દિલ્હીમાં પ્રદૂષણ વધી રહ્યું છે અને કેજરીવાલ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે-માંડવિયાએ કટાક્ષમાં કરી ટ્વિટ


  • Published By :
  • Published Date : 2022-11-05 12:38:19

દિલ્હીમાં વાયુ પ્રદૂર્ષણનું સ્તર સતત વધી રહ્યું છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી એકદમ ગંભીર હાલતમાં છે. એર ક્વોલિટી ઈન્ડેક્ષ 400 જેટલો નોંધાઈ રહ્યો છે. જેને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.  આ બધા વચ્ચે મનસુખ માંડવિયાએ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. ટ્વિટ કરી તેમણે લખ્યું કે દિલ્હી જનતાને અપીલ છે કે વાયુ પ્રદૂષણથી બચવા માસ્કનો ઉપયોગ કરે. કારણ કે દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં મફતની રેવડી આપવામાં વ્યસ્ત છે.


વધતા પ્રદૂષણને લઈ દિલ્હી સરકાર પર કર્યા પ્રહાર 

આમ આદમી પાર્ટી અનેક રાજ્યોમાં પોતાની સરકાર બનાવવા પ્રયાસ કરી રહી છે. દિલ્હી અને પંજાબમાં જીત મેળવ્યા બાદ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં પ્રચાર કરી સરકાર બનાવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. આ અંગે ગંભીરતા દાખવવી ખુબ જરૂરી બની ગયું છે. દિલ્હી સરકારે પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા અનેક પગલા લીધા છે. સમસ્યા જેમ જેમ વધી રહી છે તેમ તેમ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યા છે. 

Dr Mansukh Mandaviya (@mansukhmandviya) / Twitter

21 જુલાઈ દિલ્હી CM અરવિંદ કેજરીવાલ સુરત આવશે, કરશે મોટી જાહેરાત | July 21  Delhi CM Arvind Kejriwal will come to Surat, will make a big announcement

દિલ્હીના CM ગુજરાત-હિમાચલમાં રેવડી આપવામાં વ્યસ્ત છે - માંડવિયા 

મનસુખ માંડવિયાએ દિલ્હીના મુખ્યમંત્રી પર શાબ્દિક પ્રહાર કર્યા છે. ટ્વિટર પર તેમણે લખ્યું કે દિલ્હી જનતાને અપીલ છે કે વાયુ પ્રદૂષણથી પોતાની રક્ષા કરવા માસ્કનો ઉપયોગ કરે કારણ કે દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં મફતની રેવડી આપવામાં વ્યસ્ત છે. એઈમ્સના પૂર્વ નિર્દેશક ડો. રણદીપ ગુલેરિયાના એક નિવેદનને રિટ્વિટ કરતા માંડવિયાએ પોતાની વાત રજૂ કરી હતી.  




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.