AAPના ધારાસભ્ય Chaitar Vasava વિરૂદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ, જાણો શું લાગ્યો છે આરોપ?


  • Published By :
  • Published Date : 2023-11-03 15:29:22

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. નર્મદાનું વન વિભાગ આ મામલે ફરિયાદી બન્યું છે. ફોરેસ્ટની જમીન પર ખેડાણ બાબતે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સાથે ચૈતર વસાવાની બોલાચાલી થઈ હતી.વન વિભગના કર્મચારીઓ સાથે બોલાચાલી થઈ હતી તે મામલે તેમના વિરૂદ્ધ કેસ કરવામાં આવ્યો છે. આ મામલે એસપી દ્વારા કોઈ અધિકારીક રીતે કોઈ જાણકારી આપવામાં નથી આવી પરંતુ આ મળતી માહિતી અનુસાર ખાલી બોલાચાલી ન થઈ હતી પરંતુ મારામારી પણ હતી. વન વિભાગના કર્મચારીને ઈજા પણ પહોંચી હતી. ત્યારે તેને લઈ ધારાસભ્ય વિરૂદ્ધ પગલા લઈ શકાય છે. કલમ 386 હેઠળ ગુન્હો દાખલ કરાયો છે.  જ્યારે આ મામલે ચૈતર વસાવાને ફોન કરવામાં આવ્યો ત્યારે તેમનો ફોન સ્વિચ ઓફ આવ્યો. ધારાસભ્યની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે! 

ચૈતર વસાવા વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ

એક બાદ એક આમ આદમી પાર્ટીના નેતાઓની મુશ્કેલી વધી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડીએ સમન્સ મોકલ્યું છે પૂછપરછ માટે. તો બીજી તરફ ગુજરાતના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધવાની છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ફોરેસ્ટની જમીન પર ખેડાણ બાબતે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સાથે ચૈતર વસાવાની બોલાચાલી થઈ હતી. વન વિસ્તારની જમીન પર ખેડાણ બાબતે બોલાચાલી હતી અને તે વિરૂદ્ધ આજે ફરિયાદ નર્મદા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. નર્મદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં કલમ 386 હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.