નવા વર્ષ દેશવાસીઓને મોટી ભેટ, કેન્દ્ર સરકારે વિવિધ નાની બચત યોજનામાં વ્યાજ દર વધાર્યા


  • Published By :
  • Published Date : 2022-12-30 19:55:32

કેન્દ્ર સરકારે દેશવાસીઓને નવા વર્ષની ભેટ આપી છે, સરકારે NSC,પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝીટ, સિનિયર સિટીઝન સેવિંગ સ્કિમ પર મળનારા વ્યાજમાં વધારો કર્યો છે. જો કે PPF અને સુકન્યા સમૃધ્ધી યોજના જેવી (SSY) યોજનાના વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નવા વ્યાજ દર પહેલી જાન્યુઆરીથી અમલી બનશે.


નાણામંત્રાલયે જાહેર કર્યું નોટિફિકેશન


નાણા મંત્રાલયના નવા નોટિફિકેશન મુજબ જાન્યુઆરીથી માર્ચ મહિનાના ત્રિમાસિક માટે કેટલીક સેવિંગ સ્કીમ પર મળનારા વ્યાજ દરોમાં 0.20થી 1.10 ટકા સુધીના વ્યાજદરોમાં વૃધ્ધી કરવામાં આવી છે. સરકારે કિસાન વિકાસ પત્રના વ્યાજ દરમાં પણ વૃધ્ધી કરી છે. હવે 123 મહિના માટે કિસાન વિકાસ પત્ર પર ડિસેમ્બર ત્રિમાસિકમાં 7 ટકા વ્યાજ દર મળી રહ્યું હતું, જે હવે 120 મહિનાના સમયગાળા સુધી 7.2 ટકાના જ દરથી વ્યાજ મળશે. જો કે PPFમાં આ ડિસેમ્બર ત્રિમાસિકની જેમ માર્ચ ત્રિમાસિકમાં પણ 7.1% ટકાના સ્તરે જળવાઈ રહેશે. તે જ પ્રકારે બાળકીઓ માટે શરૂ કરવામાં આવેલી સુકન્યા સમૃધ્ધી યોજના પર પણ વ્યાજ દર 7.6 ટકા પર રાખવામાં આવ્યો છે. 


આ બચત યોજનાના વ્યાજ દરોમાં વૃધ્ધી


કેન્દ્ર સરકારે પોસ્ટ ઓફિસની ટર્મ ડિપોઝિટ, સિનિયર સિટિઝન સ્કીમ, મંથલી ઈન્કમ સ્કીમ, રાષ્ટ્રિય બચત સર્ટિફિકેટ, રાષ્ટ્રિય બચત પ્રમાણપત્ર (NSC)ના પણ વ્યાજદરમાં વધારો કરાયો છે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.