વડનગર ખાતે યોજાઈ હીરાબા માટે પ્રાર્થના સભા


  • Published By :
  • Published Date : 2023-01-01 10:05:57

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબાનું 30 ડિસેમ્બરના રોજ નિધન થયું હતું. વહેલી સવારે પીએમ મોદીએ ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી હતી. માતાના અંતિમ દર્શન કરવા તેમજ અંતિમ ક્રિયા કરવા વડાપ્રધાન મોદી ગુજરાત આવી પહોંચ્યા હતા. ગાંધીનગર ખાતે હિરાબાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા જેમાં વડાપ્રધાન મોદીએ તેમને મુખાગ્નિ આપી હતી. ત્યારે વડનગર ખાતે હીરાબા માટે પ્રાર્થના સભા એટલે કે બેસણું રાખવામાં આવ્યું છે.

 

વડાપ્રધાન મોદીએ માતાના કર્યા હતા અંતિમ સંસ્કાર 

100 વર્ષની વયે વડાપ્રધાન મોદીની માતા હીરાબાએ દુનિયાથી વિદાય લીધી હતી. તબિયત બગડવાને કારણે તેમને યુ.એન.મહેતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં એડમિટ કરાતા પીએમ મોદી તેમની ખબરઅંતર પૂછવા અમદાવાદ આવી પહોંચ્યા હતા. થોડા સમય રોકાઈ તેઓ દિલ્હી પરત ફરી ગયા હતા. પરંતુ થોડા દિવસ બાદ હીરાબાના નિધનના સમય સામે આવ્યા. પીએમ મોદીએ આ અંગેની માહિતી આપી હતી. માતાનું અવસાન થતા ગુજરાત આવી પહોંચ્યા હતા અને માતાના અંતિમ સંસ્કાર કર્યા હતા.


વડનગર ખાતે રખાઈ પ્રાર્થના સભા

હીરાબાનું અવસાન થતા શોકની લાગણી વ્યાપી ઉઠી હતી. અનેક નેતાઓએ તેમના નિધન પર શોક પ્રગટ કર્યો હતો. ઉપરાંત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારોએ પણ હીરાબા માટે દુખ વ્યક્ત કર્યું હતું. વડનગર ખાતે હીરાબાની પ્રાર્થના સભા આયોજીત કરવામાં આવી છે.        



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.