રાષ્ટ્રપતિ, વડાપ્રધાન તેમજ અમિત શાહે દેશવાસીઓને પાઠવી હોળીની શુભેચ્છા, કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-03-08 10:03:35

ધૂળેટી પર્વની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. અનેક જગ્યાઓ પર ધૂળેટીની ઉજવણી પડતર દિવસે એટલે કે મંગળવારના દિવસે કરવામાં આવી હતી તો અનેક જગ્યાઓ પર ધૂળેટીની ઉજવણી આજે કરવામાં આવી રહી છે. ધૂળેટી પર્વને લઈ અનેક રાજનેતાઓએ શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી સહિત અનેક રાજનેતાઓએ ધૂળેટીની શુભકામનાઓ પાઠવી છે.

  

રાજનેતાઓએ કરી ટ્વિટ  

ભારત દેશમાં દરેક તહેવારની ઉજવણી ધામધૂમથી કરવામાં આવતી હોય છે. ભારતને તહેવારોને દેશ કહેવાય છે. ત્યારે દેશમાં આજે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે. તહેવારોને લઈ રાજનેતાઓ દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા હોય છે. ત્યારે ધૂળેટીને લઈને પણ વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ સહિત અનેક નેતાઓએ ટ્વિટ કર્યું છે.

રાષ્ટ્રપતિ તેમજ પીએમએ પાઠવી પર્વની શુભેચ્છા  

વડાપ્રધાન મોદીએ લખ્યું કે હોળીની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. આપ સર્વેના જીવનમાં આનંદ અને ઉમંગના રંગોની વર્ષા થાય. તે ઉપરાંત રાષ્ટ્રપતિએ પણ શુભેચ્છા પાઠવતા લખ્યું કે ઉલ્લાસ અને ઉમંગના પર્વ હોળીની તમામ દેશવાસીઓને હાર્દિક શુભકામના. મારી મંગલ કામના છે કે રંગોનો આ મહાપર્વ બધાના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નવી ઉર્જાનો સંચાર કરે. મહત્વનું છે કે મંગળવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે વિવિધ શાળાઓ અને સંસ્થાઓના વિદ્યાર્થી સાથે હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.  

યોગી આદિત્યનાથે લીધો ધૂળેટીની ઉજવણીમાં ભાગ 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ હોળીની શુભકામના પાઠવતું ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું કે રંગ, ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસના તહેવાર હોળી પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભકામના. તે સિવાય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ હોળીના તહેવારને લઈ ટ્વિટ કર્યું છે. રાહુલ ગાંધીએ લખ્યું કે હોળીનો તહેવાર દરેકના જીવનમાં નવો રંગ ભરે, દેશમાં એકતાનો રંગ ચઢે. તે ઉપરાંત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ગોરખનાથ મંદિર ખાતે આયોજીત ધૂળેટીની ઉજવણીમાં ભાગ લીધો હતો.

 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.