પંચમહાલની હાલોલ બેઠક પર સર્જાઈ રાજકીય ઉથલપાથલ, હાલોલ બેઠક માટે એકાએક કોંગ્રેસ લાવી નવો ચહેરો


  • Published By :
  • Published Date : 2022-11-17 11:26:44

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. દરેક પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પરંતુ જાહેર કરાયેલા ઉમેદવારોના નામ છેલ્લી ઘડીએ બદલાઈ રહ્યા છે. કોંગ્રેસે અને એનસીપીએ ત્રણ બેઠકો માટે ગઠબંધન કર્યું છે. ઉપરાંત અનેક ઉમેદવારો પોતે ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. કોંગ્રેસે તમામ બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે પંચમહાલની હાલોલમાં કોંગ્રેસને અંતિમ ક્ષણે પોતાના ઉમેદવારને બદલવાની ફરજ પડી છે. રાજેન્દ્રસિંહ પરમારની બદલીમાં અનિશ બારિયાને મેન્ડેટ આપવામાં આવ્યું છે. 

અંતિમ દિવસે કોંગ્રેસમાં મોટો ઉલટફેર! કોંગ્રેસે હાલોલ બેઠક પર અંતિમ ઘડીએ મેન્ડેટ બદલ્યું, અનિશ બારિયાનું નામ જાહેર

રાતોરાત કોંગ્રેસે બદલ્યા ઉમેદવાર 

કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ પાર્ટીમાં ચાલતા આંતરિક ડખા સામે આવી રહ્યા છે. કોંગ્રેસે છેલ્લી ઘડીએ પંચમહાલ હાલોલના ઉમેદવારને બદલી દીધા છે. કોંગ્રેસે હાલોલ બેઠક માટે રાજેન્દ્રસિંહ પરમારને પસંદ કર્યા હતા. પરંતુ તેમણે બીજી જગ્યાએથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી. જેને કારણે કોંગ્રેસે હાલોલ બેઠક માટે અનિશ બારિયાને મેન્ડેટ પ્યા છે. અચાનક ઉમેદવારની બદલી કરવામાં આવતા પંચમહાલના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવાને માત્ર ગણતરીના કલાકો બાકી છે ત્યારે અચાનક ઉમેદવાર બદલી દેવાતા રાજકારણના સમીકરણો બદલાયા છે. 

Gujarat Election 2022 Congress May Announce Another List Of Candidates By  Tonight | Gujarat Election 2022: આજે રાત સુધીમાં કૉંગ્રેસ ઉમેદવારોની બીજી  યાદી જાહેર કરી શકે

ચૂંટણી સમયે કોંગ્રેસમાં થઈ શકે છે ભડકા 

ફોર્મ ભરવાની અંતિમ ક્ષણે કોંગ્રેસ દ્વારા ઉમેદવારો બદલાતા પાર્ટીમાં વિરોધના સુર ઉપડી શકે છે. કારણ કે ગોધરા બેઠક માટે કોંગ્રેસે પહેલેથી જ પોતાના ઉમેદવારી જાહેરાત કરી દીધી છે. ત્યારે જો ગોધરા માટે પણ ઉમેદવારના નામની બદલી કરવામાં આવશે તો પાર્ટીમાં ચૂંટણી સમયે કોંગ્રેસમાં ભડાકા થઈ શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે.  





જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.