ગરીબ બાળકોના ખાનગી શાળાઓમાં પ્રવેશ માટેની સુવર્ણ તક, RTE હેઠળ આજથી ફોર્મ ભરવાના શરૂ


  • Published By :
  • Published Date : 2023-04-10 13:57:11

રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ગરીબ બાળકોના ખાનગી શાળામાં પ્રવેશ માટેની પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે RTE હેઠળ ખાનગી સ્કૂલોમાં ધોરણ 1 માં વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. આજથી વર્ષ 2023-24ના વર્ષ માટે આજથી RTEના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. વાલીઓ આજથી RTE માટે ફોર્મ ભરી શકશે. 22 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. અમદાવાદની 1500 સીટ સહિત રાજ્યની 9,856 ખાનગી પ્રાથમિક સ્કૂલોની 82,509 જેટલી સીટ પર એડમિશન આપવામાં આવશે. RTE હેઠળ 1 જૂન, 2023ના 6 વર્ષ પૂર્ણ કરનાર બાળકને જ RTE હેઠળ ખાનગી સ્કૂલમાં પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે.


આ છે RTE હેઠળ સમગ્ર પ્રવેશ પ્રક્રિયા


રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશની તારીખની અગાઉથી જ જાહેરાત કરવામાં આવી હતી, જેથી વાલીઓ 1થી 9 એપ્રિલ દરમિયાન પ્રવેશ માટે જરૂરી એવો બાળકના જન્મનો દાખલો, સરનામાનો પુરાવો, આધારકાર્ડ, ફોટો, જાતિનો દાખલો, બેંક એકાઉન્ટની વિગતો સહિતના પુરાવા એકઠા કરી શકે. હવે આજથી 22 એપ્રિલ સુધીમાં ઑનલાઈન ફોર્મ ભરવાનું હશે. જેમાં તમામ અસલી ડૉક્યુમેન્ટના ફોટો અથવા PDF ફૉર્મેટમાં અપલોડ કરવાના રહેશે. જે બાદ ઑનલાઈન ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવશે. તથા 25થી 27 એપ્રિલ દરમિયાન જે અરજીમાં ક્વેરી જણાશે, તો અરજદારને જરૂરી ડૉક્યૂમેન્ટ રજૂ કરવાની તક આપવામાં આવશે અને 25થી 29 એપ્રિલ દરમિયાન આવા ડૉક્યૂમેન્ટ જમા કરાવનારા અરજદારોની અરજીની પુન: તપાસ કરવામાં આવશે. જે બાદ 3 મેથી પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ શરૂ કરવામાં આવશે. ઓનલાઇન ફોર્મ ભરવામાં કોઈ તકલીફ પડે તો અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના હેલ્પલાઇન સેન્ટર પર જવાનું રહેશે.


IT રિટર્નની વિગતો માંગવામાં આવી


RTE હેઠળ પ્રવેશ માટે આ વખતે આવકવેરા રિટર્નની વિગતો માંગવામાં આવી છે. સાથે જ જે વાલીઓ આવકવેરાને પાત્ર આવક ન થતી હોય તેવા વાલીઓએ સેલ્ફ ડિક્લેરેશન આપવું પડશે. પરંતુ જો પ્રવેશ મેળવવા માટે બોગસ દસ્તાવેજ કે ખોટી માહિતી આપી પ્રવેશ મેળવ્યો તો વાલી સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.


ગેરરીતિ ન થાય તે માટે તંત્ર એલર્ટ


RTE હેઠળ પ્રવેશ માટેની પ્રક્રિયા રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ચાલી રહી છે. જોકે, આ વખતે પ્રવેશ બાબતે તંત્ર દ્વારા કડક વલણ પણ અપનાવવામાં આવ્યું છે. કોઈ પણ વાલી ખોટા દસ્તાવેજ ઉભા કરી પોતાના બાળકનો પ્રવેશ ન મેળવી જાય અને કોઈ ગરીબ બાળક પ્રવેશથી વંચિત ન રહી જાય, તેને લઈને પણ તૈયારી કરવામાં આવી છે. પ્રવેશ પ્રક્રિયામાં કોઈ ગેરરીતિ ન થાય તેને લઈ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કોઈ પણ પ્રકારની ગરબડ કરનાર વાલીઓ સામે કાયદેસરના પગલા લેવાઈ શકે છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.