રાજયમાં ગરમીનો પારો વધતા વીજ વપરાશ માત્ર 4 દિવસમાં 2 હજાર મેગાવોટ જેટલી વધી


  • Published By :
  • Published Date : 2023-05-12 15:21:22

ગુજરાતના વિવિધ ભાગોમાં છેલ્લા ત્રણ દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. હાલ રાજ્યમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર થયો છે. રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે તેની સાથે જ લોકોને પણ ગરમીનો આકરો તાપ સહન કરવો પડી રહ્યો છે. અસહ્ય ગરમીના કારણે  લોકોની વીજ વપરાશમાં પણ સતત વધારો નોંધાયો છે.રાજ્યમાં છેલ્લા 4 દિવસમાં વીજળીની માગમાં વધારો જોવા મળી રહ્યો છે. વીજ વિભાગના જણાવ્યા પ્રમાણે  છેલ્લા 4 દિવસમાં અંદાજિત 2 હજાર મેગાવોટ જેટલો વીજ વપરાશ વધ્યો છે. આ કારણે લોકોને વીજ બિલ પણ વધશે તે વાત નક્કી છે.


કેટલો વધ્યો વીજ વપરાશ?


રાજ્યમાં 7 મેના રોજ વીજ માગ 17,947 મેગા વોટની હતી, જે માત્ર ચાર જ દિવસમાં 2 હજાર મેગાવોટ જેટલી વધી છે.10મેના રોજ વીજ માગ વધીને 20,235 મેગાવોટ પર પહોંચી છે. ગરમીના કારણે બપોરે લોકો ઘરમાં અને ઓફિસમાં પુરાઈ રહેવાનું પસંદ કરે છે. ઘરોમાં અને ઓફિસોમાં એસી. એર કુલર અને પંખા સતત ચાલુ રહેવાના કારણે વીજ વપરાશમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.