જામનગરની દાતાર પીરની દરગાહમાં ધુણતી વખતે સગર્ભાના મોતથી અરેરાટી


  • Published By :
  • Published Date : 2023-05-03 21:08:32

જામનગરમાં દાતાર પીરની દરગાહે દર્શન કરવા આવેલી પોરબંદરની મહિલાનું ધુણતા-ધુણતા મોત થતા હડકંપ મચી ગયો હતો. મૂળ પોરબંદરના છાયા વિસ્તારની વતની ગર્ભવતી મહિલા ધુણતી વખતે અચાનક જ બેશુદ્ધ બની હતી. બાદમાં આ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબિબે તેને જાહેર કરી હતી, આ ઘટનાથી પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.


મૃતક મહિલા ગર્ભવતી હતી 


આ બનાવની વિગત એવી છે કે પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતી શાહીસ્તા એજાજભાઈ શેખ નામની 28, વર્ષની મહિલા કે જે પોતાના પરિવાર સાથે જામનગરમાં ખંભાળિયા ગેઈટ મકરાણી પાડામાં આવેલી દાતાર પીરની દરગાહે દર્શન કરવા આવી હતી, અને તેણીના પેટમાં નવ માસનો ગર્ભ હતો. તે ધૂણતી હતી તે દરમિયાન તે બેભાન થઈ જતા તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે સગર્ભાનું હૃદય બેસી જતાં મોત નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું


પોલીસે શરૂ કરી તપાસ


28 વર્ષીય શાહીસ્તા એજાજભાઈ શેખના મોચ અંગે હાફીઝ ભાઈ એજાજભાઈ શેખે પોલીસને જાણ કરતાં સીટી એ. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોટમ કરાવ્યું છે, અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.