જામનગરની દાતાર પીરની દરગાહમાં ધુણતી વખતે સગર્ભાના મોતથી અરેરાટી


  • Published By :
  • Published Date : 2023-05-03 21:08:32

જામનગરમાં દાતાર પીરની દરગાહે દર્શન કરવા આવેલી પોરબંદરની મહિલાનું ધુણતા-ધુણતા મોત થતા હડકંપ મચી ગયો હતો. મૂળ પોરબંદરના છાયા વિસ્તારની વતની ગર્ભવતી મહિલા ધુણતી વખતે અચાનક જ બેશુદ્ધ બની હતી. બાદમાં આ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબિબે તેને જાહેર કરી હતી, આ ઘટનાથી પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.


મૃતક મહિલા ગર્ભવતી હતી 


આ બનાવની વિગત એવી છે કે પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતી શાહીસ્તા એજાજભાઈ શેખ નામની 28, વર્ષની મહિલા કે જે પોતાના પરિવાર સાથે જામનગરમાં ખંભાળિયા ગેઈટ મકરાણી પાડામાં આવેલી દાતાર પીરની દરગાહે દર્શન કરવા આવી હતી, અને તેણીના પેટમાં નવ માસનો ગર્ભ હતો. તે ધૂણતી હતી તે દરમિયાન તે બેભાન થઈ જતા તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે સગર્ભાનું હૃદય બેસી જતાં મોત નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું


પોલીસે શરૂ કરી તપાસ


28 વર્ષીય શાહીસ્તા એજાજભાઈ શેખના મોચ અંગે હાફીઝ ભાઈ એજાજભાઈ શેખે પોલીસને જાણ કરતાં સીટી એ. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોટમ કરાવ્યું છે, અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે