બ્રેકિંગ: પ્રેસિડેન્ટ મેડલની કરાઈ જાહેરાત, રાજય પોલીસના આ 20 કર્મીને મળ્યું સન્માન


  • Published By :
  • Published Date : 2023-08-14 14:20:37

કેન્દ્ર સરકારે સોમવારે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ વિવિધ કેન્દ્રીય અને રાજ્ય દળોના 954 પોલીસ કર્મચારીઓ માટે સેવા ચંદ્રકોની જાહેરાત કરી છે. જેમાં ગુજરાત પોલીસમાંથી રાજકોટના પૂર્વ જોઈન્ટ પોલીસ કમિશનર અને એડિશનલ ડીજી ખુરશીદ અહેમદ સહિત રાજયના 20 પોલીસકર્મીની પ્રેસિડેન્ટ મેડલ  (PPM)માટે પસંદગી કરાઈ છે. ગુજરાત પોલીસના ખુરશીદ અહેમદ સહિત અન્ય 2 અધિકારી અને 18 પોલીસ જવાનને સન્માન મળશે. 


ગૃહ મંત્રાલયે કરી જાહેરાત


ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 01 CRPF જવાનને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ ફોર ગેલેન્ટ્રી (PPMG), 229ને પોલીસ મેડલ ફોર ગેલેન્ટ્રી (PMG), 82ને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ ((PPM) એનાયત કરવામાં આવ્યો છે. 642ને મેરીટોરીયસ સર્વિસ (PM) માટે પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યો છે. સૌથી વધુ ગેલેન્ટ્રી પોલીસ મેડલ્સ જમ્મુ અને કાશ્મીરને મળ્યા છે, પોલીસ (55), મહારાષ્ટ્ર પોલીસ (33), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (27) અને છત્તીસગઢ પોલીસ (24)ને સૌથી વધુ ગેલેન્ટ્રી પોલીસ મેડલ્સની જાહેરાત કરવામાં આવી છે.


(આ એક બ્રેકિંગ ન્યૂઝ છે. જે અપડેટ થઈ રહ્યા છે. પેજ રિફ્રેશ કરતા રહેશો.)



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.