નેટવર્ક રેડીનેસ ઈન્ડેક્સમાં ભારત છ સ્થાન ચઢીને 61મા ક્રમે પહોંચ્યું, ટોપ પર કયો દેશ છે?


  • Published By :
  • Published Date : 2022-11-20 17:21:45

ભારતમાં ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે સ્થિતી સુધરી છે, સેવાઓ પણ વિશ્વના અન્ય દેશોની તુલનાએ સારી બની છે. આ બાબતે અમેરિકાના નોન-પ્રોફિટ બોડી પોર્ટુલન્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરાયેલ નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સ 2022 રિપોર્ટનું પણ સમર્થન મળે છે.  પોર્ટુલન્સ ઇન્સ્ટિટ્યૂટના તાજેતરના રિપોર્ટમાં ભારત છ સ્થાન ચઢીને 61મા ક્રમે પહોંચ્યું છે.


પોર્ટુલન્સ ઇન્સ્ટિટ્યૂટનો રિપોર્ટ શું કહે છે?


ટેલિકોમ મંત્રાલયે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે દેશનો એકંદર સ્કોર 2021 માં 49.74 થી વધીને 2022 માં 51.19 થયો છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, "ભારતે તેની સ્થિતિ છ સ્લોટથી સુધારી છે અને તે હવે નેટવર્ક રેડીનેસ ઈન્ડેક્સ 2022 (NRI 2022) રિપોર્ટ અનુસાર ભારત હવે 61મા ક્રમે છે."


રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતે 'AI ટેલેન્ટ કોન્સન્ટ્રેશન'માં 1મો ક્રમ, 'દેશની અંદર મોબાઈલ બ્રોડબેન્ડ ઈન્ટરનેટ ટ્રાફિક' અને 'ઈન્ટરનેશનલ ઈન્ટરનેટ બેન્ડવિડ્થ'માં બીજો ક્રમ, 'ટેલિકમ્યુનિકેશન સેવાઓમાં વાર્ષિક રોકાણ' અને 'ડોમેસ્ટિક માર્કેટ સાઈઝ'માં ત્રીજો ક્રમ મેળવ્યો છે. , 'ICT સેવાઓની નિકાસ'માં ચોથો ક્રમ, 'FTTH/બિલ્ડિંગ ઈન્ટરનેટ સબ્સ્ક્રિપ્શન્સ' પાંચમો અને 'AI વૈજ્ઞાનિક પ્રકાશનો'માં પાંચમા ક્રમે છે.



ટેલિકોમ્યુનિકેશ ક્ષેત્રે અમેરિકા ટોપ પર 


અમેરિકા 80.3 ના એકંદર સ્કોર સાથે યાદીમાં ટોચ પર છે. તે પછી 79.35ના સ્કોર સાથે સિંગાપુર અને 78.91ના સ્કોર સાથે સ્વીડનનો નંબર આવે છે. એશિયા પેસિફિકનું નેતૃત્વ સિંગાપુર કરે છે, ત્યારબાદ દક્ષિણ કોરિયા અને જાપાન આવે છે. “NRI-2022 રિપોર્ટ જણાવે છે કે ભારતે તેના આવકના સ્તરને જોતાં અપેક્ષા કરતાં વધુ નેટવર્ક તૈયાર કર્યું છે. નીચી-મધ્યમ આવક ધરાવતા  36 દેશોમાં ભારત ત્રીજા ક્રમે છે. ત્યાર બાદ યુક્રેન (50) અને ઈન્ડોનેશિયા (59) આવે છે. તમામ સ્તંભો અને પેટા સ્તંભોમાં આવક જૂથની સરેરાશ કરતાં ભારતનો સ્કોર વધુ છે,” નિવેદનમાં જણાવાયું છે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.