ગેનીબેન ઠાકોરના નિવેદનથી ગરમાયું રાજકારણ, ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 13:57:15

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતા દિવસેને દિવસે રાજનીતિ ગરમાઈ રહી છે. દિવસો નજીક આવતા આરોપ પ્રતિઆરોપ થવા એને હવે સામાન્ય વાત માનવામાં આવે છે. આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે તો વાક યુદ્ધ ચાલતું રહે છે ત્યારે હવે કોંગ્રેસ પણ ભાજપ પર પ્રહાર કરી રહી છે. સચિવાલયમાં લાગેલી આગ પર રાજનીતિ ગરમાઈ રહી છે. તેમણે કહ્યું કે સચિવાલયમાં આગની ઘટના ઈરાદાપૂર્વક કરવામાં આવેલું કૃત્ય છે.

ભાજપ ચૂંટણીથી ભાગી રહ્યું છે - ગેનીબેન

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે તારીખ જાહેર થઈ છે પરંતુ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે તારીખ જાહેર કરવામાં નથી આવી. આ મુદ્દા પર વાત કરતા તેમણે કહ્યું કે ચૂંટણીથી ભાજપ ભાગી રહ્યું છે. હજી ભાજપની ફેવરમાં વાતાવરણ નથી થયું. જેને કારણે અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ભાજપને હજુ વાયદા આપવાના બાકી હશે, જેથી ચૂંટણીની તારીખ હજી સુધી જાહેર કરવામાં નથી આવી. જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ લડવા તૈયાર છે. વધુમાં તેમણે કહ્યું કે આ વખતે 125 સીટો સાથે સરકાર બનાવીશું.

નિવેદન@બનાસકાંઠા: સચિવાલયમાં આગની ઘટના ઈરાદા પૂર્વકનું કૃત્ય, કોંગ્રેસ 125  બેઠકો સાથે સરકાર બનાવશે: ગેનીબેન ઠાકોર

ભાજપની ગૌરવ યાત્રા પર કર્યા કટાક્ષ

ગુજરાત ગૌરવ યાત્રાનો સહારો લઈ ભાજપ પોતાના પ્રચાર કરી રહી છે. પોતાના કામો લોકો સુધી પહોંચાડવા આનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હમેશાં કોંગ્રેસ ભાજપની ગૌરવ યાત્રા પર પ્રશ્ન ઉઠાવતું આવ્યું છે. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે ભાજપની સરકારે ગૌરવ લઈ શકે એવું એક પણ કામ નથી કર્યું. સરકારે બનાસકાંઠા માટે અનેક જાહેરાતો તો કરી પરંતુ એક પણ યોજનાનું અમલીકરણ નથી થયું.      



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે