વડનગર ખાતે યોજાઈ હીરાબા માટે પ્રાર્થના સભા


  • Published By :
  • Published Date : 2023-01-01 10:05:57

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબાનું 30 ડિસેમ્બરના રોજ નિધન થયું હતું. વહેલી સવારે પીએમ મોદીએ ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી હતી. માતાના અંતિમ દર્શન કરવા તેમજ અંતિમ ક્રિયા કરવા વડાપ્રધાન મોદી ગુજરાત આવી પહોંચ્યા હતા. ગાંધીનગર ખાતે હિરાબાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા જેમાં વડાપ્રધાન મોદીએ તેમને મુખાગ્નિ આપી હતી. ત્યારે વડનગર ખાતે હીરાબા માટે પ્રાર્થના સભા એટલે કે બેસણું રાખવામાં આવ્યું છે.

 

વડાપ્રધાન મોદીએ માતાના કર્યા હતા અંતિમ સંસ્કાર 

100 વર્ષની વયે વડાપ્રધાન મોદીની માતા હીરાબાએ દુનિયાથી વિદાય લીધી હતી. તબિયત બગડવાને કારણે તેમને યુ.એન.મહેતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં એડમિટ કરાતા પીએમ મોદી તેમની ખબરઅંતર પૂછવા અમદાવાદ આવી પહોંચ્યા હતા. થોડા સમય રોકાઈ તેઓ દિલ્હી પરત ફરી ગયા હતા. પરંતુ થોડા દિવસ બાદ હીરાબાના નિધનના સમય સામે આવ્યા. પીએમ મોદીએ આ અંગેની માહિતી આપી હતી. માતાનું અવસાન થતા ગુજરાત આવી પહોંચ્યા હતા અને માતાના અંતિમ સંસ્કાર કર્યા હતા.


વડનગર ખાતે રખાઈ પ્રાર્થના સભા

હીરાબાનું અવસાન થતા શોકની લાગણી વ્યાપી ઉઠી હતી. અનેક નેતાઓએ તેમના નિધન પર શોક પ્રગટ કર્યો હતો. ઉપરાંત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારોએ પણ હીરાબા માટે દુખ વ્યક્ત કર્યું હતું. વડનગર ખાતે હીરાબાની પ્રાર્થના સભા આયોજીત કરવામાં આવી છે.        



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.