ડેડિયાપાડામાં ગરમાયું રાજકારણ, મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે છેડાયો પત્રને લઈ વિવાદ, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-03-29 11:14:50

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ દરેક રાજકીય પાર્ટીઓ એક્ટિવ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી પણ ગુજરાતના 26 બેઠકો પર પોતાના ઉમેદવારોને ઉતારવાની છે તેવી જાહેરાત થોડા સમય પહેલા કરવામાં આવી હતી. આ બધા વચ્ચે ડેડીયાપાડામાં રાજકારણ ગરમાયું છે. થોડા સમય પહેલા ભાજપના સાંસદ મનસુખ વસાવાએ એક લેટર લખ્યો હતો જેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે નર્મદાના ભાજપ, કોંગ્રેસ, આપના નેતાઓ અધિકારીઓ પાસેથી હપ્તાની વસૂલી કરે છે. ત્યારે  આ પત્રને લઈ ચૈતર વસાવા પણ સામે આવ્યા છે. ચૈતર વસાવાએ મનસુખ વસાવાને જાહેરમાં ચર્ચા કરવા આમંત્રિત કર્યા છે.


હપ્તા વસૂલી અંગે પત્રને લઈ મનસુખ વસાવા આકરા પાણીએ!

ભાજપના સાંસદ મનસુખ વસાવા પોતાના નિવેદનને લઈ અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે. તેમના દ્વારા લખવામાં આવેલા પત્રો પણ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે થોડા સમય પહેલા મનસુખ વસાવાને એક નનામો પત્ર મળ્યો હતો. જેમાં અનેક મોટા નેતાઓ અધિકારીઓ પાસેથી હપ્તો ઉઘરાવતા હોય તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમાં ભાજપના નેતા, કોંગ્રેસના નેતા તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓના નામનો ઉલ્લેખ હતો. આ અંગે મનસુખ વસાવાએ કહ્યું કે પત્રનો અનેક રીતે ઉપયોગ થતો હોય છે. જે નકલી પણ હોઈ શકે છે એટલે કંઈ કહી શકાતું નથી. પણ મને મળેલો આ પત્ર લોકોમાં ચર્ચાયો છે. નર્મદા જિલ્લાના કોન્ટ્રાક્ટરો પાસે અધિકારીઓને ધાકધમકી આપી પૈસાની ખંડણી કરવામાં આવે છે. પત્રમાં અનેક લોકોના નામો પણ હતા. ત્યારે આ વાતને લઈ ચૈતર વસાવા પણ મેદાનમાં આવ્યા છે કારણ કે પત્રમાં તેમનું પણ નામ હતું.

અમારા પર પાયાવિહોણા આક્ષેપ કરાયા છે - ચૈતર વસાવા 

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મનસુખ વસાવાને ચેલેન્જ કરી છે. જાહેરમાં ચર્ચા કરવા મનસુખ વસાવાને ચૈતર વસાવાએ આમંત્રિત કર્યા છે. જે પત્ર લખવામાં આવ્યો છે. તેમણે લખ્યું કે મનસુખ વસાવાની આગળ પાછળ ફરવાવાળોઓના ઈશારે નર્મદા જિલ્લામા બજેટનું આયોજન બારોબાર સગેવગે થતું હોય છે. આ બાબતે ખુલાસો માંગતા આ ભ્રષ્ટાચારનો રેલો સમગ્ર ટ્રાઈબલ વિસ્તારમાં જવાનો હોય ત્યારે પોતાના મળતિયાઓને બચાવવામાં અમારા પર પાયાવિહોણા આક્ષેપો કર્યા છે. ઉપરાંત એક વીડિયો પણ ચૈતર વસાવાએ પોસ્ટ કર્યો છે.     

  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે