ડેડિયાપાડામાં ગરમાયું રાજકારણ, મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે છેડાયો પત્રને લઈ વિવાદ, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-03-29 11:14:50

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ દરેક રાજકીય પાર્ટીઓ એક્ટિવ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી પણ ગુજરાતના 26 બેઠકો પર પોતાના ઉમેદવારોને ઉતારવાની છે તેવી જાહેરાત થોડા સમય પહેલા કરવામાં આવી હતી. આ બધા વચ્ચે ડેડીયાપાડામાં રાજકારણ ગરમાયું છે. થોડા સમય પહેલા ભાજપના સાંસદ મનસુખ વસાવાએ એક લેટર લખ્યો હતો જેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે નર્મદાના ભાજપ, કોંગ્રેસ, આપના નેતાઓ અધિકારીઓ પાસેથી હપ્તાની વસૂલી કરે છે. ત્યારે  આ પત્રને લઈ ચૈતર વસાવા પણ સામે આવ્યા છે. ચૈતર વસાવાએ મનસુખ વસાવાને જાહેરમાં ચર્ચા કરવા આમંત્રિત કર્યા છે.


હપ્તા વસૂલી અંગે પત્રને લઈ મનસુખ વસાવા આકરા પાણીએ!

ભાજપના સાંસદ મનસુખ વસાવા પોતાના નિવેદનને લઈ અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે. તેમના દ્વારા લખવામાં આવેલા પત્રો પણ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે થોડા સમય પહેલા મનસુખ વસાવાને એક નનામો પત્ર મળ્યો હતો. જેમાં અનેક મોટા નેતાઓ અધિકારીઓ પાસેથી હપ્તો ઉઘરાવતા હોય તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમાં ભાજપના નેતા, કોંગ્રેસના નેતા તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓના નામનો ઉલ્લેખ હતો. આ અંગે મનસુખ વસાવાએ કહ્યું કે પત્રનો અનેક રીતે ઉપયોગ થતો હોય છે. જે નકલી પણ હોઈ શકે છે એટલે કંઈ કહી શકાતું નથી. પણ મને મળેલો આ પત્ર લોકોમાં ચર્ચાયો છે. નર્મદા જિલ્લાના કોન્ટ્રાક્ટરો પાસે અધિકારીઓને ધાકધમકી આપી પૈસાની ખંડણી કરવામાં આવે છે. પત્રમાં અનેક લોકોના નામો પણ હતા. ત્યારે આ વાતને લઈ ચૈતર વસાવા પણ મેદાનમાં આવ્યા છે કારણ કે પત્રમાં તેમનું પણ નામ હતું.

અમારા પર પાયાવિહોણા આક્ષેપ કરાયા છે - ચૈતર વસાવા 

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મનસુખ વસાવાને ચેલેન્જ કરી છે. જાહેરમાં ચર્ચા કરવા મનસુખ વસાવાને ચૈતર વસાવાએ આમંત્રિત કર્યા છે. જે પત્ર લખવામાં આવ્યો છે. તેમણે લખ્યું કે મનસુખ વસાવાની આગળ પાછળ ફરવાવાળોઓના ઈશારે નર્મદા જિલ્લામા બજેટનું આયોજન બારોબાર સગેવગે થતું હોય છે. આ બાબતે ખુલાસો માંગતા આ ભ્રષ્ટાચારનો રેલો સમગ્ર ટ્રાઈબલ વિસ્તારમાં જવાનો હોય ત્યારે પોતાના મળતિયાઓને બચાવવામાં અમારા પર પાયાવિહોણા આક્ષેપો કર્યા છે. ઉપરાંત એક વીડિયો પણ ચૈતર વસાવાએ પોસ્ટ કર્યો છે.     

  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.