વડનગર ખાતે યોજાઈ હીરાબા માટે પ્રાર્થના સભા


  • Published By :
  • Published Date : 2023-01-01 10:05:57

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબાનું 30 ડિસેમ્બરના રોજ નિધન થયું હતું. વહેલી સવારે પીએમ મોદીએ ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી હતી. માતાના અંતિમ દર્શન કરવા તેમજ અંતિમ ક્રિયા કરવા વડાપ્રધાન મોદી ગુજરાત આવી પહોંચ્યા હતા. ગાંધીનગર ખાતે હિરાબાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા જેમાં વડાપ્રધાન મોદીએ તેમને મુખાગ્નિ આપી હતી. ત્યારે વડનગર ખાતે હીરાબા માટે પ્રાર્થના સભા એટલે કે બેસણું રાખવામાં આવ્યું છે.

 

વડાપ્રધાન મોદીએ માતાના કર્યા હતા અંતિમ સંસ્કાર 

100 વર્ષની વયે વડાપ્રધાન મોદીની માતા હીરાબાએ દુનિયાથી વિદાય લીધી હતી. તબિયત બગડવાને કારણે તેમને યુ.એન.મહેતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં એડમિટ કરાતા પીએમ મોદી તેમની ખબરઅંતર પૂછવા અમદાવાદ આવી પહોંચ્યા હતા. થોડા સમય રોકાઈ તેઓ દિલ્હી પરત ફરી ગયા હતા. પરંતુ થોડા દિવસ બાદ હીરાબાના નિધનના સમય સામે આવ્યા. પીએમ મોદીએ આ અંગેની માહિતી આપી હતી. માતાનું અવસાન થતા ગુજરાત આવી પહોંચ્યા હતા અને માતાના અંતિમ સંસ્કાર કર્યા હતા.


વડનગર ખાતે રખાઈ પ્રાર્થના સભા

હીરાબાનું અવસાન થતા શોકની લાગણી વ્યાપી ઉઠી હતી. અનેક નેતાઓએ તેમના નિધન પર શોક પ્રગટ કર્યો હતો. ઉપરાંત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારોએ પણ હીરાબા માટે દુખ વ્યક્ત કર્યું હતું. વડનગર ખાતે હીરાબાની પ્રાર્થના સભા આયોજીત કરવામાં આવી છે.        



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.