Ahmedabadમાં પોલીસે પકડી પાડ્યું હાઈપ્રોફાઈલ જુગારધામ, જુગાર રમતા લોકોમાં નિવૃત્ત એડિશનલ DGPના પુત્રનો પણ સમાવેશ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-08 15:18:37

છેલ્લા ઘણા સમયથી ગુજરાત પોલીસ એક્ટિવ મોડમાં દેખાઈ રહી છે. અલગ અલગ સ્થળો પર રેડ પાડવામાં આવી રહી છે. ત્યારે તાજેતરમાં જ પોલીસે હાઈપ્રોફાઈલ જુગારધામ પકડી પાડ્યું છે. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી માન રેસીડન્સીમાં પોલીસે રેડ કરી હતી અને અનેક લોકોને પકડી પાડ્યા હતા. ઝડપી પાડવામાં આવેલા લોકોમાં નિવૃત્ત એડિશનલ ડીજીપીનો પુત્ર પણ સામેલ હોવાની માહિતી સામે આવી હતી. નિવૃત્ત ડીજીપીના પુત્રનો સામેલ હોવાનું સામે આવ્યું છે.   


જુગાર રમતા લોકોમાં પૂર્વ ADGPના પુત્રનો પણ સમાવેશ 

શ્રાવણ મહિનામાં અને તેમાં પણ સાતમ આઠમ દરમિયાન લોકો જુગાર રમતા જોવા મળતા હોય છે. જુગારીઓને રંગેહાથ પકડવા માટે પોલીસ અનેક જગ્યાઓ પર રેડ પાડતી હોય છે. થોડા દિવસ પહેલા થલતેજમાં ન્યુયોર્ક ટાવરમાંથી પોલીસે રેડ કરી હાઈપ્રોફાઈલ જુગારધામ પકડી પાડ્યું હતું. એ જુગારધામમાં અનેક લોકોને પકડી પાડવામાં આવ્યા હતા. 3 લાખ કરતા વધારેનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે ગઈકાલે ફરી એક જુગારધામ પોલીસે ઝડપી પાડ્યો છે. અમદાવાદની હોટલમાં જુગારધામ ચાલતું હતું. પોલીસે દરોડા પાડ્યા અને લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ રેડમાં પોલીસે 9 લોકોને ઝડપી પાડ્યા છે અને આ પકડાયેલા લોકોમાં નિવૃત્ત એડીજીપીના પુત્રનો સમાવેશ થાય છે. 


અનેક જગ્યાઓ પર પોલીસે પાડી છે રેડ   

પોલીસને બાતમી મળી હતી કે અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી માન રેસીડન્સી હોટલમાં જુગારધામ ચાલી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી. લાખોનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. આખી ઘટનામાં મુખ્ય વાત તો એ હતી જેટલા લોકો જુગાર રમતા પકડાયા છે તેમાં એક નિવૃત્ત એડિશનલ ડીજીપીના પુત્રનો પણ સમાવેશ થાય છે. મહત્વનું છે કે છેલ્લા થોડા સમયથી આવા અનેક જુગારધામો સામે આવી રહ્યા છે. શહેરમાં થતી ગેરકાયદેસર ગતિવિધીને રોકવા, અસામાજીક તત્વો પર રોક લગાવવા માટે પોલીસ કમિશનર એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે. પોલીસ દ્વારા કરવામાં આવતી આવી કાર્યવાહી કરતા સામાન્ય લોકોમાં તો ફફડાટ જોવા મળી રહ્યો છે પરંતુ હવે તો પોલીસ બેડામાં પણ ફફડાટ વ્યાપી ઉઠ્યો છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.