દારૂ અહીં ન મળતો હોવાના રાજકોટમાં ઉદ્યોગનગરમાં લાગ્યા પોસ્ટરો


  • Published By :
  • Published Date : 2023-04-12 16:28:05

રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતા પોસ્ટરો રાજકોટની એક સોસાયટીમાં લગાવવામાં આવ્યા છે. દારૂડિયા અને દારૂ વેચનારાઓથી કંટાળીને સોસાયટીના રહીશોએ આ પોસ્ટર લગાવ્યા છે. આજકાલ આ પોસ્ટરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યા છે.


પોસ્ટરોએ શહેરમાં ચર્ચા જગાવી


રાજકોટના ગોંડલ રોડ પર આવેલા ઉદ્યોગનગર કોલોનીના રહીશોએ દારૂડિયાઓથી કંટાળીને આવા પોસ્ટર લગાવ્યા છે. આ પોસ્ટરોમાં લખ્યું છે કે 'દારૂ અહી નહીં, અહીંથી 500 મીટર દૂર લોહાનગરમાં દારૂ મળે છે'. 'દારૂડિયાઓએ દારૂ પીને શેરીમાં પ્રવેશ કરવો નહીં'. આ પોસ્ટરો દારૂબંધીના પોકળ દાવા કરતા પોલીસ તંત્રને અરીસો બચાવે છે. રાજકોટના જાગૃત સોસાયટીવાસીઓએ પોસ્ટર મારતાં ચર્ચા જાગી છે.


બાળકી સાથે થઈ હતી છેડતી


રાજકોટના ગોંડલ રોડ પર ગઈકાલે જ બાળકી સાથે છેડતીનો બનાવ બન્યા બાદ રહીશોએ આ પોસ્ટરો લગાવ્યા છે. જોકે, અહીં સવાલ એ થાય છે કે, દારૂબંધી હોવા છતાં રહીશોએ લોહાનગરમાં દારૂના વેચાણના દાવા કર્યા છે, હવે જોવાનું એ છે કે આ અંગે પોલીસ દારૂનું વેચાણ કરતા તત્વો સામે પોલીસ શું કાર્યવાહી કરે છે?



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે