રાષ્ટ્રપતિ, વડાપ્રધાન તેમજ અમિત શાહે દેશવાસીઓને પાઠવી હોળીની શુભેચ્છા, કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-03-08 10:03:35

ધૂળેટી પર્વની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. અનેક જગ્યાઓ પર ધૂળેટીની ઉજવણી પડતર દિવસે એટલે કે મંગળવારના દિવસે કરવામાં આવી હતી તો અનેક જગ્યાઓ પર ધૂળેટીની ઉજવણી આજે કરવામાં આવી રહી છે. ધૂળેટી પર્વને લઈ અનેક રાજનેતાઓએ શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી સહિત અનેક રાજનેતાઓએ ધૂળેટીની શુભકામનાઓ પાઠવી છે.

  

રાજનેતાઓએ કરી ટ્વિટ  

ભારત દેશમાં દરેક તહેવારની ઉજવણી ધામધૂમથી કરવામાં આવતી હોય છે. ભારતને તહેવારોને દેશ કહેવાય છે. ત્યારે દેશમાં આજે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે. તહેવારોને લઈ રાજનેતાઓ દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા હોય છે. ત્યારે ધૂળેટીને લઈને પણ વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ સહિત અનેક નેતાઓએ ટ્વિટ કર્યું છે.

રાષ્ટ્રપતિ તેમજ પીએમએ પાઠવી પર્વની શુભેચ્છા  

વડાપ્રધાન મોદીએ લખ્યું કે હોળીની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. આપ સર્વેના જીવનમાં આનંદ અને ઉમંગના રંગોની વર્ષા થાય. તે ઉપરાંત રાષ્ટ્રપતિએ પણ શુભેચ્છા પાઠવતા લખ્યું કે ઉલ્લાસ અને ઉમંગના પર્વ હોળીની તમામ દેશવાસીઓને હાર્દિક શુભકામના. મારી મંગલ કામના છે કે રંગોનો આ મહાપર્વ બધાના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નવી ઉર્જાનો સંચાર કરે. મહત્વનું છે કે મંગળવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે વિવિધ શાળાઓ અને સંસ્થાઓના વિદ્યાર્થી સાથે હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.  

યોગી આદિત્યનાથે લીધો ધૂળેટીની ઉજવણીમાં ભાગ 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ હોળીની શુભકામના પાઠવતું ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું કે રંગ, ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસના તહેવાર હોળી પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભકામના. તે સિવાય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ હોળીના તહેવારને લઈ ટ્વિટ કર્યું છે. રાહુલ ગાંધીએ લખ્યું કે હોળીનો તહેવાર દરેકના જીવનમાં નવો રંગ ભરે, દેશમાં એકતાનો રંગ ચઢે. તે ઉપરાંત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ગોરખનાથ મંદિર ખાતે આયોજીત ધૂળેટીની ઉજવણીમાં ભાગ લીધો હતો.

 




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.