પોલીસ કોન્સ્ટેબલની ભરતી પ્રક્રિયા શરૂ,18,000 વેકેન્સી


  • Published By :
  • Published Date : 2022-11-10 18:14:43

મહારાષ્ટ્રમાં પોલીસ કોન્સ્ટેબલની ભરતી શરૂ થઈ ગઈ છે. કોન્સ્ટેબલની ખાલી જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે.જે લોકો અરજી કરવા માંગે છે તેઓ મહારાષ્ટ્ર પોલીસની અધિકૃત વેબસાઇટ mahapolice.gov.in પર જઈને અરજી કરી શકે છે.મહારાષ્ટ્ર રાજ્ય પોલીસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા દ્વારા કુલ 18,000 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. કોન્સ્ટેબલની પોસ્ટ માટે અરજી પ્રક્રિયા 09 નવેમ્બર 2022 સુધીનો સમય આપવામાં આવ્યો છે.


મહારાષ્ટ્ર પોલીસ ડિપાર્ટમેન્ટ ભરતી માટે કેવી રીતે અરજી કરવી

પગલું 1: અરજી કરવા માટે, પ્રથમ સત્તાવાર વેબસાઇટ- mahapolice.gov.in પર જાઓ.


સ્ટેપ 2: વેબસાઈટના હોમ પેજ પર, લેટેસ્ટ નોટિફિકેશનની લિંક પર ક્લિક કરો.


પગલું 3: આ પછી મહારાષ્ટ્ર પોલીસ કોન્સ્ટેબલ એપ્લિકેશન ફોર્મ 2022 ની લિંક પર ક્લિક કરો.


પગલું 4: આ પછી, આગલા પૃષ્ઠ પર પૂછવામાં આવેલી વિગતો ભરીને નોંધણી કરો.


પગલું 5: નોંધણી પછી તમે અરજી ફોર્મ ભરી શકો છો.


પગલું 6: હવે એપ્લિકેશન ફી સબમિટ કરો.


પગલું 7: અરજી કર્યા પછી, તેની પ્રિન્ટ આઉટ લો.


મહારાષ્ટ્ર પોલીસમાં નવી ભરતી માટે કુલ 18,000 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે જેમાં પોલીસ કોન્સ્ટેબલની 14,956 જગાયો અને srpf પોલીસની 1,204 જગ્યાઓ પર ભરતી થશે ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી 12 મુ ધોરણ પાસ કરેલ હોવું આવશ્યક છે.ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલની પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારો પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું ફરજિયાત છે.અરજદારોની ઉંમર 18 વર્ષથી વધુ અને 28 વર્ષથી ઓછી હોવી જોઈએ. અનામતના દાયરામાં આવતા ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.