સુરતમાં પોલીસનો વીડિયો વાયરલ થતા, ACPએ કર્યો ખુલાસો, એડવોકેટ મેહુલ બોઘરાના આરોપો ફગાવ્યા


  • Published By :
  • Published Date : 2024-01-17 22:03:28

સુરતના સરથાણામાં પોલીસનો વીડિયો વાયરલ થવા મામલે ખુલાસો થયો છે. વાયરલ વીડિયોને લઇ સુરત ACPએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, પોલીસની બદનામી થાય તે માટે વકીલ મેહુલ બોઘરાએ વીડિયો વાયરલ કર્યો છે. જે વીડિયોમાં પોલીસ પર ખોટા આક્ષેપ કરેલા છે તેમાં તથ્ય નથી. જાહેર રોડ પર ઝઘડો થતાં પોલીસે કાર્યવાહી કરી હતી. પતંગની દોરી ખરાબ નીકળતા દોરી બનાવનારા અને ગ્રાહક વચ્ચે બબાલ થઇ હતી. ત્યારે પોલીસે ત્યાં પહોંચીને મધ્યસ્થી કરાવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે વીડિયો વાયરલ કરનારા મેહુલ બોઘરા વિરૂદ્ધ કાર્યવાહી કરાશે. પોલીસ એડવોકેટ મેહુલ બોઘરની ઓફિસ પણ પહોંચી હતી. 


પોલીસ પર ખોટા આક્ષેપ 


સુરતમાં પોલીસ સાથે બબાલનો વીડિયો વાયરલ થયો હતો. મેહુલ બોઘરાએ બીજો વીડિયો વાયરલ કર્યો હતો. ACPએ જણાવ્યું હતું કે, પોલીસની બદનામી થાય તે રીતે વીડિયો વાયરલ કર્યો છે. જે વીડિયોમાં પોલીસ પર ખોટા આક્ષેપ કરેલા છે તેમાં તથ્ય નથી. વધુમાં કહ્યું કે, વીડિયો વાયરલ કરનારા મેહુલ બોઘરા વિરૂદ્ધ કાર્યવાહી કરાશે. ઉલ્લેખનિય છે કે હાલ આ મામલો સુરતમાં ચર્ચાનો વિષય બન્યો છે. 


સમગ્ર મામલો શું છે?


સુરતના સરથાણામાં રહેતા રાજુભાઈ ગજેરાએ ઉત્તરાયણના તહેવાર પર તેમના ઘરના પ્રાઈવેટ પ્લોટમાં પતંગ અને દોરીનો સ્ટોલ શરૂ કર્યો હતો. તેમના સ્ટોલમાંથી સરથાણા પોલીસ સ્ટેશનના કર્મીઓ મફતમાં ફિરકીઓ લઈ જતા રહે છે. બાદમાં તેમનો એક મળતીયો પણ ફિરકી લેવા આવે છે, જો કે ફિરકી લીધા બાદ તે રાજુભાઈ સાથે રકઝક કરે છે અને બાદમાં તે પોલીસને પણ બોલાવે છે. પોલીસ આવીને રાજુ ભાઈ અને તેમના માણસ સાથે મારામારી કરે છે. એડવોકેટ મેહુલ બોઘરા આ મામલે એક વીડિયો પણ બનાવે છે. જેમાં તે પોલીસવાળા જે મફત ફીરકી લેવા આવ્યા હોય છે તેનો ઉલ્લેખ કરે છે અને સામાન્ય જનતાને મારમારનાર પોલીસના વીડિયો વિશે નિવેદન આપે છે. આ મામલે સરથાણા પોલીસ મેહુલ બોઘરાની ઓફિસમાં આવી તેમને નોટિસ આપવા આવે છે.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે