વિરોધ થાય તે પહેલા પોલીસે કરી TAT-TET ઉમેદવારોની અટકાયત, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-18 13:29:53

કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ TET-TATના ઉમેદવારો કરી રહ્યા છે. અનેક વર્ષો બાદ TET-TATની પરીક્ષા લેવામાં આવી. ભરતી થાય તે પહેલા જ્ઞાનસહાયક અંતર્ગત કરાર આધારીત ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. જેને લઈ ઉમેદવારોમાં રોષની લાગણી પ્રવર્તિ ઉઠી હતી. સરકાર દ્વારા કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ સાથે ગાંધીનગર ખાતે ઉમેદવારો વિરોધ કરવા એકત્રિત થવાના હતા પરંતુ તેઓ સત્યાગ્રહ છાવણી પહોંચે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી છે. તેવા સમાચાર મળી રહ્યા છે. જમાવટ સામે પણ ઉમેદવારોએ રોષ વ્યક્ત કર્યો હતો. મહત્વનું છે કે ઉમેદવારો માગ કરી રહ્યા છે કે કરાર આધારીત નોકરીને નાબુદ કરવામાં આવે અને કાયમી ભરતી કરવામાં આવે.

  


ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે