રાહુલ ગાંધીની લંડનની સ્પીચ પર ભારતમાં ગરમાતું રાજકારણ, ભાજપના સાંસદે સસ્પેન્ડ કરવા સ્પીકરને રજૂઆત, કમિટી રચવાની કરી માગ


  • Published By :
  • Published Date : 2023-03-17 11:39:59

દેશની સંસદમાં અનેક મહત્વપૂર્ણ વિષયોને લઈ ચર્ચાઓ કરવામાં આવતી હોય છે. પરંતુ હાલ સત્રમાં રાહુલ ગાંધીના ભાષણને લઈ હોબાળો થતાં સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવતી હોય છે. તો બીજી તરફ કોંગ્રેસ પણ અદાણી મુદ્દાને લઈ આક્રામક દેખાઈ રહી છે. સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.  ત્યારે લંડનમાં રાહુલ ગાંધીએ આપેલા ભાષણને લઈ બીજેપીના નિશિકાંત દુબેએ લોકસભા સ્પીકરને પત્ર લખી રાહુલ ગાંધીને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગ કરી છે.

સંસદમાં બોલવા રાહુલે માગ્યો હતો સમય  

બજેટ સત્રના બીજા તબક્કાનો આજે પાંચમો દિવસ છે. પરંતુ જ્યારથી સંસદની કાર્યવાહી શરૂ થઈ છે ત્યારથી કોઈને કોઈ મુદ્દાને લઈ હોબાળો થતા કાર્યવાહીને સ્થગિત કરવામાં આવે છે. એક તરફ જ્યાં ભાજપ રાહુલ ગાંધી માફી માગે તે વાતને લઈ અડગ છે તો બીજી તરફ કોંગ્રેસ પણ અદાણી મુદ્દાને લઈ તપાસ કરવામાં આવે તેવી માગ કરી રહી છે. હોબાળો દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. ગઈકાલે સંસદમાં રાહુલ ગાંધી પહોંચ્યા હતા. સ્પીકર પાસે બોલવાનો સમય પણ માગ્યો પરંતુ સદનની કાર્યવાહી શરૂ થઈ અને માત્ર મિનિટોની અંદર જ સ્થગિત કરી દેવાઈ હતી. 


રાહુલ ગાંધી વિરૂદ્ધ પગલા લેવા સ્પીકરને કરી રજૂઆત 

તે બાદ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને કહ્યું હતું કે હું સાંસદ છું હું સંસદમાં બોલીશ. તે સિવાય પણ અનેક મુદ્દાઓને લઈ તેમણે સરકાર પર પ્રહાર કર્યા હતા. ત્યારે બીજેપીના નિશિકાંત દુબેએ લોકસભા સ્પીકરને લેખિત રજૂઆત કરી છે અને રાહુલ ગાંધીને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગ કરી છે. ઉપરાંત તે પણ કહ્યું કે રાહુલ ગાંધીએ યુરોપ અને અમેરિકામાં પોતાના ભાષણોથી સંસદ અને દેશની ગરીમાને ઠેસ પહોંચાડી છે. એટલે તેમને સંસદમાંથી સસ્પેન્ડ કરવામાં આવે.  


શું આજે પણ હોબાળાને કારણે કાર્યવાહી સ્થગિત કરાશે?

મહત્વનું છે કે સત્ર જ્યારથી શરૂ થયું છે ત્યારથી કોઈને કોઈ મુદ્દે કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. રાહુલ ગાંધી પણ ગઈ કાલે સંસદ પહોંચ્યા હતા. સ્પીકર પાસે બોલવાનો સમય માગ્યો હતો. પરંતુ અમુક મિનિટોની અંદર જ સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. જે બાદ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને લંડનમાં આપેલા ભાષણ અંગે ખુલાસો સંસદમાં કરશે તેવી વાત પણ કહી હતી. ત્યારે જોવાનું એ રહ્યું કે શું સંસદમાં આજે કાર્યવાહી થશે કે આજે પણ રોજની જેમ હોબાળો થતા સ્થગિત કરવામાં આવશે.    




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.