બોલિવુડ અભિનેત્રી પૂજા ભટ્ટ 'ભારત જોડો યાત્રા'માં રાહુલ ગાંધી સાથે જોડાઈ


  • Published By :
  • Published Date : 2022-11-02 13:38:29

બોલિવુડની એક સમયની લોકપ્રિય અભિનેત્રી પૂજા ભટ્ટ ઘણા લાબા સમય બાદ જાહેરમાં જોવા મળી હતી. પૂજા ભટ્ટ આજે રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં જોડાઈ ત્યારે સુખદ આશ્ચર્ય સર્જાયું હતું. ભારત જોડો યાત્રાનો આજે 56મો દિવસ છે અને હૈદરાબાદ શહેરમાં નિકળેલી આ યાત્રામાં પૂજા ભટ્ટ પણ રાહુલ ગાંધી સાથે જોડાઈ હતી. પૂજા ભટ્ટ અને રાહુલ ગાંધીની તસવીરો કોંગ્રેસ ટ્વીટ કરી હતી. 


શું પૂજા ભટ્ટ પણ કોંગ્રેસમાં જોડાશે?


ભારત જોડો યાત્રામાં પૂજા ભટ્ટ અને રાહુલ ગાંધી સાથે જોવા મળતા તેમના કોંગ્રેસમાં એન્ટ્રીને લઈ અટકળો શરૂ થઈ ગઈ છે. પૂજા ભટ્ટ આમ ફિલ્મ જગતથી છેલ્લા ઘણા વર્ષોથી દુર છે. તે અચાનક જ કોંગ્રસ પાર્ટીની ભારત જોડો યાત્રામાં નજરે પડતા આગામી લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ કરી રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે. પૂજા ભટ્ટ કોંગ્રેસમાં જોડાશે કે નહીં તે હવે આગામી  દિવસોમાં જોવા મળશે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.