ખેડૂતોના પ્રશ્નો મુદ્દે ગરમાયું રાજકારણ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 13:44:06

વિધાનસભા ચૂંટણી નજીક આવતા દિગ્ગજ નેતાઓ પ્રચાર કરવા રેલી કરી રહ્યા છે. ગુજરાતમાં આંદોલનનો ચાલી રહ્યા છે. સરકારી કર્મચારીની સાથે સાથે આંદોનલમાં ખેડૂતો પણ જોડાયા છે. ચાલી રહેલા આંદોલનો વચ્ચે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું છે કે અરવિંદ કેજરીવાલ ગુજરાતના લોકોને ગેરમાર્ગે દોરે છે, ગુજરાતના ખેડૂતો ખુશ છે. પાટીલના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે ખેડૂત આંદોલન કરી રહ્યા છે અને તમે જૂઠ્ઠુ ફેલાવો છો.

સી.આર.પાટીલનો આપ પર પ્રહાર

એક તરફ ગુજરાતમાં અનેક કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. સરકારીથી નારાજ થઈ પોતાની પડતર માગણીને લઈ સરકાર વિરૂદ્ધ આંદોલન કરી રહ્યા છે. અનેક માગણીઓને લઈ ખેડૂતો પણ સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. આ બધા વચ્ચે ચૂંટણી પ્રચાર માટે ગયેલા સી.આર.પાટીલે આપ અને અરવિંદ કેજરીવાલ માટે કહ્યું કે અરવિંદ કેજરીવાલ ગુજરાતના લોકોને ગેરમાર્ગે દોરે છે, ગુજરાતના ખેડૂતો ખુશ છે.

cr patil | Indian Cooperative

ઈસુદાન ગઢવીએ આપી પ્રતિક્રિયા

ઈસુદાન ગઢવીએ પાટીલને જવાબ આપતા કહ્યું કે ક્યા આધારે તમે કહો છો ગુજરાતના ખેડૂતો ખુશ છે. ખેડૂતો દેવામાં છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને તમે જુઠ્ઠુ ફેલાવો છો. અરવિંદ કેજરીવાલ પર કરાયેલી ટિપ્પણી પર જવાબ આપતા કહ્યું કે અમે દિલ્હી અને પંજાબમાં 300 યુનિટ વીજળી ફી આપી છે અને ગુજરાતમાં વીજળી આપીશું. આમાં ક્યાં ગેરમાર્ગે દોરવાની વાત આવી.

ભાજપ અને આપ વચ્ચે ચાલતું વાક્યુદ્ધ

ગુજરાતમાં ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજનીતિ ગરમાઈ રહી છે. ભાજપ અને આપ વચ્ચે અનેક વખત આરોપ-પ્રતિઆરોપો શરૂ થઈ ગયા છે. કોંગ્રેસ હજી સુધી જોર-શોરથી પ્રચાર કરવા નથી ઉતરી એટલે ભાજપ અને આપ વચ્ચે જ વાક્યુદ્ધ ચાલી રહ્યું છે. જ્યારે કોંગ્રેસ પણ ગામ્ય વિસ્તારોમાં પ્રચાર કરવા ઉતરશે ત્યારે તે પણ આરોપ પ્રતિઆરોપની રાજનીતિ કરવામાં લાગી જશે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.