Gas Cylinderના ભાવ પર રાજકારણ! Rajasthanની મહિલાઓને મળી નવા વર્ષની ભેટ તો ગુજરાતની મહિલાને કોઈ રાહત નહી? જાણો કોણે કર્યા આક્ષેપ?


  • Published By :
  • Published Date : 2024-01-02 11:10:41

ચૂંટણીનો સમય આવતા અનેક એવા મુદ્દાઓ છે જેને લઈ રાજનીતિ શરૂ થઈ જતી હોય છે. ચૂંટણી સમયે અનેક વચનો આપવામાં આવતા હોય છે. ત્યારે રાજસ્થાનમાં ભાજપ દ્વારા ગેસ સિલિન્ડરના ભાવને લઈ વચન આપવામાં આવ્યું હતું કે 450 રુપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. તે વખતે ભાજપની સરકાર પર કોંગ્રેસ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા હતા ત્યારે ફરી એક વખત ગેસ સિલિન્ડરના ભાવને લઈ કોંગ્રેસના દ્વારા ડબલ એન્જીનની સરકાર પર શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા છે. અમિત ચાવડા, ગેનીબેન ઠાકોર જેવા નેતાઓ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ગુજરાતની જનતાને ક્યારે ઓછા ભાવમાં સિલિન્ડર આપવામાં આવશે.  

ગેસ સિલિન્ડરના ભાવને લઈ છેડાયો વિવાદ

રાજસ્થાનમાં જ્યારે એવી જાહેરાત થઈ કે ગેસ સિલિન્ડર 450 રુપિયામાં આવશે ત્યારથી એક મુદ્દો ઉઠ્યો હતો કે ગુજરાતની જનતા સાથે અન્યાય કેમ? ગુજરાતની મહિલાઓને કેમ આટલી ઓછી કિંમતમાં ગેસ સિલિન્ડર નથી આપવામાં આવતો? અનેક વખત આ વાતને લઈ સવાલો પૂછવામાં આવ્યા છે. રાજસ્થાન માટે કરવામાં આવેલી જાહેરાત બાદ આ વિવાદ છેડાયો હતો ત્યારે ફરીથી આવો વિવાદ છેડાયો છે. ન્યુઝ પેપરમાં જાહેરાત આપવામાં આવી છે કે નવા વર્ષની ભેટ મોદીજીના ગેરન્ટી થઈ રહી છે સાકાર. આ વાતને લઈ ફરી એક વખત આ મુદ્દો ઉઠ્યો છે.


ગેનીબેન ઠાકોરે લખ્યું કે... 

કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ન્યુઝ પેપર કટિંગ સાથે એક ટ્વિટ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે રાજસ્થાનમાં ગેસ સિલિન્ડરની કિંમત 450 રુપિયા થઈ ગઈ છે. ગુજરાતની મહિલાઓનું શું? ગુજરાતની જનતાએ 28 વર્ષ સુધી ગુજરાતમાં ભાજપ સરકારને સમર્થન આપ્યું અને 2022માં ભાજપને ઈતિસાહમાં સૌથી વધુ બેઠકો આપી. તો ગુજરાતની મહિલાને કોઈ રાહત નહી? ગુજરાતની મહિલાઓને કોઈ નવા વર્ષની ભેટ નહીં? તો અમિત ચાવડાએ પણ આને લઈ પ્રતિક્રિયા આપી છે.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.