દેશવાસીઓ પાસેથી વડાપ્રધાન મોદીએ માગ્યા સૂઝાવ, નમો એપ પર આપી શકશે માહિતી


  • Published By :
  • Published Date : 2022-12-13 16:23:11

મહિનાના છેલ્લા રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેડિયો પર મન કી બાત કાર્યક્રમ કરતા હોય છે. 25 ડિસેમ્બરના રોજ 2022ની છેલ્લી મન કી બાતમાં પીએમ મોદી સંબોધન કરવાના છે. ત્યારે આ વખતે મન કી બાતમાં કઈ બાબત પર ચર્ચા કરવી તે અંગે દેશવાસીઓ પાસેથી સૂજાવ મંગાવ્યા છે. પીએમ મોદીએ ટ્વિટ કરી આ અંગેની જાણકારી અપી હતી.


23 ડિસેમ્બર સુધી આપી શકાશે સંદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે 96મી વખત મન કી બાતમાં સંબોધન કરવાના છે. મન કી બાતમાં વડાપ્રધાન મોદી અનેક મુદ્દાઓ પર ચર્ચા કરતા હોય છે. ત્યારે આ વખતે કયા મુદ્દાઓ પર ચર્ચા કરવી તે અંગે વડાપ્રધાન મોદીએ લોકો પાસેથી રાય માંગી છે. ટ્વિટર પર તેમણે ટ્વિટ કરતા કહ્યું કે 25 ડિસેમ્બરના રોજ 2022નું અંતિમ મન કી બાત કાર્યક્રમ થવાનો છે. હું તમારા નવા વિચાર જાણવા ઉત્સુક છું. નમો એપ પર અથવા તો 1800-11-7800 પર પોતાનો સંદેશ રેકોર્ડ કરી મારા સુધી પહોંચાડવો. 23 ડિસેમ્બર સુધી લોકો તેમના સુધી પોતાનો સંદેશો પહોંચાડી શકે છે.           



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.