રાષ્ટ્રપતિ, વડાપ્રધાન તેમજ અમિત શાહે દેશવાસીઓને પાઠવી હોળીની શુભેચ્છા, કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-03-08 10:03:35

ધૂળેટી પર્વની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. અનેક જગ્યાઓ પર ધૂળેટીની ઉજવણી પડતર દિવસે એટલે કે મંગળવારના દિવસે કરવામાં આવી હતી તો અનેક જગ્યાઓ પર ધૂળેટીની ઉજવણી આજે કરવામાં આવી રહી છે. ધૂળેટી પર્વને લઈ અનેક રાજનેતાઓએ શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી સહિત અનેક રાજનેતાઓએ ધૂળેટીની શુભકામનાઓ પાઠવી છે.

  

રાજનેતાઓએ કરી ટ્વિટ  

ભારત દેશમાં દરેક તહેવારની ઉજવણી ધામધૂમથી કરવામાં આવતી હોય છે. ભારતને તહેવારોને દેશ કહેવાય છે. ત્યારે દેશમાં આજે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે. તહેવારોને લઈ રાજનેતાઓ દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા હોય છે. ત્યારે ધૂળેટીને લઈને પણ વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ સહિત અનેક નેતાઓએ ટ્વિટ કર્યું છે.

રાષ્ટ્રપતિ તેમજ પીએમએ પાઠવી પર્વની શુભેચ્છા  

વડાપ્રધાન મોદીએ લખ્યું કે હોળીની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. આપ સર્વેના જીવનમાં આનંદ અને ઉમંગના રંગોની વર્ષા થાય. તે ઉપરાંત રાષ્ટ્રપતિએ પણ શુભેચ્છા પાઠવતા લખ્યું કે ઉલ્લાસ અને ઉમંગના પર્વ હોળીની તમામ દેશવાસીઓને હાર્દિક શુભકામના. મારી મંગલ કામના છે કે રંગોનો આ મહાપર્વ બધાના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નવી ઉર્જાનો સંચાર કરે. મહત્વનું છે કે મંગળવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે વિવિધ શાળાઓ અને સંસ્થાઓના વિદ્યાર્થી સાથે હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.  

યોગી આદિત્યનાથે લીધો ધૂળેટીની ઉજવણીમાં ભાગ 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ હોળીની શુભકામના પાઠવતું ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું કે રંગ, ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસના તહેવાર હોળી પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભકામના. તે સિવાય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ હોળીના તહેવારને લઈ ટ્વિટ કર્યું છે. રાહુલ ગાંધીએ લખ્યું કે હોળીનો તહેવાર દરેકના જીવનમાં નવો રંગ ભરે, દેશમાં એકતાનો રંગ ચઢે. તે ઉપરાંત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ગોરખનાથ મંદિર ખાતે આયોજીત ધૂળેટીની ઉજવણીમાં ભાગ લીધો હતો.

 




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.