ગેનીબેન ઠાકોરના નિવેદનથી ગરમાયું રાજકારણ, ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 13:57:15

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતા દિવસેને દિવસે રાજનીતિ ગરમાઈ રહી છે. દિવસો નજીક આવતા આરોપ પ્રતિઆરોપ થવા એને હવે સામાન્ય વાત માનવામાં આવે છે. આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે તો વાક યુદ્ધ ચાલતું રહે છે ત્યારે હવે કોંગ્રેસ પણ ભાજપ પર પ્રહાર કરી રહી છે. સચિવાલયમાં લાગેલી આગ પર રાજનીતિ ગરમાઈ રહી છે. તેમણે કહ્યું કે સચિવાલયમાં આગની ઘટના ઈરાદાપૂર્વક કરવામાં આવેલું કૃત્ય છે.

ભાજપ ચૂંટણીથી ભાગી રહ્યું છે - ગેનીબેન

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે તારીખ જાહેર થઈ છે પરંતુ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે તારીખ જાહેર કરવામાં નથી આવી. આ મુદ્દા પર વાત કરતા તેમણે કહ્યું કે ચૂંટણીથી ભાજપ ભાગી રહ્યું છે. હજી ભાજપની ફેવરમાં વાતાવરણ નથી થયું. જેને કારણે અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ભાજપને હજુ વાયદા આપવાના બાકી હશે, જેથી ચૂંટણીની તારીખ હજી સુધી જાહેર કરવામાં નથી આવી. જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ લડવા તૈયાર છે. વધુમાં તેમણે કહ્યું કે આ વખતે 125 સીટો સાથે સરકાર બનાવીશું.

નિવેદન@બનાસકાંઠા: સચિવાલયમાં આગની ઘટના ઈરાદા પૂર્વકનું કૃત્ય, કોંગ્રેસ 125  બેઠકો સાથે સરકાર બનાવશે: ગેનીબેન ઠાકોર

ભાજપની ગૌરવ યાત્રા પર કર્યા કટાક્ષ

ગુજરાત ગૌરવ યાત્રાનો સહારો લઈ ભાજપ પોતાના પ્રચાર કરી રહી છે. પોતાના કામો લોકો સુધી પહોંચાડવા આનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હમેશાં કોંગ્રેસ ભાજપની ગૌરવ યાત્રા પર પ્રશ્ન ઉઠાવતું આવ્યું છે. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે ભાજપની સરકારે ગૌરવ લઈ શકે એવું એક પણ કામ નથી કર્યું. સરકારે બનાસકાંઠા માટે અનેક જાહેરાતો તો કરી પરંતુ એક પણ યોજનાનું અમલીકરણ નથી થયું.      



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"