બુટલેગરો પર રાજનીતિ: ભાજપના કથિત પત્રથી રાજનીતિમાં ખળભળાટ


  • Published By :
  • Published Date : 2022-11-09 16:43:11

ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ગુજરાત રાજકારણમાં આક્ષેપ પ્રતિઆક્ષેપ શરૂ થઈ ગયા છે જેમાં કોંગ્રેસે ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે ભાજપનો એક કથિત પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં અમદાવાદ શહેર ભાજપ ચુંટણીમાં બુટલેગરોનો સહારો લેતી હોવાનો મનીષ દોશીએ દાવો કર્યો છે. ભાજપના આ પત્રથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દ્વારા આ કથિત પત્ર જાહેર કરી ભાજપ પર આક્ષેપો કર્યા હતા આ પત્રમાં 13માં નંબરના મુદ્દામાં ભાજપ સમર્થક ન હોય તેવા બુટલેગરોની યાદી બનાવવા આદેશ કરાયો છે. ચુંટણી વ્યવસ્થા માટે ભાજપના આ પત્રમાં બુટલેગરોઓનો ઉલ્લેખ હોવાનો કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે ભાજપનો આ કથિત પત્ર વાયરલ થઈ રહ્યો છે 



આ કથિત પત્રથી ઊભા થયા સવાલો 

ભાજપના કથિત પત્રમાં કેટલી સત્યતા ?

શું ભાજપ ગુંડાઓ અને બુટલેગરોની ચુંટણીમાં મદદ લે છે ?

અમદાવાદ ભાજપના નેતાઓ પાસે આનો કોઈ જવાબ હશે ?

શું ભાજપને બદનામ કરવા આ આ પત્ર ખોટી રીતે વાયરલ કરાઇ રહ્યો છે ?


આક્ષેપોની રાજનીતિ હવે ચરમસીમાએ પહોંચી છે પણ આ ચુંટણીમાં આક્ષેપ પ્રતિઆક્ષેપની રાજનીતિ વચ્ચે ગુજરાતની જનતાના મુદ્દાઓ રાજનેતાઓ ભૂલી ન જાય તો સારું 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.