Gas Cylinderના ભાવ પર રાજકારણ! Rajasthanની મહિલાઓને મળી નવા વર્ષની ભેટ તો ગુજરાતની મહિલાને કોઈ રાહત નહી? જાણો કોણે કર્યા આક્ષેપ?


  • Published By :
  • Published Date : 2024-01-02 11:10:41

ચૂંટણીનો સમય આવતા અનેક એવા મુદ્દાઓ છે જેને લઈ રાજનીતિ શરૂ થઈ જતી હોય છે. ચૂંટણી સમયે અનેક વચનો આપવામાં આવતા હોય છે. ત્યારે રાજસ્થાનમાં ભાજપ દ્વારા ગેસ સિલિન્ડરના ભાવને લઈ વચન આપવામાં આવ્યું હતું કે 450 રુપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. તે વખતે ભાજપની સરકાર પર કોંગ્રેસ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા હતા ત્યારે ફરી એક વખત ગેસ સિલિન્ડરના ભાવને લઈ કોંગ્રેસના દ્વારા ડબલ એન્જીનની સરકાર પર શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા છે. અમિત ચાવડા, ગેનીબેન ઠાકોર જેવા નેતાઓ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ગુજરાતની જનતાને ક્યારે ઓછા ભાવમાં સિલિન્ડર આપવામાં આવશે.  

ગેસ સિલિન્ડરના ભાવને લઈ છેડાયો વિવાદ

રાજસ્થાનમાં જ્યારે એવી જાહેરાત થઈ કે ગેસ સિલિન્ડર 450 રુપિયામાં આવશે ત્યારથી એક મુદ્દો ઉઠ્યો હતો કે ગુજરાતની જનતા સાથે અન્યાય કેમ? ગુજરાતની મહિલાઓને કેમ આટલી ઓછી કિંમતમાં ગેસ સિલિન્ડર નથી આપવામાં આવતો? અનેક વખત આ વાતને લઈ સવાલો પૂછવામાં આવ્યા છે. રાજસ્થાન માટે કરવામાં આવેલી જાહેરાત બાદ આ વિવાદ છેડાયો હતો ત્યારે ફરીથી આવો વિવાદ છેડાયો છે. ન્યુઝ પેપરમાં જાહેરાત આપવામાં આવી છે કે નવા વર્ષની ભેટ મોદીજીના ગેરન્ટી થઈ રહી છે સાકાર. આ વાતને લઈ ફરી એક વખત આ મુદ્દો ઉઠ્યો છે.


ગેનીબેન ઠાકોરે લખ્યું કે... 

કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ન્યુઝ પેપર કટિંગ સાથે એક ટ્વિટ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે રાજસ્થાનમાં ગેસ સિલિન્ડરની કિંમત 450 રુપિયા થઈ ગઈ છે. ગુજરાતની મહિલાઓનું શું? ગુજરાતની જનતાએ 28 વર્ષ સુધી ગુજરાતમાં ભાજપ સરકારને સમર્થન આપ્યું અને 2022માં ભાજપને ઈતિસાહમાં સૌથી વધુ બેઠકો આપી. તો ગુજરાતની મહિલાને કોઈ રાહત નહી? ગુજરાતની મહિલાઓને કોઈ નવા વર્ષની ભેટ નહીં? તો અમિત ચાવડાએ પણ આને લઈ પ્રતિક્રિયા આપી છે.  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.