AAPના ધારાસભ્ય Chaitar Vasava વિરૂદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ, જાણો શું લાગ્યો છે આરોપ?


  • Published By :
  • Published Date : 2023-11-03 15:29:22

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. નર્મદાનું વન વિભાગ આ મામલે ફરિયાદી બન્યું છે. ફોરેસ્ટની જમીન પર ખેડાણ બાબતે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સાથે ચૈતર વસાવાની બોલાચાલી થઈ હતી.વન વિભગના કર્મચારીઓ સાથે બોલાચાલી થઈ હતી તે મામલે તેમના વિરૂદ્ધ કેસ કરવામાં આવ્યો છે. આ મામલે એસપી દ્વારા કોઈ અધિકારીક રીતે કોઈ જાણકારી આપવામાં નથી આવી પરંતુ આ મળતી માહિતી અનુસાર ખાલી બોલાચાલી ન થઈ હતી પરંતુ મારામારી પણ હતી. વન વિભાગના કર્મચારીને ઈજા પણ પહોંચી હતી. ત્યારે તેને લઈ ધારાસભ્ય વિરૂદ્ધ પગલા લઈ શકાય છે. કલમ 386 હેઠળ ગુન્હો દાખલ કરાયો છે.  જ્યારે આ મામલે ચૈતર વસાવાને ફોન કરવામાં આવ્યો ત્યારે તેમનો ફોન સ્વિચ ઓફ આવ્યો. ધારાસભ્યની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે! 

ચૈતર વસાવા વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ

એક બાદ એક આમ આદમી પાર્ટીના નેતાઓની મુશ્કેલી વધી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડીએ સમન્સ મોકલ્યું છે પૂછપરછ માટે. તો બીજી તરફ ગુજરાતના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધવાની છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ફોરેસ્ટની જમીન પર ખેડાણ બાબતે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સાથે ચૈતર વસાવાની બોલાચાલી થઈ હતી. વન વિસ્તારની જમીન પર ખેડાણ બાબતે બોલાચાલી હતી અને તે વિરૂદ્ધ આજે ફરિયાદ નર્મદા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. નર્મદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં કલમ 386 હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી