પંચમહાલની હાલોલ બેઠક પર સર્જાઈ રાજકીય ઉથલપાથલ, હાલોલ બેઠક માટે એકાએક કોંગ્રેસ લાવી નવો ચહેરો


  • Published By :
  • Published Date : 2022-11-17 11:26:44

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. દરેક પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પરંતુ જાહેર કરાયેલા ઉમેદવારોના નામ છેલ્લી ઘડીએ બદલાઈ રહ્યા છે. કોંગ્રેસે અને એનસીપીએ ત્રણ બેઠકો માટે ગઠબંધન કર્યું છે. ઉપરાંત અનેક ઉમેદવારો પોતે ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. કોંગ્રેસે તમામ બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે પંચમહાલની હાલોલમાં કોંગ્રેસને અંતિમ ક્ષણે પોતાના ઉમેદવારને બદલવાની ફરજ પડી છે. રાજેન્દ્રસિંહ પરમારની બદલીમાં અનિશ બારિયાને મેન્ડેટ આપવામાં આવ્યું છે. 

અંતિમ દિવસે કોંગ્રેસમાં મોટો ઉલટફેર! કોંગ્રેસે હાલોલ બેઠક પર અંતિમ ઘડીએ મેન્ડેટ બદલ્યું, અનિશ બારિયાનું નામ જાહેર

રાતોરાત કોંગ્રેસે બદલ્યા ઉમેદવાર 

કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ પાર્ટીમાં ચાલતા આંતરિક ડખા સામે આવી રહ્યા છે. કોંગ્રેસે છેલ્લી ઘડીએ પંચમહાલ હાલોલના ઉમેદવારને બદલી દીધા છે. કોંગ્રેસે હાલોલ બેઠક માટે રાજેન્દ્રસિંહ પરમારને પસંદ કર્યા હતા. પરંતુ તેમણે બીજી જગ્યાએથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી. જેને કારણે કોંગ્રેસે હાલોલ બેઠક માટે અનિશ બારિયાને મેન્ડેટ પ્યા છે. અચાનક ઉમેદવારની બદલી કરવામાં આવતા પંચમહાલના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવાને માત્ર ગણતરીના કલાકો બાકી છે ત્યારે અચાનક ઉમેદવાર બદલી દેવાતા રાજકારણના સમીકરણો બદલાયા છે. 

Gujarat Election 2022 Congress May Announce Another List Of Candidates By  Tonight | Gujarat Election 2022: આજે રાત સુધીમાં કૉંગ્રેસ ઉમેદવારોની બીજી  યાદી જાહેર કરી શકે

ચૂંટણી સમયે કોંગ્રેસમાં થઈ શકે છે ભડકા 

ફોર્મ ભરવાની અંતિમ ક્ષણે કોંગ્રેસ દ્વારા ઉમેદવારો બદલાતા પાર્ટીમાં વિરોધના સુર ઉપડી શકે છે. કારણ કે ગોધરા બેઠક માટે કોંગ્રેસે પહેલેથી જ પોતાના ઉમેદવારી જાહેરાત કરી દીધી છે. ત્યારે જો ગોધરા માટે પણ ઉમેદવારના નામની બદલી કરવામાં આવશે તો પાર્ટીમાં ચૂંટણી સમયે કોંગ્રેસમાં ભડાકા થઈ શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે.  





રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.