ગરીબ બાળકોના ખાનગી શાળાઓમાં પ્રવેશ માટેની સુવર્ણ તક, RTE હેઠળ આજથી ફોર્મ ભરવાના શરૂ


  • Published By :
  • Published Date : 2023-04-10 13:57:11

રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ગરીબ બાળકોના ખાનગી શાળામાં પ્રવેશ માટેની પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે RTE હેઠળ ખાનગી સ્કૂલોમાં ધોરણ 1 માં વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. આજથી વર્ષ 2023-24ના વર્ષ માટે આજથી RTEના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. વાલીઓ આજથી RTE માટે ફોર્મ ભરી શકશે. 22 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. અમદાવાદની 1500 સીટ સહિત રાજ્યની 9,856 ખાનગી પ્રાથમિક સ્કૂલોની 82,509 જેટલી સીટ પર એડમિશન આપવામાં આવશે. RTE હેઠળ 1 જૂન, 2023ના 6 વર્ષ પૂર્ણ કરનાર બાળકને જ RTE હેઠળ ખાનગી સ્કૂલમાં પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે.


આ છે RTE હેઠળ સમગ્ર પ્રવેશ પ્રક્રિયા


રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશની તારીખની અગાઉથી જ જાહેરાત કરવામાં આવી હતી, જેથી વાલીઓ 1થી 9 એપ્રિલ દરમિયાન પ્રવેશ માટે જરૂરી એવો બાળકના જન્મનો દાખલો, સરનામાનો પુરાવો, આધારકાર્ડ, ફોટો, જાતિનો દાખલો, બેંક એકાઉન્ટની વિગતો સહિતના પુરાવા એકઠા કરી શકે. હવે આજથી 22 એપ્રિલ સુધીમાં ઑનલાઈન ફોર્મ ભરવાનું હશે. જેમાં તમામ અસલી ડૉક્યુમેન્ટના ફોટો અથવા PDF ફૉર્મેટમાં અપલોડ કરવાના રહેશે. જે બાદ ઑનલાઈન ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવશે. તથા 25થી 27 એપ્રિલ દરમિયાન જે અરજીમાં ક્વેરી જણાશે, તો અરજદારને જરૂરી ડૉક્યૂમેન્ટ રજૂ કરવાની તક આપવામાં આવશે અને 25થી 29 એપ્રિલ દરમિયાન આવા ડૉક્યૂમેન્ટ જમા કરાવનારા અરજદારોની અરજીની પુન: તપાસ કરવામાં આવશે. જે બાદ 3 મેથી પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ શરૂ કરવામાં આવશે. ઓનલાઇન ફોર્મ ભરવામાં કોઈ તકલીફ પડે તો અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના હેલ્પલાઇન સેન્ટર પર જવાનું રહેશે.


IT રિટર્નની વિગતો માંગવામાં આવી


RTE હેઠળ પ્રવેશ માટે આ વખતે આવકવેરા રિટર્નની વિગતો માંગવામાં આવી છે. સાથે જ જે વાલીઓ આવકવેરાને પાત્ર આવક ન થતી હોય તેવા વાલીઓએ સેલ્ફ ડિક્લેરેશન આપવું પડશે. પરંતુ જો પ્રવેશ મેળવવા માટે બોગસ દસ્તાવેજ કે ખોટી માહિતી આપી પ્રવેશ મેળવ્યો તો વાલી સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.


ગેરરીતિ ન થાય તે માટે તંત્ર એલર્ટ


RTE હેઠળ પ્રવેશ માટેની પ્રક્રિયા રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ચાલી રહી છે. જોકે, આ વખતે પ્રવેશ બાબતે તંત્ર દ્વારા કડક વલણ પણ અપનાવવામાં આવ્યું છે. કોઈ પણ વાલી ખોટા દસ્તાવેજ ઉભા કરી પોતાના બાળકનો પ્રવેશ ન મેળવી જાય અને કોઈ ગરીબ બાળક પ્રવેશથી વંચિત ન રહી જાય, તેને લઈને પણ તૈયારી કરવામાં આવી છે. પ્રવેશ પ્રક્રિયામાં કોઈ ગેરરીતિ ન થાય તેને લઈ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કોઈ પણ પ્રકારની ગરબડ કરનાર વાલીઓ સામે કાયદેસરના પગલા લેવાઈ શકે છે. 



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.