પંચમહાલની હાલોલ બેઠક પર સર્જાઈ રાજકીય ઉથલપાથલ, હાલોલ બેઠક માટે એકાએક કોંગ્રેસ લાવી નવો ચહેરો


  • Published By :
  • Published Date : 2022-11-17 11:26:44

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. દરેક પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પરંતુ જાહેર કરાયેલા ઉમેદવારોના નામ છેલ્લી ઘડીએ બદલાઈ રહ્યા છે. કોંગ્રેસે અને એનસીપીએ ત્રણ બેઠકો માટે ગઠબંધન કર્યું છે. ઉપરાંત અનેક ઉમેદવારો પોતે ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. કોંગ્રેસે તમામ બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે પંચમહાલની હાલોલમાં કોંગ્રેસને અંતિમ ક્ષણે પોતાના ઉમેદવારને બદલવાની ફરજ પડી છે. રાજેન્દ્રસિંહ પરમારની બદલીમાં અનિશ બારિયાને મેન્ડેટ આપવામાં આવ્યું છે. 

અંતિમ દિવસે કોંગ્રેસમાં મોટો ઉલટફેર! કોંગ્રેસે હાલોલ બેઠક પર અંતિમ ઘડીએ મેન્ડેટ બદલ્યું, અનિશ બારિયાનું નામ જાહેર

રાતોરાત કોંગ્રેસે બદલ્યા ઉમેદવાર 

કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ પાર્ટીમાં ચાલતા આંતરિક ડખા સામે આવી રહ્યા છે. કોંગ્રેસે છેલ્લી ઘડીએ પંચમહાલ હાલોલના ઉમેદવારને બદલી દીધા છે. કોંગ્રેસે હાલોલ બેઠક માટે રાજેન્દ્રસિંહ પરમારને પસંદ કર્યા હતા. પરંતુ તેમણે બીજી જગ્યાએથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી. જેને કારણે કોંગ્રેસે હાલોલ બેઠક માટે અનિશ બારિયાને મેન્ડેટ પ્યા છે. અચાનક ઉમેદવારની બદલી કરવામાં આવતા પંચમહાલના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવાને માત્ર ગણતરીના કલાકો બાકી છે ત્યારે અચાનક ઉમેદવાર બદલી દેવાતા રાજકારણના સમીકરણો બદલાયા છે. 

Gujarat Election 2022 Congress May Announce Another List Of Candidates By  Tonight | Gujarat Election 2022: આજે રાત સુધીમાં કૉંગ્રેસ ઉમેદવારોની બીજી  યાદી જાહેર કરી શકે

ચૂંટણી સમયે કોંગ્રેસમાં થઈ શકે છે ભડકા 

ફોર્મ ભરવાની અંતિમ ક્ષણે કોંગ્રેસ દ્વારા ઉમેદવારો બદલાતા પાર્ટીમાં વિરોધના સુર ઉપડી શકે છે. કારણ કે ગોધરા બેઠક માટે કોંગ્રેસે પહેલેથી જ પોતાના ઉમેદવારી જાહેરાત કરી દીધી છે. ત્યારે જો ગોધરા માટે પણ ઉમેદવારના નામની બદલી કરવામાં આવશે તો પાર્ટીમાં ચૂંટણી સમયે કોંગ્રેસમાં ભડાકા થઈ શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે.  





પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.