નેટવર્ક રેડીનેસ ઈન્ડેક્સમાં ભારત છ સ્થાન ચઢીને 61મા ક્રમે પહોંચ્યું, ટોપ પર કયો દેશ છે?


  • Published By :
  • Published Date : 2022-11-20 17:21:45

ભારતમાં ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે સ્થિતી સુધરી છે, સેવાઓ પણ વિશ્વના અન્ય દેશોની તુલનાએ સારી બની છે. આ બાબતે અમેરિકાના નોન-પ્રોફિટ બોડી પોર્ટુલન્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરાયેલ નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સ 2022 રિપોર્ટનું પણ સમર્થન મળે છે.  પોર્ટુલન્સ ઇન્સ્ટિટ્યૂટના તાજેતરના રિપોર્ટમાં ભારત છ સ્થાન ચઢીને 61મા ક્રમે પહોંચ્યું છે.


પોર્ટુલન્સ ઇન્સ્ટિટ્યૂટનો રિપોર્ટ શું કહે છે?


ટેલિકોમ મંત્રાલયે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે દેશનો એકંદર સ્કોર 2021 માં 49.74 થી વધીને 2022 માં 51.19 થયો છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, "ભારતે તેની સ્થિતિ છ સ્લોટથી સુધારી છે અને તે હવે નેટવર્ક રેડીનેસ ઈન્ડેક્સ 2022 (NRI 2022) રિપોર્ટ અનુસાર ભારત હવે 61મા ક્રમે છે."


રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતે 'AI ટેલેન્ટ કોન્સન્ટ્રેશન'માં 1મો ક્રમ, 'દેશની અંદર મોબાઈલ બ્રોડબેન્ડ ઈન્ટરનેટ ટ્રાફિક' અને 'ઈન્ટરનેશનલ ઈન્ટરનેટ બેન્ડવિડ્થ'માં બીજો ક્રમ, 'ટેલિકમ્યુનિકેશન સેવાઓમાં વાર્ષિક રોકાણ' અને 'ડોમેસ્ટિક માર્કેટ સાઈઝ'માં ત્રીજો ક્રમ મેળવ્યો છે. , 'ICT સેવાઓની નિકાસ'માં ચોથો ક્રમ, 'FTTH/બિલ્ડિંગ ઈન્ટરનેટ સબ્સ્ક્રિપ્શન્સ' પાંચમો અને 'AI વૈજ્ઞાનિક પ્રકાશનો'માં પાંચમા ક્રમે છે.



ટેલિકોમ્યુનિકેશ ક્ષેત્રે અમેરિકા ટોપ પર 


અમેરિકા 80.3 ના એકંદર સ્કોર સાથે યાદીમાં ટોચ પર છે. તે પછી 79.35ના સ્કોર સાથે સિંગાપુર અને 78.91ના સ્કોર સાથે સ્વીડનનો નંબર આવે છે. એશિયા પેસિફિકનું નેતૃત્વ સિંગાપુર કરે છે, ત્યારબાદ દક્ષિણ કોરિયા અને જાપાન આવે છે. “NRI-2022 રિપોર્ટ જણાવે છે કે ભારતે તેના આવકના સ્તરને જોતાં અપેક્ષા કરતાં વધુ નેટવર્ક તૈયાર કર્યું છે. નીચી-મધ્યમ આવક ધરાવતા  36 દેશોમાં ભારત ત્રીજા ક્રમે છે. ત્યાર બાદ યુક્રેન (50) અને ઈન્ડોનેશિયા (59) આવે છે. તમામ સ્તંભો અને પેટા સ્તંભોમાં આવક જૂથની સરેરાશ કરતાં ભારતનો સ્કોર વધુ છે,” નિવેદનમાં જણાવાયું છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.