પોતાની સ્ટાઈલમાં રાજનેતાઓએ પાઠવી નવા વર્ષની શુભકામના....


  • Published By :
  • Published Date : 2022-10-26 10:45:03

આજથી ગુજરાતીઓના નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાને ટ્વિટ કરી લખ્યું કે સૌ ગુજરાતીઓને નવા વર્ષની અંત:કરણની શુભેચ્છા...!! આજથી શરૂ થતું નવું વર્ષ આપના જીવનને પ્રકાશમય કરી પ્રગતિના પંથે દોરી જાય.

 

સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ પાઠવી નવા વર્ષની શુભકામના 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે. તેમણે ટ્વિટ કરી લખ્યું કે આપ સૌને નૂતન વર્ષની સ્નેહપૂર્ણ શુભકામના પાઠવું છું. ઉપરાંત મુખ્યમંત્રીએ નવા વર્ષની શરૂઆત ગાંધીનગરમાં આવેલ પંચદેવ મંદિરના દર્શન કરીને કરી હતી.

અમિત શાહે કર્યું છે સ્નેહમિલનનું આયોજન 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ નવા વર્ષની શુભકામના પાઠવી છે. શુભેચ્છા પાઠવતા અમિત શાહે લખ્યું કે આ નૂતન વર્ષ તમારા સૌના જીવનમાં ઉત્સાહ અને ઉમંગનો સંચાર કરે. અમિત શાહ હાલ ગુજરાતમાં જ છે. નવા વર્ષને લઈ તેમણે સ્થાનિક કાર્યકર્તાઓ સાથે સ્નેહમિલનનું આયોજન કર્યું છે. મહત્વનું છે કે આ સ્નેહમિલનમાં ચૂંટણી લક્ષી ચર્ચા પણ થઈ શકે છે.

નવા વર્ષમાં મોંઘવારીથી રાહત મળે તેવી ગોપાલ ઈટાલિયાએ કરી પ્રાર્થના

ગુજરાતમાં ચૂંટણીનો જંગ જામ્યો છે. દરેક પાર્ટી પ્રચારમાં લાગી ગઈ છે. ત્યારે ગોપાલ ઈટાલિયાએ પોતાના અંદાજમાં નવા વર્ષની તમામને શુભકામના પાઠવી છે. ઈટાલિયાઓ ટ્વિટ કરી લખ્યું કે નવા વર્ષમાં આપણો દેશ ભ્રષ્ટાચાર મુક્ત થાય, સૌને રોજગારી મળી રહે અને મોંઘવારીમાંથી રાહત મેળવીને દેશવાસીઓ સુખી થાય એવી પ્રાર્થના. અરવિંદ કેજરીવાલે પણ ગુજરાતવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે. 

  કોંગ્રેસ પાર્ટીએ પણ નવા વર્ષની પાઠવી શુભકામના 

નવા વર્ષની શુભકામના કોંગ્રેસ પાર્ટીએ પણ પાઠવી છે. કોંગ્રેસે લખ્યું કે વિક્રમ સંવત 2079 સહુના જીવન માટે મંગલમય, સુખમય અને આરોગ્યમય બની રહે તેવી અભ્યર્થના.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.