રાજકીય પાર્ટીઓએ ચૂંટણી પ્રચારમાં લગાવ્યું એડીચોટીનું જોર, જનસભા અને રોડ-શોનું કરાયું હતું મોટાપાયે આયોજન


  • Published By :
  • Published Date : 2022-12-04 11:55:03

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ 3 નવેમ્બરના રોજ કરવામાં આવી હતી. જે અનુસાર બે તબક્કામાં મતદાન યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જ્યારથી મતદાનની તારીખો જાહેર કરવામાં આવી છે ત્યારથી ચૂંટણી પ્રચાર પણ તેજ બની ગયો હતો. પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં રેલી તેમજ સભાઓ સંબોધતા હતા. ત્યારે છેલ્લા એક મહિનામાં પીએમ મોદીએ 30 જનસભા સંબોધી છે જ્યારે અમિત શાહે અંદાજીત 35 જેટલી જનસભા સંબોધી છે. અરવિંદ કેજરીવાલે 19 સભામાં ભાગ લીધો છે જ્યારે રાહુલ ગાંધીએ માત્ર બે જનસભા સંબોધી છે.  

Image

Image

ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા  

પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ ચૂક્યું છે જ્યારે બીજા તબક્કાનું મતદાન પાંચમી તારીખે યોજાવાનું છે.  પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. ત્યારે આ ચૂંટણીમાં મતદારોને આકર્ષવા દરેક પાર્ટીએ અને  નેતાઓએ એડીચોટીનું જોર લગાવી દીધું હતું. ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોને પ્રચાર માટે ગુજરાતમાં ઉતારી દીધા હતા. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ. યોગી આદિત્યનાથ, નીતિન ગડકરી, સ્મૃતિ ઈરાની જેવા દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરતા હતા. 

Image

Image

આમ આદમી પાર્ટીએ કર્યો પ્રચાર

આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં પ્રચાર કરવામાં કસર નથી છોડી. આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે, ભગવંત માન તેમજ રાઘવ ચઢ્ઢા ગુજરાત આવ્યા હતા. બીજા તબક્કા પહેલા આમ આદમી પાર્ટીએ હરભજન સિંહને પણ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. ઉપરાંત ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી સહિતના નેતાઓએ અનેક સ્થળો પર જનસભા તેમજ રોડ-શો યોજ્યો હતો. 

Image

મતદારો  પર પ્રચારની કેટલી અસર થશે? 

ગાંધી પરિવારે પોતાને ગુજરાત ચૂંટણીથી દૂર રાખ્યા હોય તેવું લાગી રહ્યું હતું. ગુજરાતમાં પ્રચાર કરવા નતો પ્રિયંકા ગાંધી આવ્યા નતો સોનિયા ગાંધી આવ્યા. રાહુલ ગાંધીએ માત્ર બે સભા યોજી હતી. પરંતુ રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત આવી પ્રચાર કરી રહ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, મલ્લિકાર્જન ખડગે ગુજરાત આવી કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે. નેતાઓ દ્વારા કરવામાં આવેલો આ પ્રચાર મતદારોને કેટલો સફળ થાય છે તે પરિણામના દિવસે ખબર પડશે.      




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.