પોતાની સ્ટાઈલમાં રાજનેતાઓએ પાઠવી નવા વર્ષની શુભકામના....


  • Published By :
  • Published Date : 2022-10-26 10:45:03

આજથી ગુજરાતીઓના નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાને ટ્વિટ કરી લખ્યું કે સૌ ગુજરાતીઓને નવા વર્ષની અંત:કરણની શુભેચ્છા...!! આજથી શરૂ થતું નવું વર્ષ આપના જીવનને પ્રકાશમય કરી પ્રગતિના પંથે દોરી જાય.

 

સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ પાઠવી નવા વર્ષની શુભકામના 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે. તેમણે ટ્વિટ કરી લખ્યું કે આપ સૌને નૂતન વર્ષની સ્નેહપૂર્ણ શુભકામના પાઠવું છું. ઉપરાંત મુખ્યમંત્રીએ નવા વર્ષની શરૂઆત ગાંધીનગરમાં આવેલ પંચદેવ મંદિરના દર્શન કરીને કરી હતી.

અમિત શાહે કર્યું છે સ્નેહમિલનનું આયોજન 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ નવા વર્ષની શુભકામના પાઠવી છે. શુભેચ્છા પાઠવતા અમિત શાહે લખ્યું કે આ નૂતન વર્ષ તમારા સૌના જીવનમાં ઉત્સાહ અને ઉમંગનો સંચાર કરે. અમિત શાહ હાલ ગુજરાતમાં જ છે. નવા વર્ષને લઈ તેમણે સ્થાનિક કાર્યકર્તાઓ સાથે સ્નેહમિલનનું આયોજન કર્યું છે. મહત્વનું છે કે આ સ્નેહમિલનમાં ચૂંટણી લક્ષી ચર્ચા પણ થઈ શકે છે.

નવા વર્ષમાં મોંઘવારીથી રાહત મળે તેવી ગોપાલ ઈટાલિયાએ કરી પ્રાર્થના

ગુજરાતમાં ચૂંટણીનો જંગ જામ્યો છે. દરેક પાર્ટી પ્રચારમાં લાગી ગઈ છે. ત્યારે ગોપાલ ઈટાલિયાએ પોતાના અંદાજમાં નવા વર્ષની તમામને શુભકામના પાઠવી છે. ઈટાલિયાઓ ટ્વિટ કરી લખ્યું કે નવા વર્ષમાં આપણો દેશ ભ્રષ્ટાચાર મુક્ત થાય, સૌને રોજગારી મળી રહે અને મોંઘવારીમાંથી રાહત મેળવીને દેશવાસીઓ સુખી થાય એવી પ્રાર્થના. અરવિંદ કેજરીવાલે પણ ગુજરાતવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે. 

  કોંગ્રેસ પાર્ટીએ પણ નવા વર્ષની પાઠવી શુભકામના 

નવા વર્ષની શુભકામના કોંગ્રેસ પાર્ટીએ પણ પાઠવી છે. કોંગ્રેસે લખ્યું કે વિક્રમ સંવત 2079 સહુના જીવન માટે મંગલમય, સુખમય અને આરોગ્યમય બની રહે તેવી અભ્યર્થના.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.