બ્રેકિંગ: પ્રેસિડેન્ટ મેડલની કરાઈ જાહેરાત, રાજય પોલીસના આ 20 કર્મીને મળ્યું સન્માન


  • Published By :
  • Published Date : 2023-08-14 14:20:37

કેન્દ્ર સરકારે સોમવારે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ વિવિધ કેન્દ્રીય અને રાજ્ય દળોના 954 પોલીસ કર્મચારીઓ માટે સેવા ચંદ્રકોની જાહેરાત કરી છે. જેમાં ગુજરાત પોલીસમાંથી રાજકોટના પૂર્વ જોઈન્ટ પોલીસ કમિશનર અને એડિશનલ ડીજી ખુરશીદ અહેમદ સહિત રાજયના 20 પોલીસકર્મીની પ્રેસિડેન્ટ મેડલ  (PPM)માટે પસંદગી કરાઈ છે. ગુજરાત પોલીસના ખુરશીદ અહેમદ સહિત અન્ય 2 અધિકારી અને 18 પોલીસ જવાનને સન્માન મળશે. 


ગૃહ મંત્રાલયે કરી જાહેરાત


ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 01 CRPF જવાનને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ ફોર ગેલેન્ટ્રી (PPMG), 229ને પોલીસ મેડલ ફોર ગેલેન્ટ્રી (PMG), 82ને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ ((PPM) એનાયત કરવામાં આવ્યો છે. 642ને મેરીટોરીયસ સર્વિસ (PM) માટે પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યો છે. સૌથી વધુ ગેલેન્ટ્રી પોલીસ મેડલ્સ જમ્મુ અને કાશ્મીરને મળ્યા છે, પોલીસ (55), મહારાષ્ટ્ર પોલીસ (33), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (27) અને છત્તીસગઢ પોલીસ (24)ને સૌથી વધુ ગેલેન્ટ્રી પોલીસ મેડલ્સની જાહેરાત કરવામાં આવી છે.


(આ એક બ્રેકિંગ ન્યૂઝ છે. જે અપડેટ થઈ રહ્યા છે. પેજ રિફ્રેશ કરતા રહેશો.)



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.