બોલિવુડ અભિનેત્રી પૂજા ભટ્ટ 'ભારત જોડો યાત્રા'માં રાહુલ ગાંધી સાથે જોડાઈ


  • Published By :
  • Published Date : 2022-11-02 13:38:29

બોલિવુડની એક સમયની લોકપ્રિય અભિનેત્રી પૂજા ભટ્ટ ઘણા લાબા સમય બાદ જાહેરમાં જોવા મળી હતી. પૂજા ભટ્ટ આજે રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં જોડાઈ ત્યારે સુખદ આશ્ચર્ય સર્જાયું હતું. ભારત જોડો યાત્રાનો આજે 56મો દિવસ છે અને હૈદરાબાદ શહેરમાં નિકળેલી આ યાત્રામાં પૂજા ભટ્ટ પણ રાહુલ ગાંધી સાથે જોડાઈ હતી. પૂજા ભટ્ટ અને રાહુલ ગાંધીની તસવીરો કોંગ્રેસ ટ્વીટ કરી હતી. 


શું પૂજા ભટ્ટ પણ કોંગ્રેસમાં જોડાશે?


ભારત જોડો યાત્રામાં પૂજા ભટ્ટ અને રાહુલ ગાંધી સાથે જોવા મળતા તેમના કોંગ્રેસમાં એન્ટ્રીને લઈ અટકળો શરૂ થઈ ગઈ છે. પૂજા ભટ્ટ આમ ફિલ્મ જગતથી છેલ્લા ઘણા વર્ષોથી દુર છે. તે અચાનક જ કોંગ્રસ પાર્ટીની ભારત જોડો યાત્રામાં નજરે પડતા આગામી લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ કરી રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે. પૂજા ભટ્ટ કોંગ્રેસમાં જોડાશે કે નહીં તે હવે આગામી  દિવસોમાં જોવા મળશે.



જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.