ફટાકડા પર શરૂ થઈ રાજનીતિ, પાટિલે કોને ગણાવ્યા ધર્મ વિરોધી, વાંચો આ અહેવાલમાં


  • Published By :
  • Published Date : 2022-10-24 10:40:28

દિવાળીનો પાવન પર્વ ચાલી રહ્યો છે. આપણે ત્યાં દિવાળીની ઉજવણી ફટાકડા ફોડી કરવામાં આવે છે. ફટાકડાને કારણે પર્યાવરણને ઘણું નુકસાન થાય છે. જેને કારણે દિલ્હી સરકારે દિલ્હીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. પરંતુ આ વાતની રાજનીતિ ગુજરાતમાં થઈ રહી છે. સી.આર પાટિલે દિલ્હી સરકારના આ નિર્ણયને ધર્મ વિરોધી ગણાવ્યો છે. 

First Aid Treatment for Fireworks Burns and Injuries during Diwali, Home  Remedies for Firecrackers Injuries | ParentCircle

સી.આર પાટિલે આપ પર સાધ્યું નિશાન 

હાલ ગુજરાતમાં ચૂંટણી લક્ષી તૈયારીઓ થઈ રહી છે. દરેક પાર્ટી પોતાનો પ્રચાર કરી રહી છે. કોઈને કોઈ વાત પર રાજકીય પાર્ટી એક બીજા પર આક્ષેપ કરતી રહે છે. આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારોને ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે સી.આર પાટિલે આમ આદમી પાર્ટી તેમજ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું. દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. વધતા પ્રદૂષણને કારણે દિલ્હીની આપ સરકારે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેને કારણે રાજનીતિ ગરમાઈ છે. પોતાના નિવેદનમાં પાટિલે દિલ્હી સરકારના આ નિર્ણયને ધર્મ વિરોધી ગણાવ્યો છે.   

AAP Arvind Kejriwal tweet says cr patil will be removed from bjp president  designation

શું કહ્યું સી.આર.પાટિલે?

પોતાના સંબોધનમાં સી.આર પાટિલે કહ્યું કે મેં સમાચાર વાંચ્યા કે દિલ્હીના મુખ્યમંત્રીએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. હવે તેઓ ગુજરાતમાં ચૂંટણી લડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પછી તમે કેવી રીતે ફટાકડા ફોડશો? આવા ધર્મ વિરોધી અને ફટાકડાનો વિરોધ કરનારા લોકોને તમે ઓળખો. જે આપણને આપણાં જ તહેવારો ઉજવતા રોકી રહ્યા છે. 

સુરત AAPના આજે કેટલાંક કોર્પોરેટર ભાજપમાં જોડાશે. આજે AAPના છેલ્લા કેટલાક  દિવસથી સંપર્ણ વિહોણા થયેલા કોર્પોરેટર કેસરિયો કરશે.

પાટિલના આ નિવેદન પર આપ શું આપશે પ્રતિક્રિયા?   

ગુજરાતમાં જયારથી આમ આદમી પાર્ટી આવી છે ત્યારથી કોઈને કોઈ વાતને લઈ તેની ચર્ચાઓ થઈ રહી છે. ક્યારેક અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ પોસ્ટરને કારણે તો ક્યારેક ગોપાલ ઈટાલિયાના જૂના વીડિયો સામે આવી રહ્યા છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે આરોપ પ્રતિઆરોપ વધી રહ્યા છે. આવા પ્રકારના આરોપ-પ્રતિઓરોપને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાતી રહે છે. ત્યારે સી.આર પાટિલના આવા નિવેદન પર આપ શું પ્રતિક્રિયા આપે છે તે આવનાર સમયમાં ખબર પડશે .         



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.