સુરતમાં મધરાત્રે પોલીસે બચાવ્યો આધેડનો જીવ! બ્રિજ પરથી છલાંગ લગાવી આત્મહત્યા કરવાના હતા આધેડ


  • Published By :
  • Published Date : 2023-03-14 10:05:26

આપઘાત કરનારાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આત્મહત્યા કરી લોકો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. લોકો હવે બ્રિજ પરથી કૂદી રહ્યા છે. અમદાવાદમાં બ્રિજ પરથી કૂદવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા ત્યારે સુરતમાં પણ બ્રિજ પરથી કૂદી આપઘાત કરવાનો કિસ્સો સામે આવ્યો છે. કાપોદ્રા ચાર રસ્તા ખાતે આવેલા ઓવરબ્રિજ પરથી 50 વર્ષીય આધેડે પડતું મૂકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સદનસીબે પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસે તેમને બચાવી લીધા. પોલીસ અધિકારીઓ રસ્તા પર નેટ લઈને નીચે ઉભા રહી ગયા અને આધેડને બચાવી લીધા.   


મધરાત્રે આધેડે કર્યો બ્રિજ પરથી કૂદવાનો પ્રયાસ 

અનેક લોકો જીવનથી કંટાળી મોતને વહાલું કરી રહ્યા છે. અલગ અલગ રસ્તાઓ અપનાવી મોતને ભેટવાનો લોકો પ્રયાસ કરે છે. કોઈ પંખે લટકીને તો કોઈ ઝેરી દવા પીને જીવન ટૂંકાવી રહ્યા છે. ત્યારે હવે લોકો બ્રિજ પરથી કૂદકો મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમદાવાદમાં આવેલા સીટીએમ બ્રિજ પરથી અનેક લોકોએ ઝંપલાવ્યું છે ત્યારે સુરતમાં પણ બ્રિજ પરથી કૂદકો મારવાનો પ્રયાસ આધેડ દ્વારા કરવામાં આવ્યો હતો. કાપોદ્રા વિસ્તારમાં આ ઘટના બની હતી. રાત્રે અઢીથી ત્રણ વાગ્યા દરમિયાન આધેડે ઝંપલાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સદનસીબે પેટ્રોલિંગ પર નીકળેલા પોલીસકર્મીઓનું ધ્યાન તેમના પર પડતા તેમને બચાવી લેવામાં આવ્યા છે. 


પોલીસની સતર્કતાથી બચ્યો આધેડનો જીવ  

પેટ્રોલિંગ પર નીકળેલા પોલીસકર્મીનું ધ્યાન આધેડ પર પડી હતી. તેમને સમજાવી નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો. તે ઉપરાંત ફાયર બ્રિગેડને પણ જાણ કરાતા ફાયર વિભાગની ટીમ પણ ત્યાં આવી પહોંચી હતી. બ્રિજ નીચે નેટ રાખી આધેડને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બ્રિજ પરથી આધેડે પડતું મૂક્યું પરંતુ નીચે રહેલી નેટમાં તેઓ પડ્યા. બેભાન થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આત્મહત્યા કરનાર આધેડ કોણ છે, કયા કારણોસર તેઓ આપઘાત કરી રહ્યા હતા તે જાણી શકાયું નથી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પોલીસની સતર્કતાને કારણે આધેડનો જીવ બચી શક્યો છે.     



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.