પંચમહાલની હાલોલ બેઠક પર સર્જાઈ રાજકીય ઉથલપાથલ, હાલોલ બેઠક માટે એકાએક કોંગ્રેસ લાવી નવો ચહેરો


  • Published By :
  • Published Date : 2022-11-17 11:26:44

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. દરેક પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પરંતુ જાહેર કરાયેલા ઉમેદવારોના નામ છેલ્લી ઘડીએ બદલાઈ રહ્યા છે. કોંગ્રેસે અને એનસીપીએ ત્રણ બેઠકો માટે ગઠબંધન કર્યું છે. ઉપરાંત અનેક ઉમેદવારો પોતે ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. કોંગ્રેસે તમામ બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે પંચમહાલની હાલોલમાં કોંગ્રેસને અંતિમ ક્ષણે પોતાના ઉમેદવારને બદલવાની ફરજ પડી છે. રાજેન્દ્રસિંહ પરમારની બદલીમાં અનિશ બારિયાને મેન્ડેટ આપવામાં આવ્યું છે. 

અંતિમ દિવસે કોંગ્રેસમાં મોટો ઉલટફેર! કોંગ્રેસે હાલોલ બેઠક પર અંતિમ ઘડીએ મેન્ડેટ બદલ્યું, અનિશ બારિયાનું નામ જાહેર

રાતોરાત કોંગ્રેસે બદલ્યા ઉમેદવાર 

કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ પાર્ટીમાં ચાલતા આંતરિક ડખા સામે આવી રહ્યા છે. કોંગ્રેસે છેલ્લી ઘડીએ પંચમહાલ હાલોલના ઉમેદવારને બદલી દીધા છે. કોંગ્રેસે હાલોલ બેઠક માટે રાજેન્દ્રસિંહ પરમારને પસંદ કર્યા હતા. પરંતુ તેમણે બીજી જગ્યાએથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી. જેને કારણે કોંગ્રેસે હાલોલ બેઠક માટે અનિશ બારિયાને મેન્ડેટ પ્યા છે. અચાનક ઉમેદવારની બદલી કરવામાં આવતા પંચમહાલના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવાને માત્ર ગણતરીના કલાકો બાકી છે ત્યારે અચાનક ઉમેદવાર બદલી દેવાતા રાજકારણના સમીકરણો બદલાયા છે. 

Gujarat Election 2022 Congress May Announce Another List Of Candidates By  Tonight | Gujarat Election 2022: આજે રાત સુધીમાં કૉંગ્રેસ ઉમેદવારોની બીજી  યાદી જાહેર કરી શકે

ચૂંટણી સમયે કોંગ્રેસમાં થઈ શકે છે ભડકા 

ફોર્મ ભરવાની અંતિમ ક્ષણે કોંગ્રેસ દ્વારા ઉમેદવારો બદલાતા પાર્ટીમાં વિરોધના સુર ઉપડી શકે છે. કારણ કે ગોધરા બેઠક માટે કોંગ્રેસે પહેલેથી જ પોતાના ઉમેદવારી જાહેરાત કરી દીધી છે. ત્યારે જો ગોધરા માટે પણ ઉમેદવારના નામની બદલી કરવામાં આવશે તો પાર્ટીમાં ચૂંટણી સમયે કોંગ્રેસમાં ભડાકા થઈ શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે.  





ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.