેનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે ગઈકાલે ફરી એક જુગારધામ પોલીસે ઝડપી પાડ્યો છે. અમદાવાદની હોટલમાં જુગારધામ ચાલતું હતું. પોલીસે દરોડા પાડ્યા અને લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ રેડમાં પોલીસે 9 લોકોને ઝડપી પાડ્યા છે અને આ પકડાયેલા લોકોમાં નિવૃત્ત એડીજીપીના પુત્રનો સમાવેશ થાય છે. 


અનેક જગ્યાઓ પર પોલીસે પાડી છે રેડ   

પોલીસને બાતમી મળી હતી કે અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી માન રેસીડન્સી હોટલમાં જુગારધામ ચાલી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી. લાખોનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. આખી ઘટનામાં મુખ્ય વાત તો એ હતી જેટલા લોકો જુગાર રમતા પકડાયા છે તેમાં એક નિવૃત્ત એડિશનલ ડીજીપીના પુત્રનો પણ સમાવેશ થાય છે. મહત્વનું છે કે છેલ્લા થોડા સમયથી આવા અનેક જુગારધામો સામે આવી રહ્યા છે. શહેરમાં થતી ગેરકાયદેસર ગતિવિધીને રોકવા, અસામાજીક તત્વો પર રોક લગાવવા માટે પોલીસ કમિશનર એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે. પોલીસ દ્વારા કરવામાં આવતી આવી કાર્યવાહી કરતા સામાન્ય લોકોમાં તો ફફડાટ જોવા મળી રહ્યો છે પરંતુ હવે તો પોલીસ બેડામાં પણ ફફડાટ વ્યાપી ઉઠ્યો છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.