રાજકીય પાર્ટીઓએ ચૂંટણી પ્રચારમાં લગાવ્યું એડીચોટીનું જોર, જનસભા અને રોડ-શોનું કરાયું હતું મોટાપાયે આયોજન


  • Published By :
  • Published Date : 2022-12-04 11:55:03

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ 3 નવેમ્બરના રોજ કરવામાં આવી હતી. જે અનુસાર બે તબક્કામાં મતદાન યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જ્યારથી મતદાનની તારીખો જાહેર કરવામાં આવી છે ત્યારથી ચૂંટણી પ્રચાર પણ તેજ બની ગયો હતો. પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં રેલી તેમજ સભાઓ સંબોધતા હતા. ત્યારે છેલ્લા એક મહિનામાં પીએમ મોદીએ 30 જનસભા સંબોધી છે જ્યારે અમિત શાહે અંદાજીત 35 જેટલી જનસભા સંબોધી છે. અરવિંદ કેજરીવાલે 19 સભામાં ભાગ લીધો છે જ્યારે રાહુલ ગાંધીએ માત્ર બે જનસભા સંબોધી છે.  

Image

Image

ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા  

પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ ચૂક્યું છે જ્યારે બીજા તબક્કાનું મતદાન પાંચમી તારીખે યોજાવાનું છે.  પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. ત્યારે આ ચૂંટણીમાં મતદારોને આકર્ષવા દરેક પાર્ટીએ અને  નેતાઓએ એડીચોટીનું જોર લગાવી દીધું હતું. ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોને પ્રચાર માટે ગુજરાતમાં ઉતારી દીધા હતા. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ. યોગી આદિત્યનાથ, નીતિન ગડકરી, સ્મૃતિ ઈરાની જેવા દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરતા હતા. 

Image

Image

આમ આદમી પાર્ટીએ કર્યો પ્રચાર

આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં પ્રચાર કરવામાં કસર નથી છોડી. આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે, ભગવંત માન તેમજ રાઘવ ચઢ્ઢા ગુજરાત આવ્યા હતા. બીજા તબક્કા પહેલા આમ આદમી પાર્ટીએ હરભજન સિંહને પણ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. ઉપરાંત ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી સહિતના નેતાઓએ અનેક સ્થળો પર જનસભા તેમજ રોડ-શો યોજ્યો હતો. 

Image

મતદારો  પર પ્રચારની કેટલી અસર થશે? 

ગાંધી પરિવારે પોતાને ગુજરાત ચૂંટણીથી દૂર રાખ્યા હોય તેવું લાગી રહ્યું હતું. ગુજરાતમાં પ્રચાર કરવા નતો પ્રિયંકા ગાંધી આવ્યા નતો સોનિયા ગાંધી આવ્યા. રાહુલ ગાંધીએ માત્ર બે સભા યોજી હતી. પરંતુ રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત આવી પ્રચાર કરી રહ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, મલ્લિકાર્જન ખડગે ગુજરાત આવી કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે. નેતાઓ દ્વારા કરવામાં આવેલો આ પ્રચાર મતદારોને કેટલો સફળ થાય છે તે પરિણામના દિવસે ખબર પડશે.      




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.