ખેડૂતોના પ્રશ્નો મુદ્દે ગરમાયું રાજકારણ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 13:44:06

વિધાનસભા ચૂંટણી નજીક આવતા દિગ્ગજ નેતાઓ પ્રચાર કરવા રેલી કરી રહ્યા છે. ગુજરાતમાં આંદોલનનો ચાલી રહ્યા છે. સરકારી કર્મચારીની સાથે સાથે આંદોનલમાં ખેડૂતો પણ જોડાયા છે. ચાલી રહેલા આંદોલનો વચ્ચે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું છે કે અરવિંદ કેજરીવાલ ગુજરાતના લોકોને ગેરમાર્ગે દોરે છે, ગુજરાતના ખેડૂતો ખુશ છે. પાટીલના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે ખેડૂત આંદોલન કરી રહ્યા છે અને તમે જૂઠ્ઠુ ફેલાવો છો.

સી.આર.પાટીલનો આપ પર પ્રહાર

એક તરફ ગુજરાતમાં અનેક કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. સરકારીથી નારાજ થઈ પોતાની પડતર માગણીને લઈ સરકાર વિરૂદ્ધ આંદોલન કરી રહ્યા છે. અનેક માગણીઓને લઈ ખેડૂતો પણ સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. આ બધા વચ્ચે ચૂંટણી પ્રચાર માટે ગયેલા સી.આર.પાટીલે આપ અને અરવિંદ કેજરીવાલ માટે કહ્યું કે અરવિંદ કેજરીવાલ ગુજરાતના લોકોને ગેરમાર્ગે દોરે છે, ગુજરાતના ખેડૂતો ખુશ છે.

cr patil | Indian Cooperative

ઈસુદાન ગઢવીએ આપી પ્રતિક્રિયા

ઈસુદાન ગઢવીએ પાટીલને જવાબ આપતા કહ્યું કે ક્યા આધારે તમે કહો છો ગુજરાતના ખેડૂતો ખુશ છે. ખેડૂતો દેવામાં છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને તમે જુઠ્ઠુ ફેલાવો છો. અરવિંદ કેજરીવાલ પર કરાયેલી ટિપ્પણી પર જવાબ આપતા કહ્યું કે અમે દિલ્હી અને પંજાબમાં 300 યુનિટ વીજળી ફી આપી છે અને ગુજરાતમાં વીજળી આપીશું. આમાં ક્યાં ગેરમાર્ગે દોરવાની વાત આવી.

ભાજપ અને આપ વચ્ચે ચાલતું વાક્યુદ્ધ

ગુજરાતમાં ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજનીતિ ગરમાઈ રહી છે. ભાજપ અને આપ વચ્ચે અનેક વખત આરોપ-પ્રતિઆરોપો શરૂ થઈ ગયા છે. કોંગ્રેસ હજી સુધી જોર-શોરથી પ્રચાર કરવા નથી ઉતરી એટલે ભાજપ અને આપ વચ્ચે જ વાક્યુદ્ધ ચાલી રહ્યું છે. જ્યારે કોંગ્રેસ પણ ગામ્ય વિસ્તારોમાં પ્રચાર કરવા ઉતરશે ત્યારે તે પણ આરોપ પ્રતિઆરોપની રાજનીતિ કરવામાં લાગી જશે. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .