જામનગરની દાતાર પીરની દરગાહમાં ધુણતી વખતે સગર્ભાના મોતથી અરેરાટી


  • Published By :
  • Published Date : 2023-05-03 21:08:32

જામનગરમાં દાતાર પીરની દરગાહે દર્શન કરવા આવેલી પોરબંદરની મહિલાનું ધુણતા-ધુણતા મોત થતા હડકંપ મચી ગયો હતો. મૂળ પોરબંદરના છાયા વિસ્તારની વતની ગર્ભવતી મહિલા ધુણતી વખતે અચાનક જ બેશુદ્ધ બની હતી. બાદમાં આ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબિબે તેને જાહેર કરી હતી, આ ઘટનાથી પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.


મૃતક મહિલા ગર્ભવતી હતી 


આ બનાવની વિગત એવી છે કે પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતી શાહીસ્તા એજાજભાઈ શેખ નામની 28, વર્ષની મહિલા કે જે પોતાના પરિવાર સાથે જામનગરમાં ખંભાળિયા ગેઈટ મકરાણી પાડામાં આવેલી દાતાર પીરની દરગાહે દર્શન કરવા આવી હતી, અને તેણીના પેટમાં નવ માસનો ગર્ભ હતો. તે ધૂણતી હતી તે દરમિયાન તે બેભાન થઈ જતા તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે સગર્ભાનું હૃદય બેસી જતાં મોત નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું


પોલીસે શરૂ કરી તપાસ


28 વર્ષીય શાહીસ્તા એજાજભાઈ શેખના મોચ અંગે હાફીઝ ભાઈ એજાજભાઈ શેખે પોલીસને જાણ કરતાં સીટી એ. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોટમ કરાવ્યું છે, અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.