ગુજરાત ATSનો સપાટો, વડોદરામાં PFI સાથે સંલગ્ન મદરેસા કર્યું સીલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 21:47:14

PFI (પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા) સામે દેશભરમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. PFI ના હોદ્દેદારો, નેતાઓ અને કાર્યકરોની ધરપકડ કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીનો રેલો હવે ગુજરાતના વિવિધ જિલ્લાઓ સુધી પહોંચ્યો છે. NIA દ્વારા  બનાસકાંઠા, અમદાવાદ સુરત અને નવસારીમાં તપાસ કરવામાં આવી છે.  NIA દ્વારા આ તપાસ ટેરર ફન્ડિંગ મામલે કરવામાં આવી રહી છે.  


વડોદરામાં ઇન્ડિયા ઇમામ કાઉન્સિલનું મદરેસા સીલ


PFI કેસમાં વડોદરા પોલીસ અને ગુજરાત ATSએ મોટી કાર્યવાહી કરી છે. PFI સાથેની સાંઠગાંઠના આરોપમાં  વડોદરામાં ઓલ ઇન્ડિયા ઇમામ કાઉન્સિલનું મદરેસા સીલ કરી દેવામાં આવ્યું છે. આ અંગે વડોદરા ACP ક્રાઈમે જણાવ્યું કે આ મદરેસાની તપાસ કરવામાં આવી, આ મદરેસામાં AIICની બેઠક યોજાઈ હતી અને તેને સીલ કરી દેવામાં આવી છે. ટ્રસ્ટીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. 


બનાસકાંઠામાંથી ત્રણ શંકાસ્પદની અટકાયત

આ તપાસ દરમ્યાન બનાસકાંઠામાંથી મહત્વના અહેવાલ સામે આવ્યા છે. જેમાં બનાસકાંઠા માંથી PFI સાથે સંકળાયેલા ત્રણ શંકાસ્પદ શખ્સોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. SOG પોલીસે ત્રણ શખ્સોની પૂછપરછ માટે અટકાયત કરી હતી. જો કે આ મામલો અતિ સંવેદનશીલ હોવાને કારણે પોલીસે સમગ્ર માહિતિ ગુપ્ત રાખી છે. SOGની ટીમે અટકાયત કરાયેલા શખ્સોને વધુ તપાસ અર્થે ATSને સોંપવામાં આવ્યા છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે