ભારતમાં હિંદુઓની બહેન-બેટીઓ સલામત નથી, દેશમાં એન્ટી લવ જેહાદ કાયદો લાવો: પ્રવિણ તોગડિયા


  • Published By :
  • Published Date : 2023-05-23 14:18:11

દેશભરમાં લવ જેહાદનો મુદ્દો ગરમાયો છે ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવિણ તોગડિયા ફરી મેદાનમાં આવ્યા છે. પ્રવિણ તોગડિયાએ આકરા પ્રહારો કરતા કહ્યું કે ધ કેરાલા સ્ટોરી ફિલ્મ એ આપણા દેશમાં હિન્દુઓની દીકરીઓ સલામત નથી તેનો બોલતો પુરાવો છે. આ દેશમાં ક્યાં સુધી આપણી બહેન-બેટીઓ લવ જેહાદનો ભોગ બનશે. આખા દેશમાં એન્ટી લવ જેહાદ કાયદો લાવવાની માગ કરવી જોઈએ. વડોદરાના રાજમહેલ રોડ પર આવેલી જૂની કાછીયાવાડ સ્થિત કોઠી ફળિયામાં આવેલા શ્રીકૃષ્ણ મંદિરના 45માં પાટોત્સવમાં ઉપસ્થિત રહેલા પ્રવિણ તોગડિયાએ આ નિવેદન કર્યું હતું.


ભારતમાં હિન્દુ સલામત નથી- તોગડિયા


પ્રવિણ તોગડિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હિંદુઓના દેશમાં ધાર્મિક કાર્યક્રમ નહીં થાય તો મક્કા મદિનામાં થશે. ભારતમાં હિન્દુ સલામત નથી. વડોદરામાં રામ નવમીની શોભાયાત્રા પર હુમલો, ધંધુકામાં કિશન ભરવાડની હત્યા, કાલે એક દીકરીએ આત્મહત્યા કરી પડી. ક્યાં સુધી આ નાટકો ચાલશે, તેને બંધ કરો. આ દેશમાં કોઇપણ હિંદુઓનું નામ લેવાની હિંમત ન કરે એવી તાકાત હિન્દુસ્તાનમાં હિન્દુઓ ઉભી કરો. જ્યાં અશાંતધારો છે ત્યાં એકપણ હિંદુની મિલકત વેચાવી ન જોઇએ. હું આંતરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળને કહીશ કે આંદોલન કરો. જો કોઇ મિલકત વેચાતી હોય તો તેને રોકવાની જવાબદારી સરકારની છે.


દેશમાં એન્ટી લવ જેહાદ કાયદો લાવો 


ધ કેરાલા સ્ટોરી ફિલ્મ મુદ્દે પ્રવિણ તોગડિયાએ કહ્યું કે તે દેશમાં ચાલી રહી છે. એ ભારતમાં હિન્દુઓની બહેન-બેટીઓ સલામત નથી તેનું ડોક્યુમેન્ટ છે. જો દેશમાં હિન્દુઓની બહેન બેટીઓ સલામત ન હોય તો ઢાકણીમાં પાણી લઇને ડુબી મરવું જોઇએ. અને ફરીથી હિન્દુઓની બહેન બેટીઓ અસલામત ન બને એ માટે આખા દેશમાં એન્ટી લવ જેહાદ કાયદો કરવાની માગણી કરવી જોઇએ. આ તો ફિલ્મનું માર્કેટિંગ થઇ રહ્યું છે. માની લો કે નાંક કપાઇ જાય તો કપાયેલા નાંકનું માર્કેટિંગ કરાય. ફરીથી નાક ન કપાય તેની વ્યવસ્થા કરવી જોઇએ. નહીંતર કાલે વડોદરા ફિલ્મ બનશે. સુરત અને કર્ણાવતી ફિલ્મ બનશે. આ દેશમાં ક્યાં સુધી આપણી બહેન બેટીઓ લવ જેહાદનો ભોગ બને.અમારો સંકલ્પ છે કે હિન્દુસ્તાનમાં એકપણ બહેન બેટીઓને લવ જેહાદનો ભોગ નહીં બનવા દઈએ.આવુ કરનારાઓને ભારતમાં જડબાતોડ જવાબ આપીશું. અમે ફરીથી ભારતમાં હિન્દુ શેરને જગાવી રહ્યા છીએ. જેમણે જાગીને બાબરની છાતી પર પગ રાખીને રામ મંદિર બનાવ્યું છે.


હિંદુઓને જગાડવા માટે થશે હનુમાન ચાલીસાના પાઠ

 

તોગડિયાએ સવાલ કર્યો હતો કે, રામ નવમી પર જ હુમલાઓ કેમ થઈ રહ્યાં છે. કેમ હિન્દુનો દીકરા કિશન ભરવાડને મારી નાંખવામાં આવે છે. કેમ મહોરમ પર હુમલાઓ નથી થઇ રહ્યાં. આ દેશમાં ક્યાં સુધી હિન્દુ માર ખાશે. અમે હિન્દુઓના જગાડવા માટે દેશના લાખો ગામોમાં અને શહેરોની કોલોનીઓની સોસાયટીઓમાં દર શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરાવીને ભગવાન હનુમાનજીની ગદા દરેક ગામ અને ગલીઓમાં ઉઠશે. એક પણ હિન્દુનું નામ લેનારાને જડબાતોડ જવાબ આપવાની તાકાત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની શરૂઆત કરી રહી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.