ભારતમાં હિંદુઓની બહેન-બેટીઓ સલામત નથી, દેશમાં એન્ટી લવ જેહાદ કાયદો લાવો: પ્રવિણ તોગડિયા


  • Published By :
  • Published Date : 2023-05-23 14:18:11

દેશભરમાં લવ જેહાદનો મુદ્દો ગરમાયો છે ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવિણ તોગડિયા ફરી મેદાનમાં આવ્યા છે. પ્રવિણ તોગડિયાએ આકરા પ્રહારો કરતા કહ્યું કે ધ કેરાલા સ્ટોરી ફિલ્મ એ આપણા દેશમાં હિન્દુઓની દીકરીઓ સલામત નથી તેનો બોલતો પુરાવો છે. આ દેશમાં ક્યાં સુધી આપણી બહેન-બેટીઓ લવ જેહાદનો ભોગ બનશે. આખા દેશમાં એન્ટી લવ જેહાદ કાયદો લાવવાની માગ કરવી જોઈએ. વડોદરાના રાજમહેલ રોડ પર આવેલી જૂની કાછીયાવાડ સ્થિત કોઠી ફળિયામાં આવેલા શ્રીકૃષ્ણ મંદિરના 45માં પાટોત્સવમાં ઉપસ્થિત રહેલા પ્રવિણ તોગડિયાએ આ નિવેદન કર્યું હતું.


ભારતમાં હિન્દુ સલામત નથી- તોગડિયા


પ્રવિણ તોગડિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હિંદુઓના દેશમાં ધાર્મિક કાર્યક્રમ નહીં થાય તો મક્કા મદિનામાં થશે. ભારતમાં હિન્દુ સલામત નથી. વડોદરામાં રામ નવમીની શોભાયાત્રા પર હુમલો, ધંધુકામાં કિશન ભરવાડની હત્યા, કાલે એક દીકરીએ આત્મહત્યા કરી પડી. ક્યાં સુધી આ નાટકો ચાલશે, તેને બંધ કરો. આ દેશમાં કોઇપણ હિંદુઓનું નામ લેવાની હિંમત ન કરે એવી તાકાત હિન્દુસ્તાનમાં હિન્દુઓ ઉભી કરો. જ્યાં અશાંતધારો છે ત્યાં એકપણ હિંદુની મિલકત વેચાવી ન જોઇએ. હું આંતરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળને કહીશ કે આંદોલન કરો. જો કોઇ મિલકત વેચાતી હોય તો તેને રોકવાની જવાબદારી સરકારની છે.


દેશમાં એન્ટી લવ જેહાદ કાયદો લાવો 


ધ કેરાલા સ્ટોરી ફિલ્મ મુદ્દે પ્રવિણ તોગડિયાએ કહ્યું કે તે દેશમાં ચાલી રહી છે. એ ભારતમાં હિન્દુઓની બહેન-બેટીઓ સલામત નથી તેનું ડોક્યુમેન્ટ છે. જો દેશમાં હિન્દુઓની બહેન બેટીઓ સલામત ન હોય તો ઢાકણીમાં પાણી લઇને ડુબી મરવું જોઇએ. અને ફરીથી હિન્દુઓની બહેન બેટીઓ અસલામત ન બને એ માટે આખા દેશમાં એન્ટી લવ જેહાદ કાયદો કરવાની માગણી કરવી જોઇએ. આ તો ફિલ્મનું માર્કેટિંગ થઇ રહ્યું છે. માની લો કે નાંક કપાઇ જાય તો કપાયેલા નાંકનું માર્કેટિંગ કરાય. ફરીથી નાક ન કપાય તેની વ્યવસ્થા કરવી જોઇએ. નહીંતર કાલે વડોદરા ફિલ્મ બનશે. સુરત અને કર્ણાવતી ફિલ્મ બનશે. આ દેશમાં ક્યાં સુધી આપણી બહેન બેટીઓ લવ જેહાદનો ભોગ બને.અમારો સંકલ્પ છે કે હિન્દુસ્તાનમાં એકપણ બહેન બેટીઓને લવ જેહાદનો ભોગ નહીં બનવા દઈએ.આવુ કરનારાઓને ભારતમાં જડબાતોડ જવાબ આપીશું. અમે ફરીથી ભારતમાં હિન્દુ શેરને જગાવી રહ્યા છીએ. જેમણે જાગીને બાબરની છાતી પર પગ રાખીને રામ મંદિર બનાવ્યું છે.


હિંદુઓને જગાડવા માટે થશે હનુમાન ચાલીસાના પાઠ

 

તોગડિયાએ સવાલ કર્યો હતો કે, રામ નવમી પર જ હુમલાઓ કેમ થઈ રહ્યાં છે. કેમ હિન્દુનો દીકરા કિશન ભરવાડને મારી નાંખવામાં આવે છે. કેમ મહોરમ પર હુમલાઓ નથી થઇ રહ્યાં. આ દેશમાં ક્યાં સુધી હિન્દુ માર ખાશે. અમે હિન્દુઓના જગાડવા માટે દેશના લાખો ગામોમાં અને શહેરોની કોલોનીઓની સોસાયટીઓમાં દર શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરાવીને ભગવાન હનુમાનજીની ગદા દરેક ગામ અને ગલીઓમાં ઉઠશે. એક પણ હિન્દુનું નામ લેનારાને જડબાતોડ જવાબ આપવાની તાકાત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની શરૂઆત કરી રહી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.