ફટાકડા પર શરૂ થઈ રાજનીતિ, પાટિલે કોને ગણાવ્યા ધર્મ વિરોધી, વાંચો આ અહેવાલમાં


  • Published By :
  • Published Date : 2022-10-24 10:40:28

દિવાળીનો પાવન પર્વ ચાલી રહ્યો છે. આપણે ત્યાં દિવાળીની ઉજવણી ફટાકડા ફોડી કરવામાં આવે છે. ફટાકડાને કારણે પર્યાવરણને ઘણું નુકસાન થાય છે. જેને કારણે દિલ્હી સરકારે દિલ્હીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. પરંતુ આ વાતની રાજનીતિ ગુજરાતમાં થઈ રહી છે. સી.આર પાટિલે દિલ્હી સરકારના આ નિર્ણયને ધર્મ વિરોધી ગણાવ્યો છે. 

First Aid Treatment for Fireworks Burns and Injuries during Diwali, Home  Remedies for Firecrackers Injuries | ParentCircle

સી.આર પાટિલે આપ પર સાધ્યું નિશાન 

હાલ ગુજરાતમાં ચૂંટણી લક્ષી તૈયારીઓ થઈ રહી છે. દરેક પાર્ટી પોતાનો પ્રચાર કરી રહી છે. કોઈને કોઈ વાત પર રાજકીય પાર્ટી એક બીજા પર આક્ષેપ કરતી રહે છે. આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારોને ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે સી.આર પાટિલે આમ આદમી પાર્ટી તેમજ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું. દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. વધતા પ્રદૂષણને કારણે દિલ્હીની આપ સરકારે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેને કારણે રાજનીતિ ગરમાઈ છે. પોતાના નિવેદનમાં પાટિલે દિલ્હી સરકારના આ નિર્ણયને ધર્મ વિરોધી ગણાવ્યો છે.   

AAP Arvind Kejriwal tweet says cr patil will be removed from bjp president  designation

શું કહ્યું સી.આર.પાટિલે?

પોતાના સંબોધનમાં સી.આર પાટિલે કહ્યું કે મેં સમાચાર વાંચ્યા કે દિલ્હીના મુખ્યમંત્રીએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. હવે તેઓ ગુજરાતમાં ચૂંટણી લડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પછી તમે કેવી રીતે ફટાકડા ફોડશો? આવા ધર્મ વિરોધી અને ફટાકડાનો વિરોધ કરનારા લોકોને તમે ઓળખો. જે આપણને આપણાં જ તહેવારો ઉજવતા રોકી રહ્યા છે. 

સુરત AAPના આજે કેટલાંક કોર્પોરેટર ભાજપમાં જોડાશે. આજે AAPના છેલ્લા કેટલાક  દિવસથી સંપર્ણ વિહોણા થયેલા કોર્પોરેટર કેસરિયો કરશે.

પાટિલના આ નિવેદન પર આપ શું આપશે પ્રતિક્રિયા?   

ગુજરાતમાં જયારથી આમ આદમી પાર્ટી આવી છે ત્યારથી કોઈને કોઈ વાતને લઈ તેની ચર્ચાઓ થઈ રહી છે. ક્યારેક અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ પોસ્ટરને કારણે તો ક્યારેક ગોપાલ ઈટાલિયાના જૂના વીડિયો સામે આવી રહ્યા છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે આરોપ પ્રતિઆરોપ વધી રહ્યા છે. આવા પ્રકારના આરોપ-પ્રતિઓરોપને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાતી રહે છે. ત્યારે સી.આર પાટિલના આવા નિવેદન પર આપ શું પ્રતિક્રિયા આપે છે તે આવનાર સમયમાં ખબર પડશે .         



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.