દિલ્હીમાં પ્રદૂષણ વધી રહ્યું છે અને કેજરીવાલ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે-માંડવિયાએ કટાક્ષમાં કરી ટ્વિટ


  • Published By :
  • Published Date : 2022-11-05 12:38:19

દિલ્હીમાં વાયુ પ્રદૂર્ષણનું સ્તર સતત વધી રહ્યું છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી એકદમ ગંભીર હાલતમાં છે. એર ક્વોલિટી ઈન્ડેક્ષ 400 જેટલો નોંધાઈ રહ્યો છે. જેને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.  આ બધા વચ્ચે મનસુખ માંડવિયાએ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. ટ્વિટ કરી તેમણે લખ્યું કે દિલ્હી જનતાને અપીલ છે કે વાયુ પ્રદૂષણથી બચવા માસ્કનો ઉપયોગ કરે. કારણ કે દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં મફતની રેવડી આપવામાં વ્યસ્ત છે.


વધતા પ્રદૂષણને લઈ દિલ્હી સરકાર પર કર્યા પ્રહાર 

આમ આદમી પાર્ટી અનેક રાજ્યોમાં પોતાની સરકાર બનાવવા પ્રયાસ કરી રહી છે. દિલ્હી અને પંજાબમાં જીત મેળવ્યા બાદ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં પ્રચાર કરી સરકાર બનાવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. આ અંગે ગંભીરતા દાખવવી ખુબ જરૂરી બની ગયું છે. દિલ્હી સરકારે પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા અનેક પગલા લીધા છે. સમસ્યા જેમ જેમ વધી રહી છે તેમ તેમ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યા છે. 

Dr Mansukh Mandaviya (@mansukhmandviya) / Twitter

21 જુલાઈ દિલ્હી CM અરવિંદ કેજરીવાલ સુરત આવશે, કરશે મોટી જાહેરાત | July 21  Delhi CM Arvind Kejriwal will come to Surat, will make a big announcement

દિલ્હીના CM ગુજરાત-હિમાચલમાં રેવડી આપવામાં વ્યસ્ત છે - માંડવિયા 

મનસુખ માંડવિયાએ દિલ્હીના મુખ્યમંત્રી પર શાબ્દિક પ્રહાર કર્યા છે. ટ્વિટર પર તેમણે લખ્યું કે દિલ્હી જનતાને અપીલ છે કે વાયુ પ્રદૂષણથી પોતાની રક્ષા કરવા માસ્કનો ઉપયોગ કરે કારણ કે દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં મફતની રેવડી આપવામાં વ્યસ્ત છે. એઈમ્સના પૂર્વ નિર્દેશક ડો. રણદીપ ગુલેરિયાના એક નિવેદનને રિટ્વિટ કરતા માંડવિયાએ પોતાની વાત રજૂ કરી હતી.  




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.