રાજકીય પાર્ટીઓએ ચૂંટણી પ્રચારમાં લગાવ્યું એડીચોટીનું જોર, જનસભા અને રોડ-શોનું કરાયું હતું મોટાપાયે આયોજન


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-04 11:55:03

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ 3 નવેમ્બરના રોજ કરવામાં આવી હતી. જે અનુસાર બે તબક્કામાં મતદાન યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જ્યારથી મતદાનની તારીખો જાહેર કરવામાં આવી છે ત્યારથી ચૂંટણી પ્રચાર પણ તેજ બની ગયો હતો. પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં રેલી તેમજ સભાઓ સંબોધતા હતા. ત્યારે છેલ્લા એક મહિનામાં પીએમ મોદીએ 30 જનસભા સંબોધી છે જ્યારે અમિત શાહે અંદાજીત 35 જેટલી જનસભા સંબોધી છે. અરવિંદ કેજરીવાલે 19 સભામાં ભાગ લીધો છે જ્યારે રાહુલ ગાંધીએ માત્ર બે જનસભા સંબોધી છે.  

Image

Image

ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા  

પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ ચૂક્યું છે જ્યારે બીજા તબક્કાનું મતદાન પાંચમી તારીખે યોજાવાનું છે.  પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. ત્યારે આ ચૂંટણીમાં મતદારોને આકર્ષવા દરેક પાર્ટીએ અને  નેતાઓએ એડીચોટીનું જોર લગાવી દીધું હતું. ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોને પ્રચાર માટે ગુજરાતમાં ઉતારી દીધા હતા. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ. યોગી આદિત્યનાથ, નીતિન ગડકરી, સ્મૃતિ ઈરાની જેવા દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરતા હતા. 

Image

Image

આમ આદમી પાર્ટીએ કર્યો પ્રચાર

આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં પ્રચાર કરવામાં કસર નથી છોડી. આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે, ભગવંત માન તેમજ રાઘવ ચઢ્ઢા ગુજરાત આવ્યા હતા. બીજા તબક્કા પહેલા આમ આદમી પાર્ટીએ હરભજન સિંહને પણ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. ઉપરાંત ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી સહિતના નેતાઓએ અનેક સ્થળો પર જનસભા તેમજ રોડ-શો યોજ્યો હતો. 

Image

મતદારો  પર પ્રચારની કેટલી અસર થશે? 

ગાંધી પરિવારે પોતાને ગુજરાત ચૂંટણીથી દૂર રાખ્યા હોય તેવું લાગી રહ્યું હતું. ગુજરાતમાં પ્રચાર કરવા નતો પ્રિયંકા ગાંધી આવ્યા નતો સોનિયા ગાંધી આવ્યા. રાહુલ ગાંધીએ માત્ર બે સભા યોજી હતી. પરંતુ રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત આવી પ્રચાર કરી રહ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, મલ્લિકાર્જન ખડગે ગુજરાત આવી કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે. નેતાઓ દ્વારા કરવામાં આવેલો આ પ્રચાર મતદારોને કેટલો સફળ થાય છે તે પરિણામના દિવસે ખબર પડશે.      




ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પોઈચામાં બનેલી ઘટના જેમાં નર્મદા નદીમાં ન્હાવા ગયેલા 8 લોકો ડૂબી ગયા હતા તેની ચર્ચા ચાલી રહી છે... તેમાંથી એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.. બીજી એક ઘટના મોરબીમાં બની હતી. મચ્છુ નદીમાં ન્હાવા માટે યુવાનો ગયા હતા જેમાંથી ત્રણ લોકો ડૂબી ગયા હતા.

રાજ્ય શિક્ષણ વિભાગની પરિણામ પુસ્તિકા મુજબ આ વર્ષે એટલે કે 2024માં ગુજરાતી વિષયમાં 5.83 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, તેમાંથી 5.37 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ આંકડા પરથી સમજી શકીએ છીએ કે બોર્ડનું ઓવરઓલ પરિણામ ઊંચું આવ્યું છે છતાં 7.91% વિદ્યાર્થીઓ એટલે કે 46 હજારથી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નાપાસ થયા છે,

ગુજરાતની અનેક લોકસભા બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર હતી. બનાસકાંઠા, ભરૂચ, આણંદ, જામનગન જેવી અનેક બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો સારૂ પરિણામ લાવી શકે છે.

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક વૃદ્ધ ની અનોખી ઘટના સામે આવી છે. ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક 75 વર્ષીય દાદાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. ગામના લોકોએ તેમના લગ્ન કરાવી દીધા હતા.