મોરબી બ્રિજ દુર્ઘટનાને લઈને પોલીસે દાખલ કરી ચાર્જશીટ, આરોપી તરીકે ઉમેરાયું જયસુખ પટેલનું નામ


  • Published By :
  • Published Date : 2023-01-27 16:51:17

દિવાળી સમયે મોરબીમાં હોનારત સર્જાઈ હતી જેમાં 135 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. અનેક મહિનાઓ બાદ મોરબી સેશન્સ કોર્ટમાં 1200 પાનાની ચાર્જસીટ રજૂ કરવામાં આવી હતી જેમાં આરોપી તરીકે ઓરેવા ગૃપના એમડી જયસુખ પટેલના નામનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં કેસમાં નવ લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે. ત્યારે રજૂ કરવામાં આવેલી ચાર્જસીટમાં જયસુખ પટેલનું નામ પણ ઉમેરવામાં આવ્યું છે.

મોરબી દુર્ઘટના મામલે એફઆઈઆરમાં નામ નોંધાતા જયસુખ પટેલે મોટો દાવ ખેલ્યો

ચાર્જસીટમાં ઉમેરાયું ઓરેવા કંપનીના માલિકનું નામ 

30 ઓક્ટોબર 2022ના રોજ મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી પડ્યો હતો જેમાં 135 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. દુર્ઘટના બાદ અનેક પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા હતા. આ મામલાને લઈ 1200 જેટલા પાનાની ચાર્જશીટ મોરબી સેશન્સ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. રજૂ કરવામાં આવેલી ચાર્જશીટમાં મુખ્યઆરોપી તરીકે જયસુખ પટેલનું નામ લખવામાં  આવ્યું છે. આ મામલે કોર્ટમાં જયસુખ પટેલે આગોતરા જામીન માટે અરજી કરી હતી જેની સુનાવણી 1લી ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.