રાહુલ ગાંધીની લંડનની સ્પીચ પર ભારતમાં ગરમાતું રાજકારણ, ભાજપના સાંસદે સસ્પેન્ડ કરવા સ્પીકરને રજૂઆત, કમિટી રચવાની કરી માગ


  • Published By :
  • Published Date : 2023-03-17 11:39:59

દેશની સંસદમાં અનેક મહત્વપૂર્ણ વિષયોને લઈ ચર્ચાઓ કરવામાં આવતી હોય છે. પરંતુ હાલ સત્રમાં રાહુલ ગાંધીના ભાષણને લઈ હોબાળો થતાં સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવતી હોય છે. તો બીજી તરફ કોંગ્રેસ પણ અદાણી મુદ્દાને લઈ આક્રામક દેખાઈ રહી છે. સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.  ત્યારે લંડનમાં રાહુલ ગાંધીએ આપેલા ભાષણને લઈ બીજેપીના નિશિકાંત દુબેએ લોકસભા સ્પીકરને પત્ર લખી રાહુલ ગાંધીને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગ કરી છે.

સંસદમાં બોલવા રાહુલે માગ્યો હતો સમય  

બજેટ સત્રના બીજા તબક્કાનો આજે પાંચમો દિવસ છે. પરંતુ જ્યારથી સંસદની કાર્યવાહી શરૂ થઈ છે ત્યારથી કોઈને કોઈ મુદ્દાને લઈ હોબાળો થતા કાર્યવાહીને સ્થગિત કરવામાં આવે છે. એક તરફ જ્યાં ભાજપ રાહુલ ગાંધી માફી માગે તે વાતને લઈ અડગ છે તો બીજી તરફ કોંગ્રેસ પણ અદાણી મુદ્દાને લઈ તપાસ કરવામાં આવે તેવી માગ કરી રહી છે. હોબાળો દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. ગઈકાલે સંસદમાં રાહુલ ગાંધી પહોંચ્યા હતા. સ્પીકર પાસે બોલવાનો સમય પણ માગ્યો પરંતુ સદનની કાર્યવાહી શરૂ થઈ અને માત્ર મિનિટોની અંદર જ સ્થગિત કરી દેવાઈ હતી. 


રાહુલ ગાંધી વિરૂદ્ધ પગલા લેવા સ્પીકરને કરી રજૂઆત 

તે બાદ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને કહ્યું હતું કે હું સાંસદ છું હું સંસદમાં બોલીશ. તે સિવાય પણ અનેક મુદ્દાઓને લઈ તેમણે સરકાર પર પ્રહાર કર્યા હતા. ત્યારે બીજેપીના નિશિકાંત દુબેએ લોકસભા સ્પીકરને લેખિત રજૂઆત કરી છે અને રાહુલ ગાંધીને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગ કરી છે. ઉપરાંત તે પણ કહ્યું કે રાહુલ ગાંધીએ યુરોપ અને અમેરિકામાં પોતાના ભાષણોથી સંસદ અને દેશની ગરીમાને ઠેસ પહોંચાડી છે. એટલે તેમને સંસદમાંથી સસ્પેન્ડ કરવામાં આવે.  


શું આજે પણ હોબાળાને કારણે કાર્યવાહી સ્થગિત કરાશે?

મહત્વનું છે કે સત્ર જ્યારથી શરૂ થયું છે ત્યારથી કોઈને કોઈ મુદ્દે કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. રાહુલ ગાંધી પણ ગઈ કાલે સંસદ પહોંચ્યા હતા. સ્પીકર પાસે બોલવાનો સમય માગ્યો હતો. પરંતુ અમુક મિનિટોની અંદર જ સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. જે બાદ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને લંડનમાં આપેલા ભાષણ અંગે ખુલાસો સંસદમાં કરશે તેવી વાત પણ કહી હતી. ત્યારે જોવાનું એ રહ્યું કે શું સંસદમાં આજે કાર્યવાહી થશે કે આજે પણ રોજની જેમ હોબાળો થતા સ્થગિત કરવામાં આવશે.    




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.