નવા વર્ષ દેશવાસીઓને મોટી ભેટ, કેન્દ્ર સરકારે વિવિધ નાની બચત યોજનામાં વ્યાજ દર વધાર્યા


  • Published By :
  • Published Date : 2022-12-30 19:55:32

કેન્દ્ર સરકારે દેશવાસીઓને નવા વર્ષની ભેટ આપી છે, સરકારે NSC,પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝીટ, સિનિયર સિટીઝન સેવિંગ સ્કિમ પર મળનારા વ્યાજમાં વધારો કર્યો છે. જો કે PPF અને સુકન્યા સમૃધ્ધી યોજના જેવી (SSY) યોજનાના વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નવા વ્યાજ દર પહેલી જાન્યુઆરીથી અમલી બનશે.


નાણામંત્રાલયે જાહેર કર્યું નોટિફિકેશન


નાણા મંત્રાલયના નવા નોટિફિકેશન મુજબ જાન્યુઆરીથી માર્ચ મહિનાના ત્રિમાસિક માટે કેટલીક સેવિંગ સ્કીમ પર મળનારા વ્યાજ દરોમાં 0.20થી 1.10 ટકા સુધીના વ્યાજદરોમાં વૃધ્ધી કરવામાં આવી છે. સરકારે કિસાન વિકાસ પત્રના વ્યાજ દરમાં પણ વૃધ્ધી કરી છે. હવે 123 મહિના માટે કિસાન વિકાસ પત્ર પર ડિસેમ્બર ત્રિમાસિકમાં 7 ટકા વ્યાજ દર મળી રહ્યું હતું, જે હવે 120 મહિનાના સમયગાળા સુધી 7.2 ટકાના જ દરથી વ્યાજ મળશે. જો કે PPFમાં આ ડિસેમ્બર ત્રિમાસિકની જેમ માર્ચ ત્રિમાસિકમાં પણ 7.1% ટકાના સ્તરે જળવાઈ રહેશે. તે જ પ્રકારે બાળકીઓ માટે શરૂ કરવામાં આવેલી સુકન્યા સમૃધ્ધી યોજના પર પણ વ્યાજ દર 7.6 ટકા પર રાખવામાં આવ્યો છે. 


આ બચત યોજનાના વ્યાજ દરોમાં વૃધ્ધી


કેન્દ્ર સરકારે પોસ્ટ ઓફિસની ટર્મ ડિપોઝિટ, સિનિયર સિટિઝન સ્કીમ, મંથલી ઈન્કમ સ્કીમ, રાષ્ટ્રિય બચત સર્ટિફિકેટ, રાષ્ટ્રિય બચત પ્રમાણપત્ર (NSC)ના પણ વ્યાજદરમાં વધારો કરાયો છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે