બુટલેગરો પર રાજનીતિ: ભાજપના કથિત પત્રથી રાજનીતિમાં ખળભળાટ


  • Published By :
  • Published Date : 2022-11-09 16:43:11

ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ગુજરાત રાજકારણમાં આક્ષેપ પ્રતિઆક્ષેપ શરૂ થઈ ગયા છે જેમાં કોંગ્રેસે ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે ભાજપનો એક કથિત પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં અમદાવાદ શહેર ભાજપ ચુંટણીમાં બુટલેગરોનો સહારો લેતી હોવાનો મનીષ દોશીએ દાવો કર્યો છે. ભાજપના આ પત્રથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દ્વારા આ કથિત પત્ર જાહેર કરી ભાજપ પર આક્ષેપો કર્યા હતા આ પત્રમાં 13માં નંબરના મુદ્દામાં ભાજપ સમર્થક ન હોય તેવા બુટલેગરોની યાદી બનાવવા આદેશ કરાયો છે. ચુંટણી વ્યવસ્થા માટે ભાજપના આ પત્રમાં બુટલેગરોઓનો ઉલ્લેખ હોવાનો કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે ભાજપનો આ કથિત પત્ર વાયરલ થઈ રહ્યો છે 



આ કથિત પત્રથી ઊભા થયા સવાલો 

ભાજપના કથિત પત્રમાં કેટલી સત્યતા ?

શું ભાજપ ગુંડાઓ અને બુટલેગરોની ચુંટણીમાં મદદ લે છે ?

અમદાવાદ ભાજપના નેતાઓ પાસે આનો કોઈ જવાબ હશે ?

શું ભાજપને બદનામ કરવા આ આ પત્ર ખોટી રીતે વાયરલ કરાઇ રહ્યો છે ?


આક્ષેપોની રાજનીતિ હવે ચરમસીમાએ પહોંચી છે પણ આ ચુંટણીમાં આક્ષેપ પ્રતિઆક્ષેપની રાજનીતિ વચ્ચે ગુજરાતની જનતાના મુદ્દાઓ રાજનેતાઓ ભૂલી ન જાય તો સારું 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.