ખેડૂતોના પ્રશ્નો મુદ્દે ગરમાયું રાજકારણ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 13:44:06

વિધાનસભા ચૂંટણી નજીક આવતા દિગ્ગજ નેતાઓ પ્રચાર કરવા રેલી કરી રહ્યા છે. ગુજરાતમાં આંદોલનનો ચાલી રહ્યા છે. સરકારી કર્મચારીની સાથે સાથે આંદોનલમાં ખેડૂતો પણ જોડાયા છે. ચાલી રહેલા આંદોલનો વચ્ચે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું છે કે અરવિંદ કેજરીવાલ ગુજરાતના લોકોને ગેરમાર્ગે દોરે છે, ગુજરાતના ખેડૂતો ખુશ છે. પાટીલના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે ખેડૂત આંદોલન કરી રહ્યા છે અને તમે જૂઠ્ઠુ ફેલાવો છો.

સી.આર.પાટીલનો આપ પર પ્રહાર

એક તરફ ગુજરાતમાં અનેક કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. સરકારીથી નારાજ થઈ પોતાની પડતર માગણીને લઈ સરકાર વિરૂદ્ધ આંદોલન કરી રહ્યા છે. અનેક માગણીઓને લઈ ખેડૂતો પણ સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. આ બધા વચ્ચે ચૂંટણી પ્રચાર માટે ગયેલા સી.આર.પાટીલે આપ અને અરવિંદ કેજરીવાલ માટે કહ્યું કે અરવિંદ કેજરીવાલ ગુજરાતના લોકોને ગેરમાર્ગે દોરે છે, ગુજરાતના ખેડૂતો ખુશ છે.

cr patil | Indian Cooperative

ઈસુદાન ગઢવીએ આપી પ્રતિક્રિયા

ઈસુદાન ગઢવીએ પાટીલને જવાબ આપતા કહ્યું કે ક્યા આધારે તમે કહો છો ગુજરાતના ખેડૂતો ખુશ છે. ખેડૂતો દેવામાં છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને તમે જુઠ્ઠુ ફેલાવો છો. અરવિંદ કેજરીવાલ પર કરાયેલી ટિપ્પણી પર જવાબ આપતા કહ્યું કે અમે દિલ્હી અને પંજાબમાં 300 યુનિટ વીજળી ફી આપી છે અને ગુજરાતમાં વીજળી આપીશું. આમાં ક્યાં ગેરમાર્ગે દોરવાની વાત આવી.

ભાજપ અને આપ વચ્ચે ચાલતું વાક્યુદ્ધ

ગુજરાતમાં ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજનીતિ ગરમાઈ રહી છે. ભાજપ અને આપ વચ્ચે અનેક વખત આરોપ-પ્રતિઆરોપો શરૂ થઈ ગયા છે. કોંગ્રેસ હજી સુધી જોર-શોરથી પ્રચાર કરવા નથી ઉતરી એટલે ભાજપ અને આપ વચ્ચે જ વાક્યુદ્ધ ચાલી રહ્યું છે. જ્યારે કોંગ્રેસ પણ ગામ્ય વિસ્તારોમાં પ્રચાર કરવા ઉતરશે ત્યારે તે પણ આરોપ પ્રતિઆરોપની રાજનીતિ કરવામાં લાગી જશે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .