બોલિવુડ અભિનેત્રી પૂજા ભટ્ટ 'ભારત જોડો યાત્રા'માં રાહુલ ગાંધી સાથે જોડાઈ


  • Published By :
  • Published Date : 2022-11-02 13:38:29

બોલિવુડની એક સમયની લોકપ્રિય અભિનેત્રી પૂજા ભટ્ટ ઘણા લાબા સમય બાદ જાહેરમાં જોવા મળી હતી. પૂજા ભટ્ટ આજે રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં જોડાઈ ત્યારે સુખદ આશ્ચર્ય સર્જાયું હતું. ભારત જોડો યાત્રાનો આજે 56મો દિવસ છે અને હૈદરાબાદ શહેરમાં નિકળેલી આ યાત્રામાં પૂજા ભટ્ટ પણ રાહુલ ગાંધી સાથે જોડાઈ હતી. પૂજા ભટ્ટ અને રાહુલ ગાંધીની તસવીરો કોંગ્રેસ ટ્વીટ કરી હતી. 


શું પૂજા ભટ્ટ પણ કોંગ્રેસમાં જોડાશે?


ભારત જોડો યાત્રામાં પૂજા ભટ્ટ અને રાહુલ ગાંધી સાથે જોવા મળતા તેમના કોંગ્રેસમાં એન્ટ્રીને લઈ અટકળો શરૂ થઈ ગઈ છે. પૂજા ભટ્ટ આમ ફિલ્મ જગતથી છેલ્લા ઘણા વર્ષોથી દુર છે. તે અચાનક જ કોંગ્રસ પાર્ટીની ભારત જોડો યાત્રામાં નજરે પડતા આગામી લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ કરી રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે. પૂજા ભટ્ટ કોંગ્રેસમાં જોડાશે કે નહીં તે હવે આગામી  દિવસોમાં જોવા મળશે.



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.