Ahmedabadમાં પોલીસે પકડી પાડ્યું હાઈપ્રોફાઈલ જુગારધામ, જુગાર રમતા લોકોમાં નિવૃત્ત એડિશનલ DGPના પુત્રનો પણ સમાવેશ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-08 15:18:37

છેલ્લા ઘણા સમયથી ગુજરાત પોલીસ એક્ટિવ મોડમાં દેખાઈ રહી છે. અલગ અલગ સ્થળો પર રેડ પાડવામાં આવી રહી છે. ત્યારે તાજેતરમાં જ પોલીસે હાઈપ્રોફાઈલ જુગારધામ પકડી પાડ્યું છે. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી માન રેસીડન્સીમાં પોલીસે રેડ કરી હતી અને અનેક લોકોને પકડી પાડ્યા હતા. ઝડપી પાડવામાં આવેલા લોકોમાં નિવૃત્ત એડિશનલ ડીજીપીનો પુત્ર પણ સામેલ હોવાની માહિતી સામે આવી હતી. નિવૃત્ત ડીજીપીના પુત્રનો સામેલ હોવાનું સામે આવ્યું છે.   


જુગાર રમતા લોકોમાં પૂર્વ ADGPના પુત્રનો પણ સમાવેશ 

શ્રાવણ મહિનામાં અને તેમાં પણ સાતમ આઠમ દરમિયાન લોકો જુગાર રમતા જોવા મળતા હોય છે. જુગારીઓને રંગેહાથ પકડવા માટે પોલીસ અનેક જગ્યાઓ પર રેડ પાડતી હોય છે. થોડા દિવસ પહેલા થલતેજમાં ન્યુયોર્ક ટાવરમાંથી પોલીસે રેડ કરી હાઈપ્રોફાઈલ જુગારધામ પકડી પાડ્યું હતું. એ જુગારધામમાં અનેક લોકોને પકડી પાડવામાં આવ્યા હતા. 3 લાખ કરતા વધારેનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે ગઈકાલે ફરી એક જુગારધામ પોલીસે ઝડપી પાડ્યો છે. અમદાવાદની હોટલમાં જુગારધામ ચાલતું હતું. પોલીસે દરોડા પાડ્યા અને લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ રેડમાં પોલીસે 9 લોકોને ઝડપી પાડ્યા છે અને આ પકડાયેલા લોકોમાં નિવૃત્ત એડીજીપીના પુત્રનો સમાવેશ થાય છે. 


અનેક જગ્યાઓ પર પોલીસે પાડી છે રેડ   

પોલીસને બાતમી મળી હતી કે અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી માન રેસીડન્સી હોટલમાં જુગારધામ ચાલી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી. લાખોનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. આખી ઘટનામાં મુખ્ય વાત તો એ હતી જેટલા લોકો જુગાર રમતા પકડાયા છે તેમાં એક નિવૃત્ત એડિશનલ ડીજીપીના પુત્રનો પણ સમાવેશ થાય છે. મહત્વનું છે કે છેલ્લા થોડા સમયથી આવા અનેક જુગારધામો સામે આવી રહ્યા છે. શહેરમાં થતી ગેરકાયદેસર ગતિવિધીને રોકવા, અસામાજીક તત્વો પર રોક લગાવવા માટે પોલીસ કમિશનર એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે. પોલીસ દ્વારા કરવામાં આવતી આવી કાર્યવાહી કરતા સામાન્ય લોકોમાં તો ફફડાટ જોવા મળી રહ્યો છે પરંતુ હવે તો પોલીસ બેડામાં પણ ફફડાટ વ્યાપી ઉઠ્યો છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.