Ahmedabadમાં પોલીસે પકડી પાડ્યું હાઈપ્રોફાઈલ જુગારધામ, જુગાર રમતા લોકોમાં નિવૃત્ત એડિશનલ DGPના પુત્રનો પણ સમાવેશ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-08 15:18:37

છેલ્લા ઘણા સમયથી ગુજરાત પોલીસ એક્ટિવ મોડમાં દેખાઈ રહી છે. અલગ અલગ સ્થળો પર રેડ પાડવામાં આવી રહી છે. ત્યારે તાજેતરમાં જ પોલીસે હાઈપ્રોફાઈલ જુગારધામ પકડી પાડ્યું છે. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી માન રેસીડન્સીમાં પોલીસે રેડ કરી હતી અને અનેક લોકોને પકડી પાડ્યા હતા. ઝડપી પાડવામાં આવેલા લોકોમાં નિવૃત્ત એડિશનલ ડીજીપીનો પુત્ર પણ સામેલ હોવાની માહિતી સામે આવી હતી. નિવૃત્ત ડીજીપીના પુત્રનો સામેલ હોવાનું સામે આવ્યું છે.   


જુગાર રમતા લોકોમાં પૂર્વ ADGPના પુત્રનો પણ સમાવેશ 

શ્રાવણ મહિનામાં અને તેમાં પણ સાતમ આઠમ દરમિયાન લોકો જુગાર રમતા જોવા મળતા હોય છે. જુગારીઓને રંગેહાથ પકડવા માટે પોલીસ અનેક જગ્યાઓ પર રેડ પાડતી હોય છે. થોડા દિવસ પહેલા થલતેજમાં ન્યુયોર્ક ટાવરમાંથી પોલીસે રેડ કરી હાઈપ્રોફાઈલ જુગારધામ પકડી પાડ્યું હતું. એ જુગારધામમાં અનેક લોકોને પકડી પાડવામાં આવ્યા હતા. 3 લાખ કરતા વધારેનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે ગઈકાલે ફરી એક જુગારધામ પોલીસે ઝડપી પાડ્યો છે. અમદાવાદની હોટલમાં જુગારધામ ચાલતું હતું. પોલીસે દરોડા પાડ્યા અને લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ રેડમાં પોલીસે 9 લોકોને ઝડપી પાડ્યા છે અને આ પકડાયેલા લોકોમાં નિવૃત્ત એડીજીપીના પુત્રનો સમાવેશ થાય છે. 


અનેક જગ્યાઓ પર પોલીસે પાડી છે રેડ   

પોલીસને બાતમી મળી હતી કે અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી માન રેસીડન્સી હોટલમાં જુગારધામ ચાલી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી. લાખોનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. આખી ઘટનામાં મુખ્ય વાત તો એ હતી જેટલા લોકો જુગાર રમતા પકડાયા છે તેમાં એક નિવૃત્ત એડિશનલ ડીજીપીના પુત્રનો પણ સમાવેશ થાય છે. મહત્વનું છે કે છેલ્લા થોડા સમયથી આવા અનેક જુગારધામો સામે આવી રહ્યા છે. શહેરમાં થતી ગેરકાયદેસર ગતિવિધીને રોકવા, અસામાજીક તત્વો પર રોક લગાવવા માટે પોલીસ કમિશનર એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે. પોલીસ દ્વારા કરવામાં આવતી આવી કાર્યવાહી કરતા સામાન્ય લોકોમાં તો ફફડાટ જોવા મળી રહ્યો છે પરંતુ હવે તો પોલીસ બેડામાં પણ ફફડાટ વ્યાપી ઉઠ્યો છે.  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.