સુરતમાં પોલીસનો વીડિયો વાયરલ થતા, ACPએ કર્યો ખુલાસો, એડવોકેટ મેહુલ બોઘરાના આરોપો ફગાવ્યા


  • Published By :
  • Published Date : 2024-01-17 22:03:28

સુરતના સરથાણામાં પોલીસનો વીડિયો વાયરલ થવા મામલે ખુલાસો થયો છે. વાયરલ વીડિયોને લઇ સુરત ACPએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, પોલીસની બદનામી થાય તે માટે વકીલ મેહુલ બોઘરાએ વીડિયો વાયરલ કર્યો છે. જે વીડિયોમાં પોલીસ પર ખોટા આક્ષેપ કરેલા છે તેમાં તથ્ય નથી. જાહેર રોડ પર ઝઘડો થતાં પોલીસે કાર્યવાહી કરી હતી. પતંગની દોરી ખરાબ નીકળતા દોરી બનાવનારા અને ગ્રાહક વચ્ચે બબાલ થઇ હતી. ત્યારે પોલીસે ત્યાં પહોંચીને મધ્યસ્થી કરાવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે વીડિયો વાયરલ કરનારા મેહુલ બોઘરા વિરૂદ્ધ કાર્યવાહી કરાશે. પોલીસ એડવોકેટ મેહુલ બોઘરની ઓફિસ પણ પહોંચી હતી. 


પોલીસ પર ખોટા આક્ષેપ 


સુરતમાં પોલીસ સાથે બબાલનો વીડિયો વાયરલ થયો હતો. મેહુલ બોઘરાએ બીજો વીડિયો વાયરલ કર્યો હતો. ACPએ જણાવ્યું હતું કે, પોલીસની બદનામી થાય તે રીતે વીડિયો વાયરલ કર્યો છે. જે વીડિયોમાં પોલીસ પર ખોટા આક્ષેપ કરેલા છે તેમાં તથ્ય નથી. વધુમાં કહ્યું કે, વીડિયો વાયરલ કરનારા મેહુલ બોઘરા વિરૂદ્ધ કાર્યવાહી કરાશે. ઉલ્લેખનિય છે કે હાલ આ મામલો સુરતમાં ચર્ચાનો વિષય બન્યો છે. 


સમગ્ર મામલો શું છે?


સુરતના સરથાણામાં રહેતા રાજુભાઈ ગજેરાએ ઉત્તરાયણના તહેવાર પર તેમના ઘરના પ્રાઈવેટ પ્લોટમાં પતંગ અને દોરીનો સ્ટોલ શરૂ કર્યો હતો. તેમના સ્ટોલમાંથી સરથાણા પોલીસ સ્ટેશનના કર્મીઓ મફતમાં ફિરકીઓ લઈ જતા રહે છે. બાદમાં તેમનો એક મળતીયો પણ ફિરકી લેવા આવે છે, જો કે ફિરકી લીધા બાદ તે રાજુભાઈ સાથે રકઝક કરે છે અને બાદમાં તે પોલીસને પણ બોલાવે છે. પોલીસ આવીને રાજુ ભાઈ અને તેમના માણસ સાથે મારામારી કરે છે. એડવોકેટ મેહુલ બોઘરા આ મામલે એક વીડિયો પણ બનાવે છે. જેમાં તે પોલીસવાળા જે મફત ફીરકી લેવા આવ્યા હોય છે તેનો ઉલ્લેખ કરે છે અને સામાન્ય જનતાને મારમારનાર પોલીસના વીડિયો વિશે નિવેદન આપે છે. આ મામલે સરથાણા પોલીસ મેહુલ બોઘરાની ઓફિસમાં આવી તેમને નોટિસ આપવા આવે છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.