નવા વર્ષ દેશવાસીઓને મોટી ભેટ, કેન્દ્ર સરકારે વિવિધ નાની બચત યોજનામાં વ્યાજ દર વધાર્યા


  • Published By :
  • Published Date : 2022-12-30 19:55:32

કેન્દ્ર સરકારે દેશવાસીઓને નવા વર્ષની ભેટ આપી છે, સરકારે NSC,પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝીટ, સિનિયર સિટીઝન સેવિંગ સ્કિમ પર મળનારા વ્યાજમાં વધારો કર્યો છે. જો કે PPF અને સુકન્યા સમૃધ્ધી યોજના જેવી (SSY) યોજનાના વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નવા વ્યાજ દર પહેલી જાન્યુઆરીથી અમલી બનશે.


નાણામંત્રાલયે જાહેર કર્યું નોટિફિકેશન


નાણા મંત્રાલયના નવા નોટિફિકેશન મુજબ જાન્યુઆરીથી માર્ચ મહિનાના ત્રિમાસિક માટે કેટલીક સેવિંગ સ્કીમ પર મળનારા વ્યાજ દરોમાં 0.20થી 1.10 ટકા સુધીના વ્યાજદરોમાં વૃધ્ધી કરવામાં આવી છે. સરકારે કિસાન વિકાસ પત્રના વ્યાજ દરમાં પણ વૃધ્ધી કરી છે. હવે 123 મહિના માટે કિસાન વિકાસ પત્ર પર ડિસેમ્બર ત્રિમાસિકમાં 7 ટકા વ્યાજ દર મળી રહ્યું હતું, જે હવે 120 મહિનાના સમયગાળા સુધી 7.2 ટકાના જ દરથી વ્યાજ મળશે. જો કે PPFમાં આ ડિસેમ્બર ત્રિમાસિકની જેમ માર્ચ ત્રિમાસિકમાં પણ 7.1% ટકાના સ્તરે જળવાઈ રહેશે. તે જ પ્રકારે બાળકીઓ માટે શરૂ કરવામાં આવેલી સુકન્યા સમૃધ્ધી યોજના પર પણ વ્યાજ દર 7.6 ટકા પર રાખવામાં આવ્યો છે. 


આ બચત યોજનાના વ્યાજ દરોમાં વૃધ્ધી


કેન્દ્ર સરકારે પોસ્ટ ઓફિસની ટર્મ ડિપોઝિટ, સિનિયર સિટિઝન સ્કીમ, મંથલી ઈન્કમ સ્કીમ, રાષ્ટ્રિય બચત સર્ટિફિકેટ, રાષ્ટ્રિય બચત પ્રમાણપત્ર (NSC)ના પણ વ્યાજદરમાં વધારો કરાયો છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.