જામનગરની દાતાર પીરની દરગાહમાં ધુણતી વખતે સગર્ભાના મોતથી અરેરાટી


  • Published By :
  • Published Date : 2023-05-03 21:08:32

જામનગરમાં દાતાર પીરની દરગાહે દર્શન કરવા આવેલી પોરબંદરની મહિલાનું ધુણતા-ધુણતા મોત થતા હડકંપ મચી ગયો હતો. મૂળ પોરબંદરના છાયા વિસ્તારની વતની ગર્ભવતી મહિલા ધુણતી વખતે અચાનક જ બેશુદ્ધ બની હતી. બાદમાં આ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબિબે તેને જાહેર કરી હતી, આ ઘટનાથી પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.


મૃતક મહિલા ગર્ભવતી હતી 


આ બનાવની વિગત એવી છે કે પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતી શાહીસ્તા એજાજભાઈ શેખ નામની 28, વર્ષની મહિલા કે જે પોતાના પરિવાર સાથે જામનગરમાં ખંભાળિયા ગેઈટ મકરાણી પાડામાં આવેલી દાતાર પીરની દરગાહે દર્શન કરવા આવી હતી, અને તેણીના પેટમાં નવ માસનો ગર્ભ હતો. તે ધૂણતી હતી તે દરમિયાન તે બેભાન થઈ જતા તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે સગર્ભાનું હૃદય બેસી જતાં મોત નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું


પોલીસે શરૂ કરી તપાસ


28 વર્ષીય શાહીસ્તા એજાજભાઈ શેખના મોચ અંગે હાફીઝ ભાઈ એજાજભાઈ શેખે પોલીસને જાણ કરતાં સીટી એ. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોટમ કરાવ્યું છે, અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.