દેશવાસીઓ પાસેથી વડાપ્રધાન મોદીએ માગ્યા સૂઝાવ, નમો એપ પર આપી શકશે માહિતી


  • Published By :
  • Published Date : 2022-12-13 16:23:11

મહિનાના છેલ્લા રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેડિયો પર મન કી બાત કાર્યક્રમ કરતા હોય છે. 25 ડિસેમ્બરના રોજ 2022ની છેલ્લી મન કી બાતમાં પીએમ મોદી સંબોધન કરવાના છે. ત્યારે આ વખતે મન કી બાતમાં કઈ બાબત પર ચર્ચા કરવી તે અંગે દેશવાસીઓ પાસેથી સૂજાવ મંગાવ્યા છે. પીએમ મોદીએ ટ્વિટ કરી આ અંગેની જાણકારી અપી હતી.


23 ડિસેમ્બર સુધી આપી શકાશે સંદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે 96મી વખત મન કી બાતમાં સંબોધન કરવાના છે. મન કી બાતમાં વડાપ્રધાન મોદી અનેક મુદ્દાઓ પર ચર્ચા કરતા હોય છે. ત્યારે આ વખતે કયા મુદ્દાઓ પર ચર્ચા કરવી તે અંગે વડાપ્રધાન મોદીએ લોકો પાસેથી રાય માંગી છે. ટ્વિટર પર તેમણે ટ્વિટ કરતા કહ્યું કે 25 ડિસેમ્બરના રોજ 2022નું અંતિમ મન કી બાત કાર્યક્રમ થવાનો છે. હું તમારા નવા વિચાર જાણવા ઉત્સુક છું. નમો એપ પર અથવા તો 1800-11-7800 પર પોતાનો સંદેશ રેકોર્ડ કરી મારા સુધી પહોંચાડવો. 23 ડિસેમ્બર સુધી લોકો તેમના સુધી પોતાનો સંદેશો પહોંચાડી શકે છે.           



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે