સુરતમાં મધરાત્રે પોલીસે બચાવ્યો આધેડનો જીવ! બ્રિજ પરથી છલાંગ લગાવી આત્મહત્યા કરવાના હતા આધેડ


  • Published By :
  • Published Date : 2023-03-14 10:05:26

આપઘાત કરનારાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આત્મહત્યા કરી લોકો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. લોકો હવે બ્રિજ પરથી કૂદી રહ્યા છે. અમદાવાદમાં બ્રિજ પરથી કૂદવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા ત્યારે સુરતમાં પણ બ્રિજ પરથી કૂદી આપઘાત કરવાનો કિસ્સો સામે આવ્યો છે. કાપોદ્રા ચાર રસ્તા ખાતે આવેલા ઓવરબ્રિજ પરથી 50 વર્ષીય આધેડે પડતું મૂકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સદનસીબે પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસે તેમને બચાવી લીધા. પોલીસ અધિકારીઓ રસ્તા પર નેટ લઈને નીચે ઉભા રહી ગયા અને આધેડને બચાવી લીધા.   


મધરાત્રે આધેડે કર્યો બ્રિજ પરથી કૂદવાનો પ્રયાસ 

અનેક લોકો જીવનથી કંટાળી મોતને વહાલું કરી રહ્યા છે. અલગ અલગ રસ્તાઓ અપનાવી મોતને ભેટવાનો લોકો પ્રયાસ કરે છે. કોઈ પંખે લટકીને તો કોઈ ઝેરી દવા પીને જીવન ટૂંકાવી રહ્યા છે. ત્યારે હવે લોકો બ્રિજ પરથી કૂદકો મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમદાવાદમાં આવેલા સીટીએમ બ્રિજ પરથી અનેક લોકોએ ઝંપલાવ્યું છે ત્યારે સુરતમાં પણ બ્રિજ પરથી કૂદકો મારવાનો પ્રયાસ આધેડ દ્વારા કરવામાં આવ્યો હતો. કાપોદ્રા વિસ્તારમાં આ ઘટના બની હતી. રાત્રે અઢીથી ત્રણ વાગ્યા દરમિયાન આધેડે ઝંપલાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સદનસીબે પેટ્રોલિંગ પર નીકળેલા પોલીસકર્મીઓનું ધ્યાન તેમના પર પડતા તેમને બચાવી લેવામાં આવ્યા છે. 


પોલીસની સતર્કતાથી બચ્યો આધેડનો જીવ  

પેટ્રોલિંગ પર નીકળેલા પોલીસકર્મીનું ધ્યાન આધેડ પર પડી હતી. તેમને સમજાવી નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો. તે ઉપરાંત ફાયર બ્રિગેડને પણ જાણ કરાતા ફાયર વિભાગની ટીમ પણ ત્યાં આવી પહોંચી હતી. બ્રિજ નીચે નેટ રાખી આધેડને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બ્રિજ પરથી આધેડે પડતું મૂક્યું પરંતુ નીચે રહેલી નેટમાં તેઓ પડ્યા. બેભાન થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આત્મહત્યા કરનાર આધેડ કોણ છે, કયા કારણોસર તેઓ આપઘાત કરી રહ્યા હતા તે જાણી શકાયું નથી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પોલીસની સતર્કતાને કારણે આધેડનો જીવ બચી શક્યો છે.     



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.