ગુજરાતના પ્રવાસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 11:10:26

2 દિવસ માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ વખત તેઓ ગુજરાતની મુલાકાત આવ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન પ્રેસિડન્ટ અનેક કાર્યક્રમોમાં ભાગ લઈ, વિવિધ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમૂહુર્ત કરવાના છે. 



વિવિધ કાર્યક્રમોમાં રાષ્ટ્રપતિ લેશે ભાગ

રાષ્ટ્રપતિએ પોતાના પ્રવાસની શરૂઆત ગાંધી આશ્રમ ખાતેથી કરી છે. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તે બાદ ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડિંગનું ખાતમૂહુર્ત કરવાના છે જેમાં 373 કરોડના ખર્ચે ટ્રોમાં સેન્ટર બનવાનું છે.


અનેક કાર્યોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત

પોતાના પ્રવાસના બીજા દિવસે રાષ્ટ્રપતિ અનેક સ્ટાર્ટઅપને પણ લોન્ચ કરવાના છે. સ્ટાર્ટઅપ લોન્ચ મહિલા ઉદ્યોગ સાહસિકો માટે 'herstart' લોન્ચ કરશે. ઉપરાંત અમદાવાદ સ્થિત યુનિવર્સિટીમાં શિક્ષણ તેમજ આદિવાસી વિકાસ સંબંધિત અનેક કાર્યક્રમોમાં ભાગ લેવાના છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં સુપર સ્પેશિયાલિટિ હોસ્પિટલનું પણ ખાતમૂહુર્ત તેમના હસ્તે થવાનું છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.