રાહુલ ગાંધીની લંડનની સ્પીચ પર ભારતમાં ગરમાતું રાજકારણ, ભાજપના સાંસદે સસ્પેન્ડ કરવા સ્પીકરને રજૂઆત, કમિટી રચવાની કરી માગ


  • Published By :
  • Published Date : 2023-03-17 11:39:59

દેશની સંસદમાં અનેક મહત્વપૂર્ણ વિષયોને લઈ ચર્ચાઓ કરવામાં આવતી હોય છે. પરંતુ હાલ સત્રમાં રાહુલ ગાંધીના ભાષણને લઈ હોબાળો થતાં સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવતી હોય છે. તો બીજી તરફ કોંગ્રેસ પણ અદાણી મુદ્દાને લઈ આક્રામક દેખાઈ રહી છે. સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.  ત્યારે લંડનમાં રાહુલ ગાંધીએ આપેલા ભાષણને લઈ બીજેપીના નિશિકાંત દુબેએ લોકસભા સ્પીકરને પત્ર લખી રાહુલ ગાંધીને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગ કરી છે.

સંસદમાં બોલવા રાહુલે માગ્યો હતો સમય  

બજેટ સત્રના બીજા તબક્કાનો આજે પાંચમો દિવસ છે. પરંતુ જ્યારથી સંસદની કાર્યવાહી શરૂ થઈ છે ત્યારથી કોઈને કોઈ મુદ્દાને લઈ હોબાળો થતા કાર્યવાહીને સ્થગિત કરવામાં આવે છે. એક તરફ જ્યાં ભાજપ રાહુલ ગાંધી માફી માગે તે વાતને લઈ અડગ છે તો બીજી તરફ કોંગ્રેસ પણ અદાણી મુદ્દાને લઈ તપાસ કરવામાં આવે તેવી માગ કરી રહી છે. હોબાળો દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. ગઈકાલે સંસદમાં રાહુલ ગાંધી પહોંચ્યા હતા. સ્પીકર પાસે બોલવાનો સમય પણ માગ્યો પરંતુ સદનની કાર્યવાહી શરૂ થઈ અને માત્ર મિનિટોની અંદર જ સ્થગિત કરી દેવાઈ હતી. 


રાહુલ ગાંધી વિરૂદ્ધ પગલા લેવા સ્પીકરને કરી રજૂઆત 

તે બાદ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને કહ્યું હતું કે હું સાંસદ છું હું સંસદમાં બોલીશ. તે સિવાય પણ અનેક મુદ્દાઓને લઈ તેમણે સરકાર પર પ્રહાર કર્યા હતા. ત્યારે બીજેપીના નિશિકાંત દુબેએ લોકસભા સ્પીકરને લેખિત રજૂઆત કરી છે અને રાહુલ ગાંધીને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગ કરી છે. ઉપરાંત તે પણ કહ્યું કે રાહુલ ગાંધીએ યુરોપ અને અમેરિકામાં પોતાના ભાષણોથી સંસદ અને દેશની ગરીમાને ઠેસ પહોંચાડી છે. એટલે તેમને સંસદમાંથી સસ્પેન્ડ કરવામાં આવે.  


શું આજે પણ હોબાળાને કારણે કાર્યવાહી સ્થગિત કરાશે?

મહત્વનું છે કે સત્ર જ્યારથી શરૂ થયું છે ત્યારથી કોઈને કોઈ મુદ્દે કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. રાહુલ ગાંધી પણ ગઈ કાલે સંસદ પહોંચ્યા હતા. સ્પીકર પાસે બોલવાનો સમય માગ્યો હતો. પરંતુ અમુક મિનિટોની અંદર જ સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. જે બાદ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને લંડનમાં આપેલા ભાષણ અંગે ખુલાસો સંસદમાં કરશે તેવી વાત પણ કહી હતી. ત્યારે જોવાનું એ રહ્યું કે શું સંસદમાં આજે કાર્યવાહી થશે કે આજે પણ રોજની જેમ હોબાળો થતા સ્થગિત કરવામાં આવશે.    




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.