મોરબી બ્રિજ દુર્ઘટનાને લઈને પોલીસે દાખલ કરી ચાર્જશીટ, આરોપી તરીકે ઉમેરાયું જયસુખ પટેલનું નામ


  • Published By :
  • Published Date : 2023-01-27 16:51:17

દિવાળી સમયે મોરબીમાં હોનારત સર્જાઈ હતી જેમાં 135 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. અનેક મહિનાઓ બાદ મોરબી સેશન્સ કોર્ટમાં 1200 પાનાની ચાર્જસીટ રજૂ કરવામાં આવી હતી જેમાં આરોપી તરીકે ઓરેવા ગૃપના એમડી જયસુખ પટેલના નામનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં કેસમાં નવ લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે. ત્યારે રજૂ કરવામાં આવેલી ચાર્જસીટમાં જયસુખ પટેલનું નામ પણ ઉમેરવામાં આવ્યું છે.

મોરબી દુર્ઘટના મામલે એફઆઈઆરમાં નામ નોંધાતા જયસુખ પટેલે મોટો દાવ ખેલ્યો

ચાર્જસીટમાં ઉમેરાયું ઓરેવા કંપનીના માલિકનું નામ 

30 ઓક્ટોબર 2022ના રોજ મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી પડ્યો હતો જેમાં 135 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. દુર્ઘટના બાદ અનેક પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા હતા. આ મામલાને લઈ 1200 જેટલા પાનાની ચાર્જશીટ મોરબી સેશન્સ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. રજૂ કરવામાં આવેલી ચાર્જશીટમાં મુખ્યઆરોપી તરીકે જયસુખ પટેલનું નામ લખવામાં  આવ્યું છે. આ મામલે કોર્ટમાં જયસુખ પટેલે આગોતરા જામીન માટે અરજી કરી હતી જેની સુનાવણી 1લી ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.