દેશના 1,777 ધારાસભ્યો સામે ચાલી રહ્યા છે અપહરણ અને હત્યા સહિતના ક્રિમિનલ કેસ: ADR રિપોર્ટ


  • Published By :
  • Published Date : 2023-07-17 17:48:20

દેશની રાજનિતીમાં મની અને મશલ્સ પાવરનું જોર વધી રહ્યું છે. રાજકારણમાં સરળ અને પ્રમાણિક માણસો માટે જાણે કોઈ સ્થાન જ નથી તેવો માહોલ રાજનિતીમાં જોવા મળી રહ્યો છે. તમામ પક્ષોમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા રાજકારણીઓએ અડ્ડો જમાવી દીધો છે. ADR અને નેશનલ ઇલેક્શન વોચ (NEW) દ્વારા હાથ ધરવામાં આવેલા વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે  28 રાજ્યોના 1,777 ધારાસભ્યો વિરુદ્ધ છે અપહરણ, હત્યા સહિતના ક્રિમિનલ કેસ ચાલી રહ્યા છે. ભારતભરની રાજ્યોની વિધાનસભાઓમાં અંદાજે 44 ટકા ધારાસભ્યોએ પોતાની વિરુદ્ધ ફોજદારી કેસ ચાલે તે  દેશના લોકતંત્ર માટે ચિંતાજનક બાબત ચોક્કસપણે કહીં શકાય. 


કયા રાજ્યમાં કેટલા નેતાઓ પર ક્રિમિનલ કેસ?


ADR અને નેશનલ ઇલેક્શન વોચ (NEW) દ્વારા હાથ ધરવામાં આવેલા વિશ્લેષણમાં દેશભરમાં રાજ્ય વિધાનસભાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વર્તમાન ધારાસભ્યોના સોગંદનામાની તપાસ કરવામાં આવી હતી. ધારાસભ્યોએ ચૂંટણી લડતા પહેલા દાખલ કરેલા સોગંદનામામાંથી ડેટા કાઢવામાં આવ્યો હતો. તેના વિશ્લેષણમાં 28 રાજ્ય વિધાનસભાઓ અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં સેવા આપતા 4,033 વ્યક્તિઓમાંથી કુલ 4,001 ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યું હતું. જે મુજબ ભારતમાં ભારતીય જનતા પાર્ટીના 479 ધારાસભ્યો, કોંગ્રેસના 334 ધારાસભ્યો અને આપના 63 ધારાસભ્યો વિરુદ્ધ ક્રિમિનલ કેસ હોવાની જાણકારી મળી છે. ગુજરાતમાં માત્ર 40 ધારાસભ્યો સામે ક્રિમિનિલ કેસ ચાલી રહ્યા છે. કેરળમાં 135 માંથી 95 ધારાસભ્યો ( 70 ટકા ), બિહારમાં 242 માંથી 161 ધારાસભ્યો (67 ટકા), દિલ્હીમાં 70 માંથી 44 ધારાસભ્યો (63 ટકા), મહારાષ્ટ્રમાં 284 માંથી 175 ધારાસભ્યો (62 ટકા), તેલંગાણામાં 72 માંથી 118 ધારાસભ્યો (61 ટકા), અને તમિલનાડુમાં, 224 માંથી 134 ધારાસભ્યો (60 ટકા), દિલ્હીમાં 70 માંથી 37 ધારાસભ્યો (53 ટકા), બિહારમાં 242 માંથી 122 ધારાસભ્યો (50 ટકા), મહારાષ્ટ્રમાં 284 માંથી 114 ધારાસભ્યો (40 ટકા), 79 માંથી 31 ધારાસભ્યો. ઝારખંડમાં (39 ટકા), તેલંગાણામાં 118 માંથી 46 ધારાસભ્યો (39 ટકા) અને ઉત્તર પ્રદેશમાં 403 માંથી 155 (38 ટકા) ધારાસભ્યોએ પોતાની વિરુદ્ધના ગંભીર ગુનાહિત કેસ જાહેર કર્યા છે.


કેટલા ધારાસભ્યો કરોડપતિ છે?


ADR અને નેશનલ ઇલેક્શન વોચ (NEW)ના એનાલિસિસમાં 4,001 ધારાસભ્યોમાંથી 88 (2 ટકા) અબજોપતિ હોવાનું જણાયું હતું, જેમની પાસે 100 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે.223 માંથી 32 (14 ટકા) સાથે કર્ણાટકના ધારાસભ્યોમાં સૌથી વધુ અબજોપતિઓ હતા, ત્યારબાદ 59 માંથી 4 (7 ટકા) સાથે અરુણાચલ પ્રદેશ અને 174 માંથી 10 (6 ટકા) સાથે આંધ્રપ્રદેશ બીજા ક્રમે છે. મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં પણ 100 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ધારાસભ્યો હતા. કર્ણાટક તેના 223 ધારાસભ્યો માટે રૂ. 64.39 કરોડની સરેરાશ સંપત્તિ મૂલ્ય સાથે આ યાદીમાં ટોચ પર છે, ત્યારબાદ આંધ્ર પ્રદેશ 174 ધારાસભ્યો માટે રૂ. 28.24 કરોડ સાથે અને મહારાષ્ટ્ર 284 ધારાસભ્યો માટે રૂ. 23.51 કરોડ સાથે બીજા ક્રમે છે. તેનાથી વિપરીત, ત્રિપુરામાં તેના 59 ધારાસભ્યો માટે રૂ. 1.54 કરોડ સાથે સૌથી ઓછી સરેરાશ સંપત્તિ હતી, ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં 293 ધારાસભ્યો માટે રૂ. 2.80 કરોડ અને કેરળમાં 135 ધારાસભ્યો માટે રૂ. 3.15 કરોડની સંપત્તિ હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.