દેશવાસીઓ પાસેથી વડાપ્રધાન મોદીએ માગ્યા સૂઝાવ, નમો એપ પર આપી શકશે માહિતી


  • Published By :
  • Published Date : 2022-12-13 16:23:11

મહિનાના છેલ્લા રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેડિયો પર મન કી બાત કાર્યક્રમ કરતા હોય છે. 25 ડિસેમ્બરના રોજ 2022ની છેલ્લી મન કી બાતમાં પીએમ મોદી સંબોધન કરવાના છે. ત્યારે આ વખતે મન કી બાતમાં કઈ બાબત પર ચર્ચા કરવી તે અંગે દેશવાસીઓ પાસેથી સૂજાવ મંગાવ્યા છે. પીએમ મોદીએ ટ્વિટ કરી આ અંગેની જાણકારી અપી હતી.


23 ડિસેમ્બર સુધી આપી શકાશે સંદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે 96મી વખત મન કી બાતમાં સંબોધન કરવાના છે. મન કી બાતમાં વડાપ્રધાન મોદી અનેક મુદ્દાઓ પર ચર્ચા કરતા હોય છે. ત્યારે આ વખતે કયા મુદ્દાઓ પર ચર્ચા કરવી તે અંગે વડાપ્રધાન મોદીએ લોકો પાસેથી રાય માંગી છે. ટ્વિટર પર તેમણે ટ્વિટ કરતા કહ્યું કે 25 ડિસેમ્બરના રોજ 2022નું અંતિમ મન કી બાત કાર્યક્રમ થવાનો છે. હું તમારા નવા વિચાર જાણવા ઉત્સુક છું. નમો એપ પર અથવા તો 1800-11-7800 પર પોતાનો સંદેશ રેકોર્ડ કરી મારા સુધી પહોંચાડવો. 23 ડિસેમ્બર સુધી લોકો તેમના સુધી પોતાનો સંદેશો પહોંચાડી શકે છે.           



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.