ગુજરાતના પ્રવાસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 11:10:26

2 દિવસ માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ વખત તેઓ ગુજરાતની મુલાકાત આવ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન પ્રેસિડન્ટ અનેક કાર્યક્રમોમાં ભાગ લઈ, વિવિધ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમૂહુર્ત કરવાના છે. 



વિવિધ કાર્યક્રમોમાં રાષ્ટ્રપતિ લેશે ભાગ

રાષ્ટ્રપતિએ પોતાના પ્રવાસની શરૂઆત ગાંધી આશ્રમ ખાતેથી કરી છે. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તે બાદ ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડિંગનું ખાતમૂહુર્ત કરવાના છે જેમાં 373 કરોડના ખર્ચે ટ્રોમાં સેન્ટર બનવાનું છે.


અનેક કાર્યોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત

પોતાના પ્રવાસના બીજા દિવસે રાષ્ટ્રપતિ અનેક સ્ટાર્ટઅપને પણ લોન્ચ કરવાના છે. સ્ટાર્ટઅપ લોન્ચ મહિલા ઉદ્યોગ સાહસિકો માટે 'herstart' લોન્ચ કરશે. ઉપરાંત અમદાવાદ સ્થિત યુનિવર્સિટીમાં શિક્ષણ તેમજ આદિવાસી વિકાસ સંબંધિત અનેક કાર્યક્રમોમાં ભાગ લેવાના છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં સુપર સ્પેશિયાલિટિ હોસ્પિટલનું પણ ખાતમૂહુર્ત તેમના હસ્તે થવાનું છે. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .