ગુજરાત ATSનો સપાટો, વડોદરામાં PFI સાથે સંલગ્ન મદરેસા કર્યું સીલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 21:47:14

PFI (પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા) સામે દેશભરમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. PFI ના હોદ્દેદારો, નેતાઓ અને કાર્યકરોની ધરપકડ કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીનો રેલો હવે ગુજરાતના વિવિધ જિલ્લાઓ સુધી પહોંચ્યો છે. NIA દ્વારા  બનાસકાંઠા, અમદાવાદ સુરત અને નવસારીમાં તપાસ કરવામાં આવી છે.  NIA દ્વારા આ તપાસ ટેરર ફન્ડિંગ મામલે કરવામાં આવી રહી છે.  


વડોદરામાં ઇન્ડિયા ઇમામ કાઉન્સિલનું મદરેસા સીલ


PFI કેસમાં વડોદરા પોલીસ અને ગુજરાત ATSએ મોટી કાર્યવાહી કરી છે. PFI સાથેની સાંઠગાંઠના આરોપમાં  વડોદરામાં ઓલ ઇન્ડિયા ઇમામ કાઉન્સિલનું મદરેસા સીલ કરી દેવામાં આવ્યું છે. આ અંગે વડોદરા ACP ક્રાઈમે જણાવ્યું કે આ મદરેસાની તપાસ કરવામાં આવી, આ મદરેસામાં AIICની બેઠક યોજાઈ હતી અને તેને સીલ કરી દેવામાં આવી છે. ટ્રસ્ટીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. 


બનાસકાંઠામાંથી ત્રણ શંકાસ્પદની અટકાયત

આ તપાસ દરમ્યાન બનાસકાંઠામાંથી મહત્વના અહેવાલ સામે આવ્યા છે. જેમાં બનાસકાંઠા માંથી PFI સાથે સંકળાયેલા ત્રણ શંકાસ્પદ શખ્સોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. SOG પોલીસે ત્રણ શખ્સોની પૂછપરછ માટે અટકાયત કરી હતી. જો કે આ મામલો અતિ સંવેદનશીલ હોવાને કારણે પોલીસે સમગ્ર માહિતિ ગુપ્ત રાખી છે. SOGની ટીમે અટકાયત કરાયેલા શખ્સોને વધુ તપાસ અર્થે ATSને સોંપવામાં આવ્યા છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.