ભારતમાં હિંદુઓની બહેન-બેટીઓ સલામત નથી, દેશમાં એન્ટી લવ જેહાદ કાયદો લાવો: પ્રવિણ તોગડિયા


  • Published By :
  • Published Date : 2023-05-23 14:18:11

દેશભરમાં લવ જેહાદનો મુદ્દો ગરમાયો છે ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવિણ તોગડિયા ફરી મેદાનમાં આવ્યા છે. પ્રવિણ તોગડિયાએ આકરા પ્રહારો કરતા કહ્યું કે ધ કેરાલા સ્ટોરી ફિલ્મ એ આપણા દેશમાં હિન્દુઓની દીકરીઓ સલામત નથી તેનો બોલતો પુરાવો છે. આ દેશમાં ક્યાં સુધી આપણી બહેન-બેટીઓ લવ જેહાદનો ભોગ બનશે. આખા દેશમાં એન્ટી લવ જેહાદ કાયદો લાવવાની માગ કરવી જોઈએ. વડોદરાના રાજમહેલ રોડ પર આવેલી જૂની કાછીયાવાડ સ્થિત કોઠી ફળિયામાં આવેલા શ્રીકૃષ્ણ મંદિરના 45માં પાટોત્સવમાં ઉપસ્થિત રહેલા પ્રવિણ તોગડિયાએ આ નિવેદન કર્યું હતું.


ભારતમાં હિન્દુ સલામત નથી- તોગડિયા


પ્રવિણ તોગડિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હિંદુઓના દેશમાં ધાર્મિક કાર્યક્રમ નહીં થાય તો મક્કા મદિનામાં થશે. ભારતમાં હિન્દુ સલામત નથી. વડોદરામાં રામ નવમીની શોભાયાત્રા પર હુમલો, ધંધુકામાં કિશન ભરવાડની હત્યા, કાલે એક દીકરીએ આત્મહત્યા કરી પડી. ક્યાં સુધી આ નાટકો ચાલશે, તેને બંધ કરો. આ દેશમાં કોઇપણ હિંદુઓનું નામ લેવાની હિંમત ન કરે એવી તાકાત હિન્દુસ્તાનમાં હિન્દુઓ ઉભી કરો. જ્યાં અશાંતધારો છે ત્યાં એકપણ હિંદુની મિલકત વેચાવી ન જોઇએ. હું આંતરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળને કહીશ કે આંદોલન કરો. જો કોઇ મિલકત વેચાતી હોય તો તેને રોકવાની જવાબદારી સરકારની છે.


દેશમાં એન્ટી લવ જેહાદ કાયદો લાવો 


ધ કેરાલા સ્ટોરી ફિલ્મ મુદ્દે પ્રવિણ તોગડિયાએ કહ્યું કે તે દેશમાં ચાલી રહી છે. એ ભારતમાં હિન્દુઓની બહેન-બેટીઓ સલામત નથી તેનું ડોક્યુમેન્ટ છે. જો દેશમાં હિન્દુઓની બહેન બેટીઓ સલામત ન હોય તો ઢાકણીમાં પાણી લઇને ડુબી મરવું જોઇએ. અને ફરીથી હિન્દુઓની બહેન બેટીઓ અસલામત ન બને એ માટે આખા દેશમાં એન્ટી લવ જેહાદ કાયદો કરવાની માગણી કરવી જોઇએ. આ તો ફિલ્મનું માર્કેટિંગ થઇ રહ્યું છે. માની લો કે નાંક કપાઇ જાય તો કપાયેલા નાંકનું માર્કેટિંગ કરાય. ફરીથી નાક ન કપાય તેની વ્યવસ્થા કરવી જોઇએ. નહીંતર કાલે વડોદરા ફિલ્મ બનશે. સુરત અને કર્ણાવતી ફિલ્મ બનશે. આ દેશમાં ક્યાં સુધી આપણી બહેન બેટીઓ લવ જેહાદનો ભોગ બને.અમારો સંકલ્પ છે કે હિન્દુસ્તાનમાં એકપણ બહેન બેટીઓને લવ જેહાદનો ભોગ નહીં બનવા દઈએ.આવુ કરનારાઓને ભારતમાં જડબાતોડ જવાબ આપીશું. અમે ફરીથી ભારતમાં હિન્દુ શેરને જગાવી રહ્યા છીએ. જેમણે જાગીને બાબરની છાતી પર પગ રાખીને રામ મંદિર બનાવ્યું છે.


હિંદુઓને જગાડવા માટે થશે હનુમાન ચાલીસાના પાઠ

 

તોગડિયાએ સવાલ કર્યો હતો કે, રામ નવમી પર જ હુમલાઓ કેમ થઈ રહ્યાં છે. કેમ હિન્દુનો દીકરા કિશન ભરવાડને મારી નાંખવામાં આવે છે. કેમ મહોરમ પર હુમલાઓ નથી થઇ રહ્યાં. આ દેશમાં ક્યાં સુધી હિન્દુ માર ખાશે. અમે હિન્દુઓના જગાડવા માટે દેશના લાખો ગામોમાં અને શહેરોની કોલોનીઓની સોસાયટીઓમાં દર શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરાવીને ભગવાન હનુમાનજીની ગદા દરેક ગામ અને ગલીઓમાં ઉઠશે. એક પણ હિન્દુનું નામ લેનારાને જડબાતોડ જવાબ આપવાની તાકાત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની શરૂઆત કરી રહી છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.