દેશના 1,777 ધારાસભ્યો સામે ચાલી રહ્યા છે અપહરણ અને હત્યા સહિતના ક્રિમિનલ કેસ: ADR રિપોર્ટ


  • Published By :
  • Published Date : 2023-07-17 17:48:20

દેશની રાજનિતીમાં મની અને મશલ્સ પાવરનું જોર વધી રહ્યું છે. રાજકારણમાં સરળ અને પ્રમાણિક માણસો માટે જાણે કોઈ સ્થાન જ નથી તેવો માહોલ રાજનિતીમાં જોવા મળી રહ્યો છે. તમામ પક્ષોમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા રાજકારણીઓએ અડ્ડો જમાવી દીધો છે. ADR અને નેશનલ ઇલેક્શન વોચ (NEW) દ્વારા હાથ ધરવામાં આવેલા વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે  28 રાજ્યોના 1,777 ધારાસભ્યો વિરુદ્ધ છે અપહરણ, હત્યા સહિતના ક્રિમિનલ કેસ ચાલી રહ્યા છે. ભારતભરની રાજ્યોની વિધાનસભાઓમાં અંદાજે 44 ટકા ધારાસભ્યોએ પોતાની વિરુદ્ધ ફોજદારી કેસ ચાલે તે  દેશના લોકતંત્ર માટે ચિંતાજનક બાબત ચોક્કસપણે કહીં શકાય. 


કયા રાજ્યમાં કેટલા નેતાઓ પર ક્રિમિનલ કેસ?


ADR અને નેશનલ ઇલેક્શન વોચ (NEW) દ્વારા હાથ ધરવામાં આવેલા વિશ્લેષણમાં દેશભરમાં રાજ્ય વિધાનસભાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વર્તમાન ધારાસભ્યોના સોગંદનામાની તપાસ કરવામાં આવી હતી. ધારાસભ્યોએ ચૂંટણી લડતા પહેલા દાખલ કરેલા સોગંદનામામાંથી ડેટા કાઢવામાં આવ્યો હતો. તેના વિશ્લેષણમાં 28 રાજ્ય વિધાનસભાઓ અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં સેવા આપતા 4,033 વ્યક્તિઓમાંથી કુલ 4,001 ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યું હતું. જે મુજબ ભારતમાં ભારતીય જનતા પાર્ટીના 479 ધારાસભ્યો, કોંગ્રેસના 334 ધારાસભ્યો અને આપના 63 ધારાસભ્યો વિરુદ્ધ ક્રિમિનલ કેસ હોવાની જાણકારી મળી છે. ગુજરાતમાં માત્ર 40 ધારાસભ્યો સામે ક્રિમિનિલ કેસ ચાલી રહ્યા છે. કેરળમાં 135 માંથી 95 ધારાસભ્યો ( 70 ટકા ), બિહારમાં 242 માંથી 161 ધારાસભ્યો (67 ટકા), દિલ્હીમાં 70 માંથી 44 ધારાસભ્યો (63 ટકા), મહારાષ્ટ્રમાં 284 માંથી 175 ધારાસભ્યો (62 ટકા), તેલંગાણામાં 72 માંથી 118 ધારાસભ્યો (61 ટકા), અને તમિલનાડુમાં, 224 માંથી 134 ધારાસભ્યો (60 ટકા), દિલ્હીમાં 70 માંથી 37 ધારાસભ્યો (53 ટકા), બિહારમાં 242 માંથી 122 ધારાસભ્યો (50 ટકા), મહારાષ્ટ્રમાં 284 માંથી 114 ધારાસભ્યો (40 ટકા), 79 માંથી 31 ધારાસભ્યો. ઝારખંડમાં (39 ટકા), તેલંગાણામાં 118 માંથી 46 ધારાસભ્યો (39 ટકા) અને ઉત્તર પ્રદેશમાં 403 માંથી 155 (38 ટકા) ધારાસભ્યોએ પોતાની વિરુદ્ધના ગંભીર ગુનાહિત કેસ જાહેર કર્યા છે.


કેટલા ધારાસભ્યો કરોડપતિ છે?


ADR અને નેશનલ ઇલેક્શન વોચ (NEW)ના એનાલિસિસમાં 4,001 ધારાસભ્યોમાંથી 88 (2 ટકા) અબજોપતિ હોવાનું જણાયું હતું, જેમની પાસે 100 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે.223 માંથી 32 (14 ટકા) સાથે કર્ણાટકના ધારાસભ્યોમાં સૌથી વધુ અબજોપતિઓ હતા, ત્યારબાદ 59 માંથી 4 (7 ટકા) સાથે અરુણાચલ પ્રદેશ અને 174 માંથી 10 (6 ટકા) સાથે આંધ્રપ્રદેશ બીજા ક્રમે છે. મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં પણ 100 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ધારાસભ્યો હતા. કર્ણાટક તેના 223 ધારાસભ્યો માટે રૂ. 64.39 કરોડની સરેરાશ સંપત્તિ મૂલ્ય સાથે આ યાદીમાં ટોચ પર છે, ત્યારબાદ આંધ્ર પ્રદેશ 174 ધારાસભ્યો માટે રૂ. 28.24 કરોડ સાથે અને મહારાષ્ટ્ર 284 ધારાસભ્યો માટે રૂ. 23.51 કરોડ સાથે બીજા ક્રમે છે. તેનાથી વિપરીત, ત્રિપુરામાં તેના 59 ધારાસભ્યો માટે રૂ. 1.54 કરોડ સાથે સૌથી ઓછી સરેરાશ સંપત્તિ હતી, ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં 293 ધારાસભ્યો માટે રૂ. 2.80 કરોડ અને કેરળમાં 135 ધારાસભ્યો માટે રૂ. 3.15 કરોડની સંપત્તિ હતી.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .