AAP-BJPની હિંસક લડાઈ વચ્ચે પ્રદીપસિંહ વાઘેલાએ AAPની ઝાટકણી કાઢી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 19:58:53

અમદાવાદના ગોમતીપુરના ભાજપના યુવા મોરચાના પ્રમુખ પવન તોમર પર આપના કાર્યકર્તાએ હુમલો કર્યાના આક્ષેપ છે. ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ અમદાવાદના શારદાબેન હોસ્પિટલમાં ભાજપના કાર્યકર્તા પવન તોમરની મુલાકાત લીધી હતી. 


પ્રદીપસિંહ વાઘેલાએ આમ આદમી પાર્ટી પર કર્યા પ્રહાર

આપના કાર્યકર્તાઓએ હુમલો કર્યા બાદ પ્રદીપસિંહ વાઘેલાએ આપ પર શાબ્દીક હુમલો કરતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી દેશવિરોધી કામ કરી રહી છે. ભાજપની કામગીરીથી આમ આદમી પાર્ટીને મરચા લાગે છે. 


અરવિંદ કેજરીવાલને પ્રદીપસિંહ વાઘેલાની ટકોર 

પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે નક્સલવાદનું બદલાયેલું સ્વરૂપ એટલે અરવિંદ કેજરીવાલ. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નક્સલવાદી કામગીરી કરે છે. અરવિંદ કેજરીવાલ દેશને તોડવા માટે વિદેશી તાકતની મદદ લે છે. અરવિંદ કેજરીવાલને ગુજરાતને પશ્ચિમ બંગાળ બનાવવું છે. 


સમગ્ર બાબતો વચ્ચે મહત્વની બાબત એ સામે આવી રહી છે ગુજરાતની રાજનીતિ બદલાઈ રહી છે. શાબ્દીક આક્ષેપ-પ્રતિઆક્ષેપ તો હજુ સુધી ઠીક હતાં પરંતુ હવે જેણે દુનિયાને સત્યાગ્રહ અને અહિંસાના પાઠ ભણાવ્યા તેવા ગાંધીના ગુજરાતમાં રાજનીતિ હિંસક સ્વરૂપ લઈ રહી છે. થોડા દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ભાજપના કાર્યકર્તાઓ પર હિંસક પ્રહાર કર્યા હતા. વળી હિંસાનો જવાબ હિંસાથી આપવા ભાજપના કાર્યકર્તાએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર હુમલો કર્યો હતો. ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણી પહેલાના સમયમાં આવી હિંસક રાજનીતિમાં કોંગ્રેસ ક્યાં છે તે હજુ કોઈને નથી ખબર. આ સમયે ત્રીપાંખિયો જંગ છે, અગાઉ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ ચૂંટણીઓ લડાતી હતી. રાજનીતિમાં આક્ષેપ પ્રતિઆક્ષોપે થતાં હતા પરંતુ હવે આ રાજનીતિ હિંસા સુધી પહોંચી ગઈ છે તે ભવિષ્યની રાજનીતિમાં એક નવી પગદંડી બનાવી રહી છે



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .