બોલિવુડ અભિનેત્રી પૂજા ભટ્ટ 'ભારત જોડો યાત્રા'માં રાહુલ ગાંધી સાથે જોડાઈ


  • Published By :
  • Published Date : 2022-11-02 13:38:29

બોલિવુડની એક સમયની લોકપ્રિય અભિનેત્રી પૂજા ભટ્ટ ઘણા લાબા સમય બાદ જાહેરમાં જોવા મળી હતી. પૂજા ભટ્ટ આજે રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં જોડાઈ ત્યારે સુખદ આશ્ચર્ય સર્જાયું હતું. ભારત જોડો યાત્રાનો આજે 56મો દિવસ છે અને હૈદરાબાદ શહેરમાં નિકળેલી આ યાત્રામાં પૂજા ભટ્ટ પણ રાહુલ ગાંધી સાથે જોડાઈ હતી. પૂજા ભટ્ટ અને રાહુલ ગાંધીની તસવીરો કોંગ્રેસ ટ્વીટ કરી હતી. 


શું પૂજા ભટ્ટ પણ કોંગ્રેસમાં જોડાશે?


ભારત જોડો યાત્રામાં પૂજા ભટ્ટ અને રાહુલ ગાંધી સાથે જોવા મળતા તેમના કોંગ્રેસમાં એન્ટ્રીને લઈ અટકળો શરૂ થઈ ગઈ છે. પૂજા ભટ્ટ આમ ફિલ્મ જગતથી છેલ્લા ઘણા વર્ષોથી દુર છે. તે અચાનક જ કોંગ્રસ પાર્ટીની ભારત જોડો યાત્રામાં નજરે પડતા આગામી લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ કરી રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે. પૂજા ભટ્ટ કોંગ્રેસમાં જોડાશે કે નહીં તે હવે આગામી  દિવસોમાં જોવા મળશે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .