પોતાની સ્ટાઈલમાં રાજનેતાઓએ પાઠવી નવા વર્ષની શુભકામના....


  • Published By :
  • Published Date : 2022-10-26 10:45:03

આજથી ગુજરાતીઓના નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાને ટ્વિટ કરી લખ્યું કે સૌ ગુજરાતીઓને નવા વર્ષની અંત:કરણની શુભેચ્છા...!! આજથી શરૂ થતું નવું વર્ષ આપના જીવનને પ્રકાશમય કરી પ્રગતિના પંથે દોરી જાય.

 

સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ પાઠવી નવા વર્ષની શુભકામના 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે. તેમણે ટ્વિટ કરી લખ્યું કે આપ સૌને નૂતન વર્ષની સ્નેહપૂર્ણ શુભકામના પાઠવું છું. ઉપરાંત મુખ્યમંત્રીએ નવા વર્ષની શરૂઆત ગાંધીનગરમાં આવેલ પંચદેવ મંદિરના દર્શન કરીને કરી હતી.

અમિત શાહે કર્યું છે સ્નેહમિલનનું આયોજન 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ નવા વર્ષની શુભકામના પાઠવી છે. શુભેચ્છા પાઠવતા અમિત શાહે લખ્યું કે આ નૂતન વર્ષ તમારા સૌના જીવનમાં ઉત્સાહ અને ઉમંગનો સંચાર કરે. અમિત શાહ હાલ ગુજરાતમાં જ છે. નવા વર્ષને લઈ તેમણે સ્થાનિક કાર્યકર્તાઓ સાથે સ્નેહમિલનનું આયોજન કર્યું છે. મહત્વનું છે કે આ સ્નેહમિલનમાં ચૂંટણી લક્ષી ચર્ચા પણ થઈ શકે છે.

નવા વર્ષમાં મોંઘવારીથી રાહત મળે તેવી ગોપાલ ઈટાલિયાએ કરી પ્રાર્થના

ગુજરાતમાં ચૂંટણીનો જંગ જામ્યો છે. દરેક પાર્ટી પ્રચારમાં લાગી ગઈ છે. ત્યારે ગોપાલ ઈટાલિયાએ પોતાના અંદાજમાં નવા વર્ષની તમામને શુભકામના પાઠવી છે. ઈટાલિયાઓ ટ્વિટ કરી લખ્યું કે નવા વર્ષમાં આપણો દેશ ભ્રષ્ટાચાર મુક્ત થાય, સૌને રોજગારી મળી રહે અને મોંઘવારીમાંથી રાહત મેળવીને દેશવાસીઓ સુખી થાય એવી પ્રાર્થના. અરવિંદ કેજરીવાલે પણ ગુજરાતવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે. 

  કોંગ્રેસ પાર્ટીએ પણ નવા વર્ષની પાઠવી શુભકામના 

નવા વર્ષની શુભકામના કોંગ્રેસ પાર્ટીએ પણ પાઠવી છે. કોંગ્રેસે લખ્યું કે વિક્રમ સંવત 2079 સહુના જીવન માટે મંગલમય, સુખમય અને આરોગ્યમય બની રહે તેવી અભ્યર્થના.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.