નવા વર્ષ દેશવાસીઓને મોટી ભેટ, કેન્દ્ર સરકારે વિવિધ નાની બચત યોજનામાં વ્યાજ દર વધાર્યા


  • Published By :
  • Published Date : 2022-12-30 19:55:32

કેન્દ્ર સરકારે દેશવાસીઓને નવા વર્ષની ભેટ આપી છે, સરકારે NSC,પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝીટ, સિનિયર સિટીઝન સેવિંગ સ્કિમ પર મળનારા વ્યાજમાં વધારો કર્યો છે. જો કે PPF અને સુકન્યા સમૃધ્ધી યોજના જેવી (SSY) યોજનાના વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નવા વ્યાજ દર પહેલી જાન્યુઆરીથી અમલી બનશે.


નાણામંત્રાલયે જાહેર કર્યું નોટિફિકેશન


નાણા મંત્રાલયના નવા નોટિફિકેશન મુજબ જાન્યુઆરીથી માર્ચ મહિનાના ત્રિમાસિક માટે કેટલીક સેવિંગ સ્કીમ પર મળનારા વ્યાજ દરોમાં 0.20થી 1.10 ટકા સુધીના વ્યાજદરોમાં વૃધ્ધી કરવામાં આવી છે. સરકારે કિસાન વિકાસ પત્રના વ્યાજ દરમાં પણ વૃધ્ધી કરી છે. હવે 123 મહિના માટે કિસાન વિકાસ પત્ર પર ડિસેમ્બર ત્રિમાસિકમાં 7 ટકા વ્યાજ દર મળી રહ્યું હતું, જે હવે 120 મહિનાના સમયગાળા સુધી 7.2 ટકાના જ દરથી વ્યાજ મળશે. જો કે PPFમાં આ ડિસેમ્બર ત્રિમાસિકની જેમ માર્ચ ત્રિમાસિકમાં પણ 7.1% ટકાના સ્તરે જળવાઈ રહેશે. તે જ પ્રકારે બાળકીઓ માટે શરૂ કરવામાં આવેલી સુકન્યા સમૃધ્ધી યોજના પર પણ વ્યાજ દર 7.6 ટકા પર રાખવામાં આવ્યો છે. 


આ બચત યોજનાના વ્યાજ દરોમાં વૃધ્ધી


કેન્દ્ર સરકારે પોસ્ટ ઓફિસની ટર્મ ડિપોઝિટ, સિનિયર સિટિઝન સ્કીમ, મંથલી ઈન્કમ સ્કીમ, રાષ્ટ્રિય બચત સર્ટિફિકેટ, રાષ્ટ્રિય બચત પ્રમાણપત્ર (NSC)ના પણ વ્યાજદરમાં વધારો કરાયો છે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.