દિલ્હીમાં પ્રદૂષણ વધી રહ્યું છે અને કેજરીવાલ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે-માંડવિયાએ કટાક્ષમાં કરી ટ્વિટ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-05 12:38:19

દિલ્હીમાં વાયુ પ્રદૂર્ષણનું સ્તર સતત વધી રહ્યું છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી એકદમ ગંભીર હાલતમાં છે. એર ક્વોલિટી ઈન્ડેક્ષ 400 જેટલો નોંધાઈ રહ્યો છે. જેને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.  આ બધા વચ્ચે મનસુખ માંડવિયાએ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. ટ્વિટ કરી તેમણે લખ્યું કે દિલ્હી જનતાને અપીલ છે કે વાયુ પ્રદૂષણથી બચવા માસ્કનો ઉપયોગ કરે. કારણ કે દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં મફતની રેવડી આપવામાં વ્યસ્ત છે.


વધતા પ્રદૂષણને લઈ દિલ્હી સરકાર પર કર્યા પ્રહાર 

આમ આદમી પાર્ટી અનેક રાજ્યોમાં પોતાની સરકાર બનાવવા પ્રયાસ કરી રહી છે. દિલ્હી અને પંજાબમાં જીત મેળવ્યા બાદ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં પ્રચાર કરી સરકાર બનાવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. આ અંગે ગંભીરતા દાખવવી ખુબ જરૂરી બની ગયું છે. દિલ્હી સરકારે પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા અનેક પગલા લીધા છે. સમસ્યા જેમ જેમ વધી રહી છે તેમ તેમ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યા છે. 

Dr Mansukh Mandaviya (@mansukhmandviya) / Twitter

21 જુલાઈ દિલ્હી CM અરવિંદ કેજરીવાલ સુરત આવશે, કરશે મોટી જાહેરાત | July 21  Delhi CM Arvind Kejriwal will come to Surat, will make a big announcement

દિલ્હીના CM ગુજરાત-હિમાચલમાં રેવડી આપવામાં વ્યસ્ત છે - માંડવિયા 

મનસુખ માંડવિયાએ દિલ્હીના મુખ્યમંત્રી પર શાબ્દિક પ્રહાર કર્યા છે. ટ્વિટર પર તેમણે લખ્યું કે દિલ્હી જનતાને અપીલ છે કે વાયુ પ્રદૂષણથી પોતાની રક્ષા કરવા માસ્કનો ઉપયોગ કરે કારણ કે દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં મફતની રેવડી આપવામાં વ્યસ્ત છે. એઈમ્સના પૂર્વ નિર્દેશક ડો. રણદીપ ગુલેરિયાના એક નિવેદનને રિટ્વિટ કરતા માંડવિયાએ પોતાની વાત રજૂ કરી હતી.  




એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .