ફટાકડા પર શરૂ થઈ રાજનીતિ, પાટિલે કોને ગણાવ્યા ધર્મ વિરોધી, વાંચો આ અહેવાલમાં


  • Published By :
  • Published Date : 2022-10-24 10:40:28

દિવાળીનો પાવન પર્વ ચાલી રહ્યો છે. આપણે ત્યાં દિવાળીની ઉજવણી ફટાકડા ફોડી કરવામાં આવે છે. ફટાકડાને કારણે પર્યાવરણને ઘણું નુકસાન થાય છે. જેને કારણે દિલ્હી સરકારે દિલ્હીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. પરંતુ આ વાતની રાજનીતિ ગુજરાતમાં થઈ રહી છે. સી.આર પાટિલે દિલ્હી સરકારના આ નિર્ણયને ધર્મ વિરોધી ગણાવ્યો છે. 

First Aid Treatment for Fireworks Burns and Injuries during Diwali, Home  Remedies for Firecrackers Injuries | ParentCircle

સી.આર પાટિલે આપ પર સાધ્યું નિશાન 

હાલ ગુજરાતમાં ચૂંટણી લક્ષી તૈયારીઓ થઈ રહી છે. દરેક પાર્ટી પોતાનો પ્રચાર કરી રહી છે. કોઈને કોઈ વાત પર રાજકીય પાર્ટી એક બીજા પર આક્ષેપ કરતી રહે છે. આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારોને ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે સી.આર પાટિલે આમ આદમી પાર્ટી તેમજ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું. દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. વધતા પ્રદૂષણને કારણે દિલ્હીની આપ સરકારે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેને કારણે રાજનીતિ ગરમાઈ છે. પોતાના નિવેદનમાં પાટિલે દિલ્હી સરકારના આ નિર્ણયને ધર્મ વિરોધી ગણાવ્યો છે.   

AAP Arvind Kejriwal tweet says cr patil will be removed from bjp president  designation

શું કહ્યું સી.આર.પાટિલે?

પોતાના સંબોધનમાં સી.આર પાટિલે કહ્યું કે મેં સમાચાર વાંચ્યા કે દિલ્હીના મુખ્યમંત્રીએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. હવે તેઓ ગુજરાતમાં ચૂંટણી લડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પછી તમે કેવી રીતે ફટાકડા ફોડશો? આવા ધર્મ વિરોધી અને ફટાકડાનો વિરોધ કરનારા લોકોને તમે ઓળખો. જે આપણને આપણાં જ તહેવારો ઉજવતા રોકી રહ્યા છે. 

સુરત AAPના આજે કેટલાંક કોર્પોરેટર ભાજપમાં જોડાશે. આજે AAPના છેલ્લા કેટલાક  દિવસથી સંપર્ણ વિહોણા થયેલા કોર્પોરેટર કેસરિયો કરશે.

પાટિલના આ નિવેદન પર આપ શું આપશે પ્રતિક્રિયા?   

ગુજરાતમાં જયારથી આમ આદમી પાર્ટી આવી છે ત્યારથી કોઈને કોઈ વાતને લઈ તેની ચર્ચાઓ થઈ રહી છે. ક્યારેક અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ પોસ્ટરને કારણે તો ક્યારેક ગોપાલ ઈટાલિયાના જૂના વીડિયો સામે આવી રહ્યા છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે આરોપ પ્રતિઆરોપ વધી રહ્યા છે. આવા પ્રકારના આરોપ-પ્રતિઓરોપને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાતી રહે છે. ત્યારે સી.આર પાટિલના આવા નિવેદન પર આપ શું પ્રતિક્રિયા આપે છે તે આવનાર સમયમાં ખબર પડશે .         



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.