રાજયમાં ગરમીનો પારો વધતા વીજ વપરાશ માત્ર 4 દિવસમાં 2 હજાર મેગાવોટ જેટલી વધી


  • Published By :
  • Published Date : 2023-05-12 15:21:22

ગુજરાતના વિવિધ ભાગોમાં છેલ્લા ત્રણ દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. હાલ રાજ્યમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર થયો છે. રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે તેની સાથે જ લોકોને પણ ગરમીનો આકરો તાપ સહન કરવો પડી રહ્યો છે. અસહ્ય ગરમીના કારણે  લોકોની વીજ વપરાશમાં પણ સતત વધારો નોંધાયો છે.રાજ્યમાં છેલ્લા 4 દિવસમાં વીજળીની માગમાં વધારો જોવા મળી રહ્યો છે. વીજ વિભાગના જણાવ્યા પ્રમાણે  છેલ્લા 4 દિવસમાં અંદાજિત 2 હજાર મેગાવોટ જેટલો વીજ વપરાશ વધ્યો છે. આ કારણે લોકોને વીજ બિલ પણ વધશે તે વાત નક્કી છે.


કેટલો વધ્યો વીજ વપરાશ?


રાજ્યમાં 7 મેના રોજ વીજ માગ 17,947 મેગા વોટની હતી, જે માત્ર ચાર જ દિવસમાં 2 હજાર મેગાવોટ જેટલી વધી છે.10મેના રોજ વીજ માગ વધીને 20,235 મેગાવોટ પર પહોંચી છે. ગરમીના કારણે બપોરે લોકો ઘરમાં અને ઓફિસમાં પુરાઈ રહેવાનું પસંદ કરે છે. ઘરોમાં અને ઓફિસોમાં એસી. એર કુલર અને પંખા સતત ચાલુ રહેવાના કારણે વીજ વપરાશમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.