ભારતમાં હિંદુઓની બહેન-બેટીઓ સલામત નથી, દેશમાં એન્ટી લવ જેહાદ કાયદો લાવો: પ્રવિણ તોગડિયા


  • Published By :
  • Published Date : 2023-05-23 14:18:11

દેશભરમાં લવ જેહાદનો મુદ્દો ગરમાયો છે ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવિણ તોગડિયા ફરી મેદાનમાં આવ્યા છે. પ્રવિણ તોગડિયાએ આકરા પ્રહારો કરતા કહ્યું કે ધ કેરાલા સ્ટોરી ફિલ્મ એ આપણા દેશમાં હિન્દુઓની દીકરીઓ સલામત નથી તેનો બોલતો પુરાવો છે. આ દેશમાં ક્યાં સુધી આપણી બહેન-બેટીઓ લવ જેહાદનો ભોગ બનશે. આખા દેશમાં એન્ટી લવ જેહાદ કાયદો લાવવાની માગ કરવી જોઈએ. વડોદરાના રાજમહેલ રોડ પર આવેલી જૂની કાછીયાવાડ સ્થિત કોઠી ફળિયામાં આવેલા શ્રીકૃષ્ણ મંદિરના 45માં પાટોત્સવમાં ઉપસ્થિત રહેલા પ્રવિણ તોગડિયાએ આ નિવેદન કર્યું હતું.


ભારતમાં હિન્દુ સલામત નથી- તોગડિયા


પ્રવિણ તોગડિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હિંદુઓના દેશમાં ધાર્મિક કાર્યક્રમ નહીં થાય તો મક્કા મદિનામાં થશે. ભારતમાં હિન્દુ સલામત નથી. વડોદરામાં રામ નવમીની શોભાયાત્રા પર હુમલો, ધંધુકામાં કિશન ભરવાડની હત્યા, કાલે એક દીકરીએ આત્મહત્યા કરી પડી. ક્યાં સુધી આ નાટકો ચાલશે, તેને બંધ કરો. આ દેશમાં કોઇપણ હિંદુઓનું નામ લેવાની હિંમત ન કરે એવી તાકાત હિન્દુસ્તાનમાં હિન્દુઓ ઉભી કરો. જ્યાં અશાંતધારો છે ત્યાં એકપણ હિંદુની મિલકત વેચાવી ન જોઇએ. હું આંતરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળને કહીશ કે આંદોલન કરો. જો કોઇ મિલકત વેચાતી હોય તો તેને રોકવાની જવાબદારી સરકારની છે.


દેશમાં એન્ટી લવ જેહાદ કાયદો લાવો 


ધ કેરાલા સ્ટોરી ફિલ્મ મુદ્દે પ્રવિણ તોગડિયાએ કહ્યું કે તે દેશમાં ચાલી રહી છે. એ ભારતમાં હિન્દુઓની બહેન-બેટીઓ સલામત નથી તેનું ડોક્યુમેન્ટ છે. જો દેશમાં હિન્દુઓની બહેન બેટીઓ સલામત ન હોય તો ઢાકણીમાં પાણી લઇને ડુબી મરવું જોઇએ. અને ફરીથી હિન્દુઓની બહેન બેટીઓ અસલામત ન બને એ માટે આખા દેશમાં એન્ટી લવ જેહાદ કાયદો કરવાની માગણી કરવી જોઇએ. આ તો ફિલ્મનું માર્કેટિંગ થઇ રહ્યું છે. માની લો કે નાંક કપાઇ જાય તો કપાયેલા નાંકનું માર્કેટિંગ કરાય. ફરીથી નાક ન કપાય તેની વ્યવસ્થા કરવી જોઇએ. નહીંતર કાલે વડોદરા ફિલ્મ બનશે. સુરત અને કર્ણાવતી ફિલ્મ બનશે. આ દેશમાં ક્યાં સુધી આપણી બહેન બેટીઓ લવ જેહાદનો ભોગ બને.અમારો સંકલ્પ છે કે હિન્દુસ્તાનમાં એકપણ બહેન બેટીઓને લવ જેહાદનો ભોગ નહીં બનવા દઈએ.આવુ કરનારાઓને ભારતમાં જડબાતોડ જવાબ આપીશું. અમે ફરીથી ભારતમાં હિન્દુ શેરને જગાવી રહ્યા છીએ. જેમણે જાગીને બાબરની છાતી પર પગ રાખીને રામ મંદિર બનાવ્યું છે.


હિંદુઓને જગાડવા માટે થશે હનુમાન ચાલીસાના પાઠ

 

તોગડિયાએ સવાલ કર્યો હતો કે, રામ નવમી પર જ હુમલાઓ કેમ થઈ રહ્યાં છે. કેમ હિન્દુનો દીકરા કિશન ભરવાડને મારી નાંખવામાં આવે છે. કેમ મહોરમ પર હુમલાઓ નથી થઇ રહ્યાં. આ દેશમાં ક્યાં સુધી હિન્દુ માર ખાશે. અમે હિન્દુઓના જગાડવા માટે દેશના લાખો ગામોમાં અને શહેરોની કોલોનીઓની સોસાયટીઓમાં દર શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરાવીને ભગવાન હનુમાનજીની ગદા દરેક ગામ અને ગલીઓમાં ઉઠશે. એક પણ હિન્દુનું નામ લેનારાને જડબાતોડ જવાબ આપવાની તાકાત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની શરૂઆત કરી રહી છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.