Gas Cylinderના ભાવ પર રાજકારણ! Rajasthanની મહિલાઓને મળી નવા વર્ષની ભેટ તો ગુજરાતની મહિલાને કોઈ રાહત નહી? જાણો કોણે કર્યા આક્ષેપ?


  • Published By :
  • Published Date : 2024-01-02 11:10:41

ચૂંટણીનો સમય આવતા અનેક એવા મુદ્દાઓ છે જેને લઈ રાજનીતિ શરૂ થઈ જતી હોય છે. ચૂંટણી સમયે અનેક વચનો આપવામાં આવતા હોય છે. ત્યારે રાજસ્થાનમાં ભાજપ દ્વારા ગેસ સિલિન્ડરના ભાવને લઈ વચન આપવામાં આવ્યું હતું કે 450 રુપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. તે વખતે ભાજપની સરકાર પર કોંગ્રેસ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા હતા ત્યારે ફરી એક વખત ગેસ સિલિન્ડરના ભાવને લઈ કોંગ્રેસના દ્વારા ડબલ એન્જીનની સરકાર પર શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા છે. અમિત ચાવડા, ગેનીબેન ઠાકોર જેવા નેતાઓ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ગુજરાતની જનતાને ક્યારે ઓછા ભાવમાં સિલિન્ડર આપવામાં આવશે.  

ગેસ સિલિન્ડરના ભાવને લઈ છેડાયો વિવાદ

રાજસ્થાનમાં જ્યારે એવી જાહેરાત થઈ કે ગેસ સિલિન્ડર 450 રુપિયામાં આવશે ત્યારથી એક મુદ્દો ઉઠ્યો હતો કે ગુજરાતની જનતા સાથે અન્યાય કેમ? ગુજરાતની મહિલાઓને કેમ આટલી ઓછી કિંમતમાં ગેસ સિલિન્ડર નથી આપવામાં આવતો? અનેક વખત આ વાતને લઈ સવાલો પૂછવામાં આવ્યા છે. રાજસ્થાન માટે કરવામાં આવેલી જાહેરાત બાદ આ વિવાદ છેડાયો હતો ત્યારે ફરીથી આવો વિવાદ છેડાયો છે. ન્યુઝ પેપરમાં જાહેરાત આપવામાં આવી છે કે નવા વર્ષની ભેટ મોદીજીના ગેરન્ટી થઈ રહી છે સાકાર. આ વાતને લઈ ફરી એક વખત આ મુદ્દો ઉઠ્યો છે.


ગેનીબેન ઠાકોરે લખ્યું કે... 

કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ન્યુઝ પેપર કટિંગ સાથે એક ટ્વિટ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે રાજસ્થાનમાં ગેસ સિલિન્ડરની કિંમત 450 રુપિયા થઈ ગઈ છે. ગુજરાતની મહિલાઓનું શું? ગુજરાતની જનતાએ 28 વર્ષ સુધી ગુજરાતમાં ભાજપ સરકારને સમર્થન આપ્યું અને 2022માં ભાજપને ઈતિસાહમાં સૌથી વધુ બેઠકો આપી. તો ગુજરાતની મહિલાને કોઈ રાહત નહી? ગુજરાતની મહિલાઓને કોઈ નવા વર્ષની ભેટ નહીં? તો અમિત ચાવડાએ પણ આને લઈ પ્રતિક્રિયા આપી છે.  




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે