પોતાની સ્ટાઈલમાં રાજનેતાઓએ પાઠવી નવા વર્ષની શુભકામના....


  • Published By :
  • Published Date : 2022-10-26 10:45:03

આજથી ગુજરાતીઓના નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાને ટ્વિટ કરી લખ્યું કે સૌ ગુજરાતીઓને નવા વર્ષની અંત:કરણની શુભેચ્છા...!! આજથી શરૂ થતું નવું વર્ષ આપના જીવનને પ્રકાશમય કરી પ્રગતિના પંથે દોરી જાય.

 

સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ પાઠવી નવા વર્ષની શુભકામના 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે. તેમણે ટ્વિટ કરી લખ્યું કે આપ સૌને નૂતન વર્ષની સ્નેહપૂર્ણ શુભકામના પાઠવું છું. ઉપરાંત મુખ્યમંત્રીએ નવા વર્ષની શરૂઆત ગાંધીનગરમાં આવેલ પંચદેવ મંદિરના દર્શન કરીને કરી હતી.

અમિત શાહે કર્યું છે સ્નેહમિલનનું આયોજન 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ નવા વર્ષની શુભકામના પાઠવી છે. શુભેચ્છા પાઠવતા અમિત શાહે લખ્યું કે આ નૂતન વર્ષ તમારા સૌના જીવનમાં ઉત્સાહ અને ઉમંગનો સંચાર કરે. અમિત શાહ હાલ ગુજરાતમાં જ છે. નવા વર્ષને લઈ તેમણે સ્થાનિક કાર્યકર્તાઓ સાથે સ્નેહમિલનનું આયોજન કર્યું છે. મહત્વનું છે કે આ સ્નેહમિલનમાં ચૂંટણી લક્ષી ચર્ચા પણ થઈ શકે છે.

નવા વર્ષમાં મોંઘવારીથી રાહત મળે તેવી ગોપાલ ઈટાલિયાએ કરી પ્રાર્થના

ગુજરાતમાં ચૂંટણીનો જંગ જામ્યો છે. દરેક પાર્ટી પ્રચારમાં લાગી ગઈ છે. ત્યારે ગોપાલ ઈટાલિયાએ પોતાના અંદાજમાં નવા વર્ષની તમામને શુભકામના પાઠવી છે. ઈટાલિયાઓ ટ્વિટ કરી લખ્યું કે નવા વર્ષમાં આપણો દેશ ભ્રષ્ટાચાર મુક્ત થાય, સૌને રોજગારી મળી રહે અને મોંઘવારીમાંથી રાહત મેળવીને દેશવાસીઓ સુખી થાય એવી પ્રાર્થના. અરવિંદ કેજરીવાલે પણ ગુજરાતવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે. 

  કોંગ્રેસ પાર્ટીએ પણ નવા વર્ષની પાઠવી શુભકામના 

નવા વર્ષની શુભકામના કોંગ્રેસ પાર્ટીએ પણ પાઠવી છે. કોંગ્રેસે લખ્યું કે વિક્રમ સંવત 2079 સહુના જીવન માટે મંગલમય, સુખમય અને આરોગ્યમય બની રહે તેવી અભ્યર્થના.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"