દારૂ અહીં ન મળતો હોવાના રાજકોટમાં ઉદ્યોગનગરમાં લાગ્યા પોસ્ટરો


  • Published By :
  • Published Date : 2023-04-12 16:28:05

રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતા પોસ્ટરો રાજકોટની એક સોસાયટીમાં લગાવવામાં આવ્યા છે. દારૂડિયા અને દારૂ વેચનારાઓથી કંટાળીને સોસાયટીના રહીશોએ આ પોસ્ટર લગાવ્યા છે. આજકાલ આ પોસ્ટરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યા છે.


પોસ્ટરોએ શહેરમાં ચર્ચા જગાવી


રાજકોટના ગોંડલ રોડ પર આવેલા ઉદ્યોગનગર કોલોનીના રહીશોએ દારૂડિયાઓથી કંટાળીને આવા પોસ્ટર લગાવ્યા છે. આ પોસ્ટરોમાં લખ્યું છે કે 'દારૂ અહી નહીં, અહીંથી 500 મીટર દૂર લોહાનગરમાં દારૂ મળે છે'. 'દારૂડિયાઓએ દારૂ પીને શેરીમાં પ્રવેશ કરવો નહીં'. આ પોસ્ટરો દારૂબંધીના પોકળ દાવા કરતા પોલીસ તંત્રને અરીસો બચાવે છે. રાજકોટના જાગૃત સોસાયટીવાસીઓએ પોસ્ટર મારતાં ચર્ચા જાગી છે.


બાળકી સાથે થઈ હતી છેડતી


રાજકોટના ગોંડલ રોડ પર ગઈકાલે જ બાળકી સાથે છેડતીનો બનાવ બન્યા બાદ રહીશોએ આ પોસ્ટરો લગાવ્યા છે. જોકે, અહીં સવાલ એ થાય છે કે, દારૂબંધી હોવા છતાં રહીશોએ લોહાનગરમાં દારૂના વેચાણના દાવા કર્યા છે, હવે જોવાનું એ છે કે આ અંગે પોલીસ દારૂનું વેચાણ કરતા તત્વો સામે પોલીસ શું કાર્યવાહી કરે છે?



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.