બ્રેકિંગ: પ્રેસિડેન્ટ મેડલની કરાઈ જાહેરાત, રાજય પોલીસના આ 20 કર્મીને મળ્યું સન્માન


  • Published By :
  • Published Date : 2023-08-14 14:20:37

કેન્દ્ર સરકારે સોમવારે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ વિવિધ કેન્દ્રીય અને રાજ્ય દળોના 954 પોલીસ કર્મચારીઓ માટે સેવા ચંદ્રકોની જાહેરાત કરી છે. જેમાં ગુજરાત પોલીસમાંથી રાજકોટના પૂર્વ જોઈન્ટ પોલીસ કમિશનર અને એડિશનલ ડીજી ખુરશીદ અહેમદ સહિત રાજયના 20 પોલીસકર્મીની પ્રેસિડેન્ટ મેડલ  (PPM)માટે પસંદગી કરાઈ છે. ગુજરાત પોલીસના ખુરશીદ અહેમદ સહિત અન્ય 2 અધિકારી અને 18 પોલીસ જવાનને સન્માન મળશે. 


ગૃહ મંત્રાલયે કરી જાહેરાત


ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 01 CRPF જવાનને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ ફોર ગેલેન્ટ્રી (PPMG), 229ને પોલીસ મેડલ ફોર ગેલેન્ટ્રી (PMG), 82ને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ ((PPM) એનાયત કરવામાં આવ્યો છે. 642ને મેરીટોરીયસ સર્વિસ (PM) માટે પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યો છે. સૌથી વધુ ગેલેન્ટ્રી પોલીસ મેડલ્સ જમ્મુ અને કાશ્મીરને મળ્યા છે, પોલીસ (55), મહારાષ્ટ્ર પોલીસ (33), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (27) અને છત્તીસગઢ પોલીસ (24)ને સૌથી વધુ ગેલેન્ટ્રી પોલીસ મેડલ્સની જાહેરાત કરવામાં આવી છે.


(આ એક બ્રેકિંગ ન્યૂઝ છે. જે અપડેટ થઈ રહ્યા છે. પેજ રિફ્રેશ કરતા રહેશો.)



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.