Gas Cylinderના ભાવ પર રાજકારણ! Rajasthanની મહિલાઓને મળી નવા વર્ષની ભેટ તો ગુજરાતની મહિલાને કોઈ રાહત નહી? જાણો કોણે કર્યા આક્ષેપ?


  • Published By :
  • Published Date : 2024-01-02 11:10:41

ચૂંટણીનો સમય આવતા અનેક એવા મુદ્દાઓ છે જેને લઈ રાજનીતિ શરૂ થઈ જતી હોય છે. ચૂંટણી સમયે અનેક વચનો આપવામાં આવતા હોય છે. ત્યારે રાજસ્થાનમાં ભાજપ દ્વારા ગેસ સિલિન્ડરના ભાવને લઈ વચન આપવામાં આવ્યું હતું કે 450 રુપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. તે વખતે ભાજપની સરકાર પર કોંગ્રેસ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા હતા ત્યારે ફરી એક વખત ગેસ સિલિન્ડરના ભાવને લઈ કોંગ્રેસના દ્વારા ડબલ એન્જીનની સરકાર પર શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા છે. અમિત ચાવડા, ગેનીબેન ઠાકોર જેવા નેતાઓ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ગુજરાતની જનતાને ક્યારે ઓછા ભાવમાં સિલિન્ડર આપવામાં આવશે.  

ગેસ સિલિન્ડરના ભાવને લઈ છેડાયો વિવાદ

રાજસ્થાનમાં જ્યારે એવી જાહેરાત થઈ કે ગેસ સિલિન્ડર 450 રુપિયામાં આવશે ત્યારથી એક મુદ્દો ઉઠ્યો હતો કે ગુજરાતની જનતા સાથે અન્યાય કેમ? ગુજરાતની મહિલાઓને કેમ આટલી ઓછી કિંમતમાં ગેસ સિલિન્ડર નથી આપવામાં આવતો? અનેક વખત આ વાતને લઈ સવાલો પૂછવામાં આવ્યા છે. રાજસ્થાન માટે કરવામાં આવેલી જાહેરાત બાદ આ વિવાદ છેડાયો હતો ત્યારે ફરીથી આવો વિવાદ છેડાયો છે. ન્યુઝ પેપરમાં જાહેરાત આપવામાં આવી છે કે નવા વર્ષની ભેટ મોદીજીના ગેરન્ટી થઈ રહી છે સાકાર. આ વાતને લઈ ફરી એક વખત આ મુદ્દો ઉઠ્યો છે.


ગેનીબેન ઠાકોરે લખ્યું કે... 

કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ન્યુઝ પેપર કટિંગ સાથે એક ટ્વિટ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે રાજસ્થાનમાં ગેસ સિલિન્ડરની કિંમત 450 રુપિયા થઈ ગઈ છે. ગુજરાતની મહિલાઓનું શું? ગુજરાતની જનતાએ 28 વર્ષ સુધી ગુજરાતમાં ભાજપ સરકારને સમર્થન આપ્યું અને 2022માં ભાજપને ઈતિસાહમાં સૌથી વધુ બેઠકો આપી. તો ગુજરાતની મહિલાને કોઈ રાહત નહી? ગુજરાતની મહિલાઓને કોઈ નવા વર્ષની ભેટ નહીં? તો અમિત ચાવડાએ પણ આને લઈ પ્રતિક્રિયા આપી છે.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.