ગેનીબેન ઠાકોરના નિવેદનથી ગરમાયું રાજકારણ, ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 13:57:15

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતા દિવસેને દિવસે રાજનીતિ ગરમાઈ રહી છે. દિવસો નજીક આવતા આરોપ પ્રતિઆરોપ થવા એને હવે સામાન્ય વાત માનવામાં આવે છે. આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે તો વાક યુદ્ધ ચાલતું રહે છે ત્યારે હવે કોંગ્રેસ પણ ભાજપ પર પ્રહાર કરી રહી છે. સચિવાલયમાં લાગેલી આગ પર રાજનીતિ ગરમાઈ રહી છે. તેમણે કહ્યું કે સચિવાલયમાં આગની ઘટના ઈરાદાપૂર્વક કરવામાં આવેલું કૃત્ય છે.

ભાજપ ચૂંટણીથી ભાગી રહ્યું છે - ગેનીબેન

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે તારીખ જાહેર થઈ છે પરંતુ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે તારીખ જાહેર કરવામાં નથી આવી. આ મુદ્દા પર વાત કરતા તેમણે કહ્યું કે ચૂંટણીથી ભાજપ ભાગી રહ્યું છે. હજી ભાજપની ફેવરમાં વાતાવરણ નથી થયું. જેને કારણે અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ભાજપને હજુ વાયદા આપવાના બાકી હશે, જેથી ચૂંટણીની તારીખ હજી સુધી જાહેર કરવામાં નથી આવી. જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ લડવા તૈયાર છે. વધુમાં તેમણે કહ્યું કે આ વખતે 125 સીટો સાથે સરકાર બનાવીશું.

નિવેદન@બનાસકાંઠા: સચિવાલયમાં આગની ઘટના ઈરાદા પૂર્વકનું કૃત્ય, કોંગ્રેસ 125  બેઠકો સાથે સરકાર બનાવશે: ગેનીબેન ઠાકોર

ભાજપની ગૌરવ યાત્રા પર કર્યા કટાક્ષ

ગુજરાત ગૌરવ યાત્રાનો સહારો લઈ ભાજપ પોતાના પ્રચાર કરી રહી છે. પોતાના કામો લોકો સુધી પહોંચાડવા આનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હમેશાં કોંગ્રેસ ભાજપની ગૌરવ યાત્રા પર પ્રશ્ન ઉઠાવતું આવ્યું છે. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે ભાજપની સરકારે ગૌરવ લઈ શકે એવું એક પણ કામ નથી કર્યું. સરકારે બનાસકાંઠા માટે અનેક જાહેરાતો તો કરી પરંતુ એક પણ યોજનાનું અમલીકરણ નથી થયું.      



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.